AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમે બેરીકેટ્સ તોડ્યા, પણ કાયદો તોડીશું નહીં, આસામમાં બોલ્યા રાહુલ ગાંધી, હિમંતાએ FIR નોંધવાનો આપ્યો આદેશ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે તેમને વિદ્યાર્થીઓને મળવા દેવામાં ન આવ્યા. રાહુલે કહ્યું કે આમ છતાં વિદ્યાર્થીઓ તેમને મળવા આવ્યા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર ગુવાહાટીમાં ટ્રાફિક જામનો આરોપ લગાવતા તેમની સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

અમે બેરીકેટ્સ તોડ્યા, પણ કાયદો તોડીશું નહીં, આસામમાં બોલ્યા રાહુલ ગાંધી, હિમંતાએ FIR નોંધવાનો આપ્યો આદેશ
| Updated on: Jan 23, 2024 | 3:52 PM
Share

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને મંગળવારે ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. યાત્રા અટકાવી દેવાયા બાદ કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા અને વિરોધમાં ત્યાં લગાવેલા બેરિકેડ તોડી નાખ્યા હતા.

વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કોંગ્રેસ સમર્થકોને આગળ વધતા રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. હોબાળા બાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર ગુવાહાટીમાં ટ્રાફિક જામનો આરોપ લગાવતા તેમની સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

‘બજરંગ દળ અને જેપી નડ્ડા આ રસ્તેથી ગયા હતા’

આ પ્રસંગે લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘બજરંગ દળ આ માર્ગ પરથી પસાર થયું હતું. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની રેલી પણ આ જ રૂટ પર યોજાઈ હતી. અહીં બેરિકેડ હતી, અમે બેરિકેડ તોડી નાખ્યા પણ અમે કાયદો નહીં તોડીએ. અમને નબળા ન સમજો. આ કોંગ્રેસના કાર્યકરોની તાકાત છે.

આસામના લોકોને દબાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથેનો મારો સંપર્ક રદ કરવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા મને વિદ્યાર્થીઓને મળવા દેવામાં ન આવે તેવું કહેવા છતાં તે મને મળવા બહાર આવ્યા હતા. મારો સંદેશ છે કે કોંગ્રેસના કાર્યકરો ભાજપ અને આરએસએસથી ડરતા નથી.

‘અમે અહીં સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી હિમંતા સામે લડવા આવ્યા છીએ’

રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું જાણું છું કે અધિકારીઓને તેમની ફરજ બજાવવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ન્યાય થવો જોઈએ. અમે અહીં તમારી સાથે લડવા નથી આવ્યા, અમે તમને પ્રેમ કરીએ છીએ. અમે અહીં આસામના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી હિમંતા સામે લડવા આવ્યા છીએ.’ અગાઉ ખાનાપરામાં ગુવાહાટી ચોક ખાતે વિશાળ ભીડ એકઠી થઈ હતી અને રાહુલ ગાંધીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આસામ કોંગ્રેસના પ્રભારી જિતેન્દ્ર સિંહે કહ્યું, ‘અમે બેરિકેડ તોડીને જીત્યા છીએ.’ સોમવારે મેઘાલયમાં પ્રવેશ્યા બાદ, આ ભાગમાં યાત્રા રાજ્યના સૌથી મોટા શહેર ગુવાહાટીની બહારના વિસ્તારમાંથી પસાર થઈને તેના અંતિમ ચરણ માટે આસામ પરત ફરી હતી. આસામમાં આ યાત્રા ગુરુવાર સુધી ચાલુ રહેશે.

‘અમે તમારા નેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધી રહ્યા છીએ’

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસના ટ્વીટના જવાબમાં લખ્યું કે, ‘તેઓ આસામી સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવી ‘નકસલવાદી રણનીતિ’ આપણી સંસ્કૃતિથી સાવ અલગ છે. મેં આસામના ડીજીપીને તમારા નેતા રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ દાખલ કરવા સૂચના આપી છે.

તમે પુરાવા તરીકે તમારા હેન્ડલ પર ફૂટેજ પોસ્ટ કરી ચૂક્યા છો. તમારા દ્વારા સર્જાયેલી અરાજકતા અને માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે, ગુવાહાટીમાં હવે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ છે.

આ પણ વાંચો: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરમાં જવા માટે ધરણા પર ઉતર્યા રાહુલ ગાંધી, જાણો કારણ ?

g clip-path="url(#clip0_868_265)">