26મી જાન્યુઆરીને જ કેમ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જાણો કારણ

|

Jan 26, 2020 | 3:12 AM

71મો પ્રજાસત્તાક દિવસ આજે દેશ ઉજવી રહ્યો છે. દેશના નાનકડા ગામથી માંડીને દિલ્હીની રાજધાની સુધી લોકો ત્રિરંગાને સલામી આપશે. શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવા માટે છે? શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસની પહેલી ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? અમે તેના વિશે પણ આજે આ ખબરમાં જાણકારી આપીશું. Facebook પર તમામ […]

26મી જાન્યુઆરીને જ કેમ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જાણો કારણ

Follow us on

71મો પ્રજાસત્તાક દિવસ આજે દેશ ઉજવી રહ્યો છે. દેશના નાનકડા ગામથી માંડીને દિલ્હીની રાજધાની સુધી લોકો ત્રિરંગાને સલામી આપશે. શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવા માટે છે? શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસની પહેલી ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? અમે તેના વિશે પણ આજે આ ખબરમાં જાણકારી આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દેશ આઝાદ થયો અને બાદમાં જરૂર હતી કે દેશને એક સંવિધાન મુજબ ચલાવી શકાય. આ માટે સંવિધાન સભાની રચના કરવામાં આવી. આ સભાના અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરને પસંદ કરવામાં આવ્યા. તેઓને સંવિધાનની પ્રારુપ સમિતિના અધ્યક્ષ તરીકેનું કામ સોંપવામાં આવ્યું. દેશનું સંવિધાન 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં તૈયાર થયું અને આ સંવિધાન 16 નવેમ્બર, 1949ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યું. જો કે આ સંવિધાનમાં અમુક સુધારાઓ હતા અને તેના લીધે ફરીથી ચર્ચા વિચારણા કરવામાં આવી. 24 જાન્યુઆરીના રોજ આ સંવિધાન પર દેશના 309 સદસ્યોએ હસ્તાક્ષર કર્યા અને 26મી જાન્યુઆરી, 1950ના દિવસે દેશભરમાં આ સંવિધાન લાગુ થયું. આમ આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રજાસત્તાક દિવસની પહેલી પરેડનું આયોજન દિલ્હીના રાજપથ ખાતે કરવામાં આવ્યું નહોતું. શરૂઆતમાં અલગ અલગ જગ્યાએ પરેડનું આયોજન કરવામાં આવતું હતું. વર્ષ 1951માં જે પહેલી પ્રજાસત્તાક દિવસની પરેડ હતી તે ઈરવીન સ્ટેડિયમ(નેશનલ સ્ટેડિયમ)માં આયોજીત કરવામાં આવી હતી. બાદમાં દિલ્હીના રાજપથ ખાતે પરેડનું આયોજન કરવાનું ચલણ ભારતમાં આવ્યું. આમ દેશનું સંવિધાન જે દિવસે લાગૂ થયું તેને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:05 am, Sun, 26 January 20

Next Article