દબાણ આવતાં જ યુ-ટર્ન લઈ લે છે…રાહુલ ગાંધીએ નીતિશ કુમાર પર તોડ્યું મૌન

|

Jan 30, 2024 | 5:09 PM

રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ઈન્ડિયા ગઠબંધન સાથેના સંબંધો તોડીને ફરીથી NDAમાં સામેલ થવા પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે દબાણ આવતા જ તે યુ-ટર્ન લઈ લે છે. ઓબીસી સમાજ દેશનો સૌથી મોટો સમાજ છે. પરંતુ આજે હું તમને પૂછું છું કે આ દેશમાં ઓબીસીની વસ્તી કેટલી છે, તમે આનો જવાબ આપી શકતા નથી.

દબાણ આવતાં જ યુ-ટર્ન લઈ લે છે...રાહુલ ગાંધીએ નીતિશ કુમાર પર તોડ્યું મૌન

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના સીએમ નીતિશ કુમારના ફરીથી NDAમાં સામેલ થવા પર ટિપ્પણી કરી છે. પૂર્ણિયામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાવ પડે અને તેઓ તરત જ યુ-ટર્ન લઈ લે છે. શા માટે દબાણ હતું કારણ કે અમે તમારા અધિકારો માટે કામ કરી રહ્યા છીએ. આ દેશમાં વિવિધ વર્ગના લોકો છે.

પછાત જાતિના લોકો, દલિતો અને અન્ય જાતિના લોકો છે. ઓબીસી સમાજ દેશનો સૌથી મોટો સમાજ છે. પરંતુ આજે હું તમને પૂછું છું કે આ દેશમાં ઓબીસીની વસ્તી કેટલી છે, તમે આનો જવાબ આપી શકતા નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તેમણે કહ્યું કે હું તમને કહીશ કે નીતિશ ક્યાં અટવાયેલા છે, મેં નીતિશને કહ્યું કે તમારે જાતિ ગણતરી કરાવવી પડશે. અમે અને આરજેડીએ દબાણ કરીને આ કામ કરાવ્યું. ભાજપ નથી ઈચ્છતી કે જાતિની વસ્તી ગણતરી થાય. નીતિશની તે જરૂરત નહોતી, અમે અહીં સાથે મળીને કામ કરીશું. અહીં અમારું ગઠબંધન સાથે મળીને કામ કરશે.

સરકારમાં ઓબીસી-દલિતની ભાગીદારી નથી

તેમણે કહ્યું કે સરકારમાં ઓબીસી કે દલિતની કોઈ ભાગીદારી નથી. ભારતની સૌથી મોટી કંપનીઓની લિસ્ટ કાઢો અને તેમાં તમને એક પણ દલિત, આદિવાસી કે પછાત વર્ગ નહીં મળે. ભારતના દલિતો અને પછાત લોકોને ન્યાય નથી મળી રહ્યો. ભારતના એક્સ-રેનો સમય આવી ગયો છે. તે પછી એમઆરઆઈ પણ કરી શકાય છે.

 

રાહુલ ગાંધીએ કહ્યું કે એકવાર લોકોની ગણતરી કરવામાં આવે તો કોની કેટલી વસ્તી છે. જણાવી દઈએ કે આમાં ઘણા ગરીબો છે, ઘણા મજૂરો છે, ઘણા દલિતો છે. સામાજિક ન્યાયનું પહેલું પગલું દેશનો એક્સ-રે કરવાનું છે.

આ પણ વાંચો: અમે બેરીકેટ્સ તોડ્યા, પણ કાયદો તોડીશું નહીં, આસામમાં બોલ્યા રાહુલ ગાંધી, હિમંતાએ FIR નોંધવાનો આપ્યો આદેશ

Next Article