AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Women T20 World Cup : બાંગ્લાદેશને હરાવ્યા છતાં ટીમ ઈન્ડિયાની સેમિફાઇનલની ટિકિટ હજુ પાક્કી નહીં, જાણો શું છે આખું સમીકરણ!

ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પોતાનો ત્રીજો વિજય નોંધાવ્યો છે. પરંતુ આ જીત છતાં સેમિફાઈનલનો માર્ગ હજુ તેમના માટે સરળ બન્યો નથી. સાઉથ આફ્રિકા હજુ પણ ભારતીય ટીમ માટે એક મોટો ખતરો છે.

ICC Women T20 World Cup : બાંગ્લાદેશને હરાવ્યા છતાં ટીમ ઈન્ડિયાની સેમિફાઇનલની ટિકિટ હજુ પાક્કી નહીં, જાણો શું છે આખું સમીકરણ!
ICC Women T20 World Cup Team IndiaImage Credit source: X
| Updated on: Jun 26, 2026 | 7:45 AM
Share

ટીમ ઈન્ડિયાએ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં પોતાની ત્રીજી મેચ જીતી છે. વનડે વર્લ્ડ કપ જીત્યા બાદ હવે પ્રથમ વખત મહિલા ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું લક્ષ્ય રાખી રહી છે. સતત બે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કર્યા પછી અને માત્ર એક જ મેચ હાર્યા પછી, ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું છે. આ જીતે ટીમ ઈન્ડિયાનો સેમિફાઈનલમાં જવાનો માર્ગ સરળ બનાવ્યો છે. છતાં ભારતીય ટીમ માટે એક મોટો ખતરો સાઉથ આફ્રિકા છે.

ટીમ ઈન્ડિયાની હાલની સ્થિતિ શું છે?

આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ગ્રુપ 1 નો ભાગ છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમો પણ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ આ ગ્રુપમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે. જેમાંથી ચોથી મેચ બાંગ્લાદેશ સામે હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 136 રન પર રોકી દીધું અને ત્યારબાદ 16.5 ઓવરમાં જ લક્ષ્યને હાંસલ કરીને 5 વિકેટે જીત મેળવી છે. ગ્રુપ સ્ટેજની ચાર મેચોમાં આ ટીમ ઈન્ડિયાની ત્રીજી જીત છે. જેના કારણે તે સેમિફાઈનલની રેસમાં મજબૂત રીતે આગળ વધી ગઈ છે.

ટીમ ઈન્ડિયાના હવે 6 પોઈન્ટ છે. પરંતુ ભારતીય ટીમનો સેમિફાઈનલમાં પ્રવેશ હજુ પણ નિશ્ચિત નથી કારણ કે ટીમ ઈન્ડિયા હવે તેના અંતિમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. જેણે પહેલાથી જ ચારેય મેચ જીતી લીધી છે અને સેમિફાઈનલમાં જીતની લગભગ ખાતરી કરી લીધી છે. હવે જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચવા માંગે છે, તો તેણે ઓસ્ટ્રેલિયાને કોઈપણ કિંમતે હરાવવું પડશે. જે સરળ રહેશે નહીં.

ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં સ્થાન કેવી રીતે મેળવશે?

જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતે છે તો તેની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા વધુ મજબૂત બનશે. આવી સ્થિતિમાં, નિર્ણય નેટ રન રેટ પર આધાર રાખી શકે છે. સાઉથ આફ્રિકાએ ત્રણ મેચ રમી છે. જેમાંથી બે જીતી છે. જેમાંથી એક ટીમ ઈન્ડિયા સામે હતી. હવે સાઉથ આફ્રિકા પાસે ફક્ત બે મેચ બાકી છે. તે નેધરલેન્ડ અને બાંગ્લાદેશ જેવી ટીમો સામે રમશે. જેમાં સાઉથ આફ્રિકાનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.

જો ટીમ ઈન્ડિયા અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે અને દક્ષિણ આફ્રિકા પણ તેની બંને મેચ જીતી જાય છે, તો ત્રણેય ટીમોના 8-8 પોઈન્ટ હશે. ત્યારબાદ નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે. હાલ ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ 4.724 છે. જ્યારે ભારતનો નેટ રન રેટ 2.268 છે. સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ -0.546 હોવાથી તે હાલમાં ઘણું પાછળ છે. જો સાઉથ આફ્રિકા પોતાની બંને મેચ મોટા અંતરથી જીતે તો સ્પર્ધા વધુ રસપ્રદ બની શકે છે.

આ સ્થિતિમાં ચેમ્પિયનનું સપનું તૂટી શકે છે

જો ટીમ ઇન્ડિયા તેની અંતિમ મેચ હારી જાય તો નેટ રન રેટ સુધી પહોંચતા પહેલા જ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી શકે છે. સાઉથ આફ્રિકા બંને મેચ જીતે છે તો તેના 8 પોઈન્ટ થશે અને જો ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી જાય તો ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે બહાર થઈ જશે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને કોઈપણ કિંમતે હરાવવું જોઈએ. પરંતુ સાથે જ પ્રાર્થના કરવી જોઈએ કે બાંગ્લાદેશ 28 જૂનના રોજ સાઉથ આફ્રિકાને હરાવે. જો ભારત અને સાઉથ આફ્રિકા પોતપોતાની અંતિમ મેચ હારી જાય તો ધ્યાન NRR પર રહેશે. જ્યાં ભારતીય ટીમ હાલમાં મજબૂત દેખાય છે.

આ પણ વાંચો, Vaibhav Suryavanshi: 15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી વૈભવ બનશે ભારતનો સૌથી યુવા ક્રિકેટર, પરંતુ નહીં તોડી શકે આ વર્લ્ડ રેકોર્ડ

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">