AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધર્મશાલામાં ફસાયું મુંબઈ ઈન્ડિયન્સ, મજબૂરીમાં ફરી બદલશે કેપ્ટન, આ સ્ટારને કમાન સોંપાશે!

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 ની પોતાની 12 મી મેચ પંજાબ કિંગ્સ સામે રમશે. ધર્મશાલામાં આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ફસાયું છે. મુંબઈને ફરી નવા કેપ્ટનની જાહેરાત કરવી પડી શકે છે.

Breaking News: ધર્મશાલામાં ફસાયું મુંબઈ ઈન્ડિયન્સ, મજબૂરીમાં ફરી બદલશે કેપ્ટન, આ સ્ટારને કમાન સોંપાશે!
mumbai indians captain change Image Credit source: PTI
| Updated on: May 14, 2026 | 5:44 PM
Share

IPL 2026 ની 58મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો ધર્મશાલામાં ટકરાશે. મેચના થોડા કલાકો પહેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટેન્ડ-ઈન કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. પરિણામે ટીમને ફરી એકવાર કેપ્ટનશિપમાં ફેરફારનો સામનો કરવો પડશે. આ જવાબદારી સંભાળવા માટે બે સ્ટાર ખેલાડીઓ રેસમાં છે.

મુંબઈ ઈન્ડિયન્સ ફરી બદલશે કેપ્ટન

હાર્દિક પંડ્યા 2 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચથી પીઠના દુખાવાથી પીડાઈ રહ્યો છે. તે છેલ્લી બે મેચ રમી શક્યો નથી અને મેડિકલ ટીમે હજુ સુધી તેને સંપૂર્ણ ફિટ જાહેર કર્યો નથી. તેણે તાજેતરમાં મુંબઈમાં અલગથી ટ્રેનિંગ શરુ કરી છે, પરંતુ ધર્મશાલામાં તે ટીમ સાથે જોડાયો નથી. અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવ પણ વ્યક્તિગત કારણોસર ટીમ સાથે નથી. તે તાજેતરમાં પિતા બન્યો છે અને તેને થોડો સમય રજા આપવામાં આવી છે. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમારે છેલ્લી બે મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.

કોણ કરશે MIની કપ્તાની?

આ બે ખેલાડીઓની ગેરહાજરીનો અર્થ એ છે કે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ નવા ખેલાડીના હાથમાં રહેશે. આ રેસમાં જસપ્રીત બુમરાહ અને તિલક વર્માને મજબૂત દાવેદાર માનવામાં આવે છે. બુમરાહ 2013 થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે અને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી છે. જોકે, તેણે ક્યારેય IPLમાં ટીમની કેપ્ટનશીપ કરી નથી. આ દરમિયાન, ટીમમાં પાંચ વખતના IPL ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માનો પણ સમાવેશ થાય છે. જે ફરી MIની કપ્તાની કરી શકે છે.

MI પ્લેઓફની રેસમાંથી બહાર

મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયું છે, તેથી ટીમ યુવા ખેલાડીઓને તક આપવા અને બાકીની મેચોમાં કેટલાક ખેલાડીઓને આરામ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે વર્તમાન સિઝનમાં કુલ 11 મેચ રમી છે, જેમાં ફક્ત ત્રણમાં જ જીત મેળવી છે. તેઓ આઠ મેચ હારી ગયા છે, જેના કારણે તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયા છે. મુંબઈને હવે તેની છેલ્લી ત્રણ મેચ પંજાબ, કોલકાતા અને રાજસ્થાન સામે રમવાની છે.

Breaking News: વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમશે, તિલક વર્મા બન્યો કેપ્ટન, ODI ટીમની જાહેરાત

Follow Us
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો
દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો
ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ
ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ
UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો
UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
g clip-path="url(#clip0_868_265)">