IND vs ENG: વિરાટ કોહલી પછી આ ખેલાડીઓ પણ આખી શ્રેણીમાંથી બહાર! ટીમ ઈન્ડિયા પર નવી મુશ્કેલી

ટીમ ઈન્ડિયા પહેલાથી જ તેના કેટલાક ખેલાડીઓની ઉપલબ્ધતા સાથે સંઘર્ષ કરી રહી છે. વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો જ્યારે રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે છેલ્લી ટેસ્ટમાં રમી શક્યા ન હતા. રાહુલ ફિટ પરત ફરવાની સ્થિતિમાં હોય તેમ લાગે છે પરંતુ જાડેજા અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. આ બધા વચ્ચે વધુ એક સ્ટાર ખેલાડીના ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

IND vs ENG: વિરાટ કોહલી પછી આ ખેલાડીઓ પણ આખી શ્રેણીમાંથી બહાર! ટીમ ઈન્ડિયા પર નવી મુશ્કેલી
Virat Kohli & Shreyas Iyer
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 1:27 PM

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બરાબરી કર્યા બાદ ટીમ ઈન્ડિયાનું મનોબળ ઉંચુ છે, પરંતુ તેમના માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં રમે તેવી શક્યતા નથી અને હવે બીજા સમાચાર આવી રહ્યા છે કે શ્રેયસ અય્યર પણ આખી શ્રેણીમાંથી બહાર થઈ જશે. અહેવાલો અનુસાર, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને પીઠની સમસ્યા થઈ ગઈ છે, જેના કારણે તેના શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થવાની સંભાવના વધી ગઈ છે.

શ્રેયસ અય્યરનું આગામી 3 મેચમાં રમવું મુશ્કેલ

શ્રેયસ અય્યર હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ અને બીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ-11નો ભાગ હતો. બીજી ટેસ્ટ મેચ બાદ જ તેણે ટીમ મેનેજમેન્ટને તેની સમસ્યા વિશે જાણ કરી હતી. એક અહેવાલ મુજબ, શ્રેયસે ટીમ મેનેજમેન્ટને કહ્યું કે તેને લાંબા સમયથી બેટિંગ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ‘ફોરવર્ડ ડિફેન્સ’ રમતી વખતે અય્યરને પીઠની જકડાઈ અને કમરમાં દુખાવો થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ગયા વર્ષે સર્જરી, હવે ફરી દુખાવો શરૂ થયો

શ્રેયસ અય્યરની પીઠનો દુખાવો નવી વાત નથી. ગયા વર્ષે જાન્યુઆરીમાં તેને આ સમસ્યા થઈ હતી, જેના કારણે તે કેટલીક મેચ રમી શક્યો નહોતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પણ ચૂકી ગયો હતો. ટેસ્ટ શ્રેણીમાં તે પાછો ફર્યો હતો પરંતુ પીઠના દુખાવાના કારણે ચોથી ટેસ્ટમાં ફરી મેદાનમાં ઉતર્યો ન હતો. આવી સ્થિતિમાં તેને પીઠની સર્જરી કરાવવી પડી અને તેના કારણે તે IPL 2023માં પણ રમી શક્યો નહીં.

બેંગલુરુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે પીઠની સર્જરી પછી શ્રેયસને આ પ્રકારનો દુખાવો પહેલીવાર થયો છે અને તેથી તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં શ્રેયસ માટે શ્રેણીની બાકીની 3 મેચમાં રમવું મુશ્કેલ જણાય છે. તેણે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં જવું પડશે, જ્યાં તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિકવરીની પ્રક્રિયામાંથી પસાર થશે અને પછી IPL માટે ફિટ થવાનો પ્રયાસ કરશે.

શ્રેયસનું નિરાશાજનક પ્રદર્શન

ટેસ્ટ શ્રેણીની બંને મેચ શ્રેયસ માટે સારી સાબિત થઈ ન હતી. ભારતીય બેટ્સમેને 4 ઈનિંગ્સમાં માત્ર 104 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન પહેલાથી જ મુશ્કેલ દેખાઈ રહ્યું હતું. હવે તેની બહાર નીકળવાથી બોર્ડની સિનિયર સિલેક્શન કમિટીએ નવા ખેલાડીઓ પર જ દાવ લગાવવો પડશે. પસંદગી સમિતિ શુક્રવાર, 9 ફેબ્રુઆરીએ બાકીની 3 મેચો માટે ટીમની જાહેરાત કરશે, જેમાં યુવા બેટ્સમેન સરફરાઝને જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: IND vs ENG ટેસ્ટ સિરીઝ વચ્ચે T20 લીગ રમવા ગયો આ ખેલાડી, ઈંગ્લેન્ડનો ચોંકાવનારો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">