ઉત્તરાખંડમાં UCC લાગુ, જાણો હવે કોના માટે કેવો બદલાવ આવશે ?

ઉત્તરાખંડ રાજ્યમાં ગઈકાલ, 27 જાન્યુઆરી, સોમવારથી સમાન નાગરિક સંહિતા એટલે કે UCC અમલમાં આવી ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સત્તાવાર પોર્ટલ લોન્ચ કરતી વખતે આ જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ, ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ચાલો જાણીએ કે UCC ના કારણે ઉત્તરાખંડમાં શું બદલાવ આવશે?

| Edited By: | Updated on: Jan 28, 2025 | 2:45 PM
4 / 7
યુસીસીના અમલીકરણ પછી મુસ્લિમ સમુદાયમાં હવે બહુપત્નીત્વ અને હલાલાની પ્રથાનો અંત આવશે. જો પહેલી પત્નીના છૂટાછેડા થઈ ગયા હોય અથવા તે હયાત ના હોય તો જ બીજા લગ્નની મંજૂરી આપવામાં આવશે.

યુસીસીના અમલીકરણ પછી મુસ્લિમ સમુદાયમાં હવે બહુપત્નીત્વ અને હલાલાની પ્રથાનો અંત આવશે. જો પહેલી પત્નીના છૂટાછેડા થઈ ગયા હોય અથવા તે હયાત ના હોય તો જ બીજા લગ્નની મંજૂરી આપવામાં આવશે.

5 / 7
યુસીસીના અમલીકરણ પછી હવે બધા ધર્મોની દીકરીઓને તેમના માતાપિતાની મિલકતમાં સમાન અધિકાર મળશે. હાલમાં આ જોગવાઈ ફક્ત હિન્દુ છોકરીઓ માટે જ હતી.

યુસીસીના અમલીકરણ પછી હવે બધા ધર્મોની દીકરીઓને તેમના માતાપિતાની મિલકતમાં સમાન અધિકાર મળશે. હાલમાં આ જોગવાઈ ફક્ત હિન્દુ છોકરીઓ માટે જ હતી.

6 / 7
યુસીસીના અમલીકરણ અગાઉ, મુસ્લિમ મહિલાઓ બાળકોને દત્તક લઈ શકતી ના હતી. યુસીસીના અમલીકરણ પછી, બધા ધર્મોની મહિલાઓને બાળકો દત્તક લેવા માટે સમાન અધિકારો મળશે.

યુસીસીના અમલીકરણ અગાઉ, મુસ્લિમ મહિલાઓ બાળકોને દત્તક લઈ શકતી ના હતી. યુસીસીના અમલીકરણ પછી, બધા ધર્મોની મહિલાઓને બાળકો દત્તક લેવા માટે સમાન અધિકારો મળશે.

7 / 7
લિવ-ઇન રિલેશનશિપ માટે પણ યુસીસીના અમલીકરણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બધા લોકોને લાગુ પડશે, પછી ભલે તેઓ ઉત્તરાખંડના રહેવાસી હોય કે ના હોય. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે, બંને પુખ્ત વયના હોવા જોઈએ અને તેમની વચ્ચે કોઈ લોહીનો સંબંધ કે કૌટુંબિક સંબંધ ના હોવો જોઈએ.

લિવ-ઇન રિલેશનશિપ માટે પણ યુસીસીના અમલીકરણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બધા લોકોને લાગુ પડશે, પછી ભલે તેઓ ઉત્તરાખંડના રહેવાસી હોય કે ના હોય. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે, બંને પુખ્ત વયના હોવા જોઈએ અને તેમની વચ્ચે કોઈ લોહીનો સંબંધ કે કૌટુંબિક સંબંધ ના હોવો જોઈએ.