AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan : એશિયા કપ 2025માં હાઈ વૉલ્ટેજ ડ્રામા, ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ફરી ક્યારે થશે મેચ

એશિયા કપમાં પાકિસ્તાન-યુએઈ મેચ પહેલા એક મહત્વપૂર્ણ નાટક જોવા મળ્યું. હાથ ન મિલાવવાના વિવાદ અને મેચ રેફરીના મુદ્દાને કારણે પાકિસ્તાનની ટીમ સમયસર મેદાન માટે તેમની હોટેલ છોડી શક્યી ન હતી. જોકે, ICC સાથે ચર્ચા કર્યા પછી, PCB એ તેની ટીમને મેચ માટે રવાના થવાની મંજૂરી આપી.

India vs Pakistan : એશિયા કપ 2025માં હાઈ વૉલ્ટેજ ડ્રામા, ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ફરી ક્યારે થશે મેચ
India vs PakistanImage Credit source: PTI
| Updated on: Sep 17, 2025 | 8:23 PM
Share

એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હજુ પણ થઈ શકે છે. એશિયા કપમાંથી પાકિસ્તાન બહાર થયાના સમાચાર આવ્યા હતા, જેના પછી એશિયા કપના બધા સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. પરંતુ હવે ભારત-પાકિસ્તાન મુકાબલો 21 સપ્ટેમ્બરે થઈ શકે છે, પરંતુ આ માટે પાકિસ્તાને દુબઈ સામેની મેચ જીતવી પડશે. એવા અહેવાલો હતા કે પાકિસ્તાને UAE સામે મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો, પરંતુ થોડા સમય પછી આ સમાચાર બદલાઈ ગયા અને PCB એ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો. જો પાકિસ્તાન UAE સામે મેચ ન રમ્યું હોત, તો તેઓ એશિયા કપમાંથી બહાર થઈ ગયા હોત.

પાકિસ્તાની ટીમ સમયસર મેદાન પર ના પહોંચી 

પાકિસ્તાન ટીમ UAE સામેની મેચ માટે સાંજે 6 વાગ્યા સુધીમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચવાની હતી, પરંતુ તેઓ તેમની હોટલમાં જ રોકાઈ ગયા. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ અંગે ચર્ચા કરવા માટે PCB અને ICC વચ્ચે એક કટોકટીની બેઠક ચાલી રહી હતી. પાકિસ્તાન ઇચ્છતું ન હતું કે એન્ડી પાયક્રોફ્ટ તેમની મેચમાં અમ્પાયરિંગ કરે, પરંતુ આખરે PCB મેચ માટે સંમત થયું.

મેચ રેફરી વિવાદથી પાકિસ્તાન નારાજ હતું

ભારત સામેની મેચમાં હાથ મિલાવવાના વિવાદ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મેચ રેફરી સામે કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ ICC એ ઇનકાર કરી દીધો હતો. PCB એ આરોપ લગાવ્યો હતો કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે બંને ટીમોને હાથ ન મિલાવવાની સૂચના આપી હતી, પરંતુ ICC ને આ વાત ખોટી લાગી. ત્યારબાદ PCB એ ICC ને બીજો ઈમેલ મોકલ્યો, જેને ફરીથી નકારી કાઢવામાં આવ્યો. જો કે, ત્યારબાદની બેઠકમાં બધા મુદ્દાઓ ઉકેલાઈ ગયા.

પાકિસ્તાનને ભારે નુકસાન થયું હોત

જો પાકિસ્તાન એશિયા કપ ચૂકી જાય, તો તેને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે, કારણ કે તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પાકિસ્તાનને ફાળવવામાં આવેલી આવક ગુમાવશે, જે 141 કરોડ રૂપિયા જેટલી છે.

આ પણ વાંચો: Breaking News: પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર, UAE સામે નહીં રમે મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">