Gandhinagar : “દાલ મેં કુછ કાલા હૈ” વિપક્ષે ગૃહમાં કેમ કર્યો દેકારો ?

Gandhinagar : વિધાનસભામાં સતત બીજા દિવસે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિપક્ષે ગરીબોને અપાતી તુવેરદાળમાં સરકાર કટકી કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Gandhinagar : દાલ મેં કુછ કાલા હૈ વિપક્ષે ગૃહમાં કેમ કર્યો દેકારો ?
તુવેરદાળ-ફાઇલ
Follow Us:
| Updated on: Mar 20, 2021 | 2:47 PM

Gandhinagar : વિધાનસભામાં સતત બીજા દિવસે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિપક્ષે ગરીબોને અપાતી તુવેરદાળમાં સરકાર કટકી કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. અને, તુવેરદાળમાં સરકાર નફાખોરી કરતી હોવાના મુદ્દે વિપક્ષના સવાલોને કારણે સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઇ હતી. કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે પુરાવા સાથે પ્રશ્નો કર્યા હતા. જેથી કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અટવાઇ પડયા હતા. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થિતિને સંભાળવી પડી હતી.

કોંગ્રેસ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલ કર્યો કે સરકાર પ્રતિ કિલો રૂ. 39 ભાવે તુવેર દાળની ખરીદી કરે છે. અને, આ-જ તુવેરદાળને ગરીબોને 61 રૂપિયામાં વિતરણ કરાય છે. તો તુવેરદાળના કિલોએ 22 રૂપિયા લેખે ગરીબો પાસેથી સરકાર નફો રળે છે. આ મામલે પ્રથમ તો સરકારે તુવેર દાળની ખરીદીનો ઇન્કાર કર્યો હતો. જે મામલે કોંગ્રેસના શૈલેષ પરમારે પુરાવો રજુ કર્યો હતો. જેમાં પુરવઠા નિગમની તુવેરદાળની ખરીદીના ભાવ સ્પષ્ટ રીતે દર્શાવતો ઠરાવ પુરાવા રૂપે રજૂ કર્યો હતો. તો કોંગ્રેસના પરેશ ધાનાણીએ કહ્યું કે આ પરિપત્રને મહિનો પણ થયો નથી છતાં સરકાર આ વાતને સ્વીકારવા તૈયાર નથી, તો પછી આ કંઇ સરકાર મલાઇ ખાઇ જાય છે ? ધાનાણીના આવા કટાક્ષની સાથે જ મુખ્યપ્રધાન સહિતના બંને પક્ષના તમામ નેતાઓ ગૃહમાં ઉભા થઇ ગયા હતા. અને, વિપક્ષે તુવેરદાળમાં કંઇક કાળું છે એવા સૂત્રોથી ગૃહ ગજવી મુક્યું હતું.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મુખ્યપ્રધાન રૂપાણી થયા લાલઘૂમ

આમ, અપૂરતી તૈયારીને કારણે વિપક્ષના આક્રમક વલણને કારણે સરકારના પ્રધાનો ઘેરાઇ ગયા હતા. આ મુદ્દે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા કોઇ જવાબ આપી શક્યા ન હતા. જેથી મુખ્યપ્રધાન રૂપાણી રીતસરના અકળાઇ ગયા હતા. અને મુખ્યપ્રધાનના શારીરિક હાવભાવ જોતા જ કહી શકાય કે તેઓ રાદડીયા અને સચિવ પર લાલઘૂમ થઇ ગયા હતા.

કેબિનેટ મંત્રી વારંવાર જવાબ બદલવાથી ફસાયા

આ મુદ્દે રાદડિયા વારંવાર જવાબ બદલી રહ્યા હતા. જેથી સરકાર ફસાઈ ગઇ હતી. પહેલા કહ્યું કે સરકાર દાળ ખરીદતી જ નથી. પછી કહ્યું નાફેડ પાસેથી લઇ પ્રોસેસ કરાવી આપીએ છીએ. પછી કહ્યું પરિપત્ર પ્રમાણેના ભાવે ખરીદી થઇ નથી. આમ, મંત્રીના વારંવાર બદલાતા સુરને કારણે સરકાર વિપક્ષ સામે લાચાર દેખાઇ હતી.

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">