ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલમાં રામ મંદિરની ગૂંજ સાંભળવા મળી રહી છે. અયોધ્યામાં રામ લલ્લાને વિરાજમાન જોઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલીક વિદેશી હસ્તી પણ રામ ભક્તિમાં લીન જોવા મળી રહી છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યુ છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની સીરિઝમાં કેવિન પીટરસન કમેન્ટેટર તરીકે જોવા મળશે. તેણે રામ ભક્તિમાં લીન થઈને ટ્વિટર પર લખ્યું છે - જય શ્રી રામ
કેવિન પીટરસન એ વિદેશી ખેલાડીઓમાંથી એક છે જેને ભારતમાં ખુબ પસંદ કરવામાં આવે છે. તે આઈપીએલમાં કમેન્ટ્રી કરતા પણ જોવા મળે છે. ટેસ્ટ સીરિઝ પહેલા તેણે જય શ્રી રામના નારા લગાવીને સૌનું દિલ જીતી લીધું છે.
વિરાટ કોહલીએ પ્રથમ 2 ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત ખેંચ્યુ છે. વ્યક્તિગત કારણોસર બે ટેસ્ટમાંથી બ્રેક લેતા લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. પણ કેવિન પીટરસનને તેનું સમર્થન કર્યુ હતુ.