દરેક દેશમાં, કાયદાઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે - ફોજદારી અને દીવાની. ફોજદારી કાયદો, ચોરી, હત્યા અથવા હિંસા જેવા કેસોમાં લાગુ પડે છે. આમાં બધા ધર્મો અને સમુદાયો માટે સમાન નિયમો અને સજાઓ છે. નાગરિક કાયદો લગ્ન, છૂટાછેડા, મિલકતના વિવાદો જેવા વ્યક્તિગત બાબતો પર લાગુ પડે છે. જે રિવાજો અને પરંપરાઓ પર આધારિત છે.
યુસીસીના અમલીકરણ પછી હવે બધા ધર્મો માટે લગ્નની લઘુત્તમ ઉંમર છોકરાઓ માટે 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ હશે. અત્યાર સુધી મુસ્લિમ કાયદામાં એક અલગ વ્યવસ્થા હતી. ઉપરાંત, લગ્ન નોંધણી ફરજિયાત રહેશે.
યુસીસીના અમલીકરણ પછી હવે છૂટાછેડા માટેની પ્રક્રિયા અને આધારો અલગ અલગ ધર્મોમાં અલગ અલગ હતા. ઉદાહરણ તરીકે, હિન્દુ ધર્મમાં, 6 મહિનાનો સમયગાળો અલગતા માટે જરૂરી છે, જ્યારે ખ્રિસ્તી સમુદાયમાં આ સમયગાળો 2 વર્ષનો છે. હવે યુસીસી હેઠળ, છૂટાછેડા માટેના નિયમો અને પ્રક્રિયાઓ સૌ કોઈ માટે એકસમાન રહેશે.
યુસીસીના અમલીકરણ પછી મુસ્લિમ સમુદાયમાં હવે બહુપત્નીત્વ અને હલાલાની પ્રથાનો અંત આવશે. જો પહેલી પત્નીના છૂટાછેડા થઈ ગયા હોય અથવા તે હયાત ના હોય તો જ બીજા લગ્નની મંજૂરી આપવામાં આવશે.
યુસીસીના અમલીકરણ પછી હવે બધા ધર્મોની દીકરીઓને તેમના માતાપિતાની મિલકતમાં સમાન અધિકાર મળશે. હાલમાં આ જોગવાઈ ફક્ત હિન્દુ છોકરીઓ માટે જ હતી.
યુસીસીના અમલીકરણ અગાઉ, મુસ્લિમ મહિલાઓ બાળકોને દત્તક લઈ શકતી ના હતી. યુસીસીના અમલીકરણ પછી, બધા ધર્મોની મહિલાઓને બાળકો દત્તક લેવા માટે સમાન અધિકારો મળશે.
લિવ-ઇન રિલેશનશિપ માટે પણ યુસીસીના અમલીકરણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બધા લોકોને લાગુ પડશે, પછી ભલે તેઓ ઉત્તરાખંડના રહેવાસી હોય કે ના હોય. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે, બંને પુખ્ત વયના હોવા જોઈએ અને તેમની વચ્ચે કોઈ લોહીનો સંબંધ કે કૌટુંબિક સંબંધ ના હોવો જોઈએ.