IND vs ENG: કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમની ચિંતાઓ વધી, જાણો કારણ

આઠ ખેલાડીઓ કૃણાલના નજીકના સંપર્ક ધરાવતા હતા. પરંતુ આમાંથી બે ખેલાડીઓ એવા છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર જતા મુશ્કેલીમાં મુકાયા છે.

IND vs ENG: કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમની ચિંતાઓ વધી, જાણો કારણ
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 7:07 PM

શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના પોઝિટિવ હોવાનું જણાયુ હતુ. જેના કારણે ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચેની બીજી T20 મેચ એક દિવસ માટે સ્થગીત કરવામાં આવી છે. પરંતુ કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ હોવાને કારણે ટીમ ઈન્ડિયા (Team India)ના આઠ ખેલાડીઓ પર સંકટ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ આઠ ખેલાડીઓ કૃણાલના નજીકના સંપર્ક ધરાવતા હતા. પરંતુ આમાંથી બે ખેલાડીઓ એવા છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર જતા મુશ્કેલીમાં મુકાયા છે. આ ખેલાડીઓ છે પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ. બંનેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ બંને શ્રીલંકાથી સીધા લંડન જવાના હતા. જોકે હવે બંનેને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.

હવે એ જોવાનું રહ્યું કે બંનેના આઈસોલેશનનો સમય કેટલો સમય ચાલે છે. સામાન્ય રીતે તેનો સમયગાળો 7થી 10 દિવસનો હોય છે. જો આવું થાય છે તો તે બંને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યા બાદ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ સહિત આઠ ભારતીય ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ બધાનું હવે ફરીથી પરીક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન જો પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવના ટેસ્ટ પોઝિટિવ આવશે તો બંનેના ઈંગ્લેન્ડ પ્રવાસ રદ થઈ શકે છે.

શ્રીલંકન બોર્ડે બુધવારે મેચ રમાનારી હોવાની આપી જાણકારી

શ્રીલંકા ક્રિકેટે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે મેચને એક દિવસ બાદ રમાડવામાં આવશે. એટલે કે બુધવારે રમાશે. ટ્વીટ કરી લખ્યુ હતુ કે શ્રીલંકા અને ભારત વચ્ચેની બીજી T20 મૂળ 27 જુલાઈએ રમાનારી હતી. તેને એક દિવસ આગળ કરી દેવામાં આવી છે. હવે તે બુધવારે જુલાઈ 28ના રોજ થશે.

પૃથ્વી શો અને સૂર્યાના ટેસ્ટની જોવાઈ રહી છે રાહ

બ્રિટનમાં કોરોનાના નિયમો ખૂબ કડક છે. ઉપરાંત કોરોના પોઝિટિવ જણાયા પછી આઈસોલેશન પૂર્ણ કરવામાં અને તે પછી રમવા માટે તૈયાર થવામાં ખૂબ સમય જશે. જેના કારણે તે બંને ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે સમયસર તૈયારી કરી શકશે નહીં. જો કે શો અને સૂર્યાના આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી નોટિંગહામથી શરૂ થવાની છે. હાલની યોજના મુજબ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવે બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાં જોડાવાનું હતું. પરંતુ હવે બદલાયેલી સ્થિતીના કારણે તેમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો: Krunal Pandya: ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત, ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી મેચ સ્થગીત

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">