અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની હેરિટેજ થીમ પર થશે કાયાપલટ, જુઓ ફોટા

અમદાવાદ શહેરની ધીરે ધીરે કાયાપલટ પણ થઈ રહી છે, ત્યારે અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન પણ હવે એક નવા રંગરૂપમાં આકાર લેવા જઈ રહ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. કાલુપુર રેલવે સ્ટેશનથી રોજ લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. ત્યારે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનની કાયપલટ થશે.

| Edited By: | Updated on: Feb 23, 2024 | 7:38 PM
4 / 8
બીજી તરફ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે. જેમાં પહેલા 6 માળમાં પાર્કિંગ, જેની ઉપર 4થી 5 માળમાં રેલવે ઓફિસર્સની ઓફીસ અને બાદમાં તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે હોટલો બનાવવામાં આવશે.

બીજી તરફ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે. જેમાં પહેલા 6 માળમાં પાર્કિંગ, જેની ઉપર 4થી 5 માળમાં રેલવે ઓફિસર્સની ઓફીસ અને બાદમાં તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે હોટલો બનાવવામાં આવશે.

5 / 8
આ આખો પ્રોજેક્ટ એરીયા 35 એકરનો છે. બે મહિના પહેલા કોન્ટ્રાક્ટ થયો હતો, જે બાદ કામ શરૂ પણ કરવામાં આવ્યું છે. હાલ જે સ્ટેશન છે તે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. નવા સ્ટેશનમાં એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે.

આ આખો પ્રોજેક્ટ એરીયા 35 એકરનો છે. બે મહિના પહેલા કોન્ટ્રાક્ટ થયો હતો, જે બાદ કામ શરૂ પણ કરવામાં આવ્યું છે. હાલ જે સ્ટેશન છે તે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. નવા સ્ટેશનમાં એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે.

6 / 8
નવા રેલવે સ્ટેશનની રૂપિયા 2390 કરોડના ખર્ચે કાયાપલટ થશે. સ્ટેશનની ડિઝાઇન હેરિટેજ થીમ પર તૈયાર કરવામાં આવશે. કોનકોર્સ એરીયા ડિઝાઇન કરીને બનાવાયું છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત અને મુશ્કેલી એ છે કે રેલવે વ્યવહાર પણ શરૂ રાખવાનો છે અને કામ પણ કરવાનું છે. જેના માટે પણ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તબક્કા વાર કામગીરી કરવામાં આવશે.

નવા રેલવે સ્ટેશનની રૂપિયા 2390 કરોડના ખર્ચે કાયાપલટ થશે. સ્ટેશનની ડિઝાઇન હેરિટેજ થીમ પર તૈયાર કરવામાં આવશે. કોનકોર્સ એરીયા ડિઝાઇન કરીને બનાવાયું છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત અને મુશ્કેલી એ છે કે રેલવે વ્યવહાર પણ શરૂ રાખવાનો છે અને કામ પણ કરવાનું છે. જેના માટે પણ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તબક્કા વાર કામગીરી કરવામાં આવશે.

7 / 8
હાલમાં રેલ્વે સ્ટેશન પર દરરોજ 1.5 લાખ મુસાફરોની અવર જવર રહે છે. જે આગામી સમયમાં ત્રણ લાખ મુસાફરોને ધ્યાને રાખીને સ્ટેશનની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે.

હાલમાં રેલ્વે સ્ટેશન પર દરરોજ 1.5 લાખ મુસાફરોની અવર જવર રહે છે. જે આગામી સમયમાં ત્રણ લાખ મુસાફરોને ધ્યાને રાખીને સ્ટેશનની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે.

8 / 8
કાલુપુર સ્ટેશનને નવા રંગરૂપ આપવા સ્ટેશન ડેવલોપમેન્ટ ઓથોરિટી કામ કરે છે. દિલ્હી, અમદાવાદ, સીએસએમટી એમ ત્રણ આઇકોનિક સ્ટેશન બનવાના છે. જેનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. બ્રાઉન પ્રોજેક્ટ થકી બધી બાબતોને ધ્યાને રાખીને કન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

કાલુપુર સ્ટેશનને નવા રંગરૂપ આપવા સ્ટેશન ડેવલોપમેન્ટ ઓથોરિટી કામ કરે છે. દિલ્હી, અમદાવાદ, સીએસએમટી એમ ત્રણ આઇકોનિક સ્ટેશન બનવાના છે. જેનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. બ્રાઉન પ્રોજેક્ટ થકી બધી બાબતોને ધ્યાને રાખીને કન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

Published On - 7:34 pm, Fri, 23 February 24