ગૌતમ ગંભીર કોચ બનતા જ હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં ? એક નિવેદને અનેક સવાલો ઊભા કર્યા

|

Jul 12, 2024 | 4:03 PM

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નિવેદનથી હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધી શકે છે. ગંભીરે જે કહ્યું તે હાર્દિક માટે જરાય સારું નથી. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું પંડ્યા ગૌતમ ગંભીરની વિચારસરણીમાં બેસે નહીં?

ગૌતમ ગંભીર કોચ બનતા જ હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં ? એક નિવેદને અનેક સવાલો ઊભા કર્યા
Hardik Pandya & Gautam Gambhir

Follow us on

હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024 જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પંડ્યાએ બોલ અને બેટથી કમાલ બતાવીને ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું, આ ખેલાડીએ દક્ષિણ આફ્રિકાની 3 કિંમતી વિકેટ ઝડપી, જેના કારણે ભારતે 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીત્યો. પરંતુ હવે આ ખેલાડી મુશ્કેલીમાં મુકાયો હોય તેમ લાગી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે પંડ્યાના આવનારા દિવસો સારા નથી અને તેનું કારણ નવા હેડ કોચ ગૌતમ ગંભીરની વિચારસરણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ગૌતમ ગંભીરે શું કહ્યું?

ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે તેનું માનવું છે કે જો તમે ત્રણેય ફોર્મેટ રમી શકો છો તો તમારે ચોક્કસથી રમવું જોઈએ. ગંભીરે કહ્યું, ‘હું ઈજા મેનેજમેન્ટ ટીમમાંથી નથી. જો તમને ઈજા થઈ હોય, તો તમે જાઓ અને સ્વસ્થ થાવ. જો તમે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા હોવ તો તમારે ત્રણેય ફોર્મેટ રમવું જોઈએ. કોઈપણ બોલર રેડ બોલ કે વાઈટ બોલ ક્રિકેટમાં પોતાને નિષ્ણાત હોવાનું કહેડાવવા માંગતો નથી.

ત્રણેય ફોર્મેટમાં રમવા અંગે મોટું નિવેદન

ગંભીરે વધુમાં કહ્યું કે, તે એવો કોઈ ખેલાડી નથી ઈચ્છતો કે જેને તે માત્ર ટેસ્ટ માટે રાખે અથવા તે માત્ર ODI કે T20 માટે જ રમે. હું કોઈપણ ખેલાડીના વર્કલોડને મેનેજ કરવાના પક્ષમાં નથી. ગંભીરે કહ્યું કે પ્રોફેશનલ ક્રિકેટરની કારકિર્દી ટૂંકી હોય છે અને તેથી તમારે બને તેટલું વધુ રમવું જોઈએ. ખેલાડીએ ત્રણેય ફોર્મેટમાં રમવું જોઈએ.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ગંભીરની વિચારસરણી હાર્દિક માટે ખતરો?

સવાલ એ છે કે શું હેડ કોચ ગૌતમ ગંભીર હવે હાર્દિક પંડ્યાને પણ ટેસ્ટ ફોર્મેટ રમવા માટે દબાણ કરશે? હાર્દિક પંડ્યા ODI અને T20 ફોર્મેટમાં મેચ વિનર છે પરંતુ તે ઈજાના ડરથી ટેસ્ટ ક્રિકેટ નથી રમી રહ્યો. હાર્દિકે તેની છેલ્લી ટેસ્ટ વર્ષ 2018માં રમી હતી. પરંતુ હવે લાગે છે કે તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રીજું ફોર્મેટ પણ રમવું પડશે. ટીમ ઈન્ડિયા છેલ્લી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી ગઈ છે અને ગૌતમ ગંભીર ક્યારેય નહીં ઈચ્છે કે આ હારની હેટ્રિક બને. તો આવી સ્થિતિમાં જો તેને તક મળશે તો તે ચોક્કસપણે પંડ્યાને ટેસ્ટ રમવા માટે કહી શકે છે.

આ પણ વાંચો: IND vs PAK : ભારત-પાકિસ્તાનના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર, 24 કલાકમાં થશે મહા-મુકાબલો!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:02 pm, Fri, 12 July 24

Next Article