માફી માગે રાહુલ…OBC મુદ્દે ભાજપના સાંસદ નરહરી અમીને કોંગ્રેસને બતાવ્યો અરીસો, ચારે બાજુથી ઘેરાયા રાહુલ ગાંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને કરેલી ટિપ્પણી બાદ રાહુલ ગાંધી ચારે તરફથી ઘેરાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ નરહરી અમીને તથ્યોને સામે રાખતા રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એમપણ કહ્યુ કે રાહુલ ગાંધી રોજ એક નવુ જુઠાણુ વેચે છે.

Follow Us:
| Updated on: Feb 09, 2024 | 7:01 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને કરેલી ટિપ્પણી બાદ રાહુલ ગાંધી ચારે તરફથી ઘેરાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ નરહરી અમીને તથ્યોને સામે રાખતા રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એમપણ કહ્યુ કે રાહુલ ગાંધી રોજ એક નવુ જુઠાણુ વેચે છે.

ઓબીસી મુદ્દે પીએમ મોદી પર રાહુલ ગાંધીએ કરેલા નિવેદન પર ઘમાસાણ છેડાયુ છે. ભાજપના નેતાઓએ તેના પર આકરી પ્રતિક્રિયા આપી રાહુલ ગાંધીને માફી માગવા જણાવ્યુ છે. ભાજપ સાંસદ નરહરી અમીને સોશિયલ મીડિયા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. નરહરી અમીને જણાવ્યુ છે કે રાહુલ ગાંધી જુઠાણુ ફેલાવી રહ્યા છે. તેમણે લખ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસની સરકારના કાર્યકાળમાં હું ડેપ્યુટી સીએમ હતો. 25 જુલાઈ 1994એ ગુજરાત સરકારે મોઢ ઘાંચી જ્ઞાતિને ઓબીસી તરીકે જાહેર કરી. તેમણે જણાવ્યુ કે આપણા પીએમ મોદી આ સમુદાયમાંથી આવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ભાજપના સાંસદ નરહરી અમીને તેમના સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે પીએમ મોદી ત્યારથી ઓબીસી વર્ગ સાથે નાતો રાખે છે જ્યારે તેઓ મુખ્યમંત્રી તો દૂર પણ ધારાસભ્ય પણ ન હતા. આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ કે રાહુલ ગાંધી તાત્કાલિક તેમની ટિપ્પણી પરત લે. રાહુલે ઓબીસી સમુદાયનું અપમાન કરવાનું બંધ કરવુ જોઈએ અને તુરંત માફી માગવી જોઈએ.

ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ પર લગાવ્યો જુઠાણુ ફેલાવવાનો આરોપ

આ તરફ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ રાહુલ ગાંધી પર તુરંત પલટવાર કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. તેમણે જણાવ્યુ કે રાહુલ ગાંધીનુ વધુ એક જુઠાણુ ઉજાગર થયુ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લખ્યુ કે રાહુલ ગાંધી ખરેખર અણસમજુ છે અથવા તો તેને એવુ લાગે છે કે વારંવાર જુઠુ બોલવાથી લોકો તે જુઠને જ સાચુ માની લેશે.

આટલેથી ન અટક્તા કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધીને ટેગ કરતા લખ્યુ છે કે રાહુલ ગાંધી સૌપ્રથમ તો આપ આપની સાથે ન્યાય કરો. આ પ્રકારે રોજ જુઠુ બોલશો અને વેચશો તો એ દિવસ દૂર નથી જ્યારે આપ માત્ર હાસ્ય, વ્યંગ્ય અને મનોરંજન સુધી જ સિમીત રહી જશો.

આ પણ વાંચો: 48 વર્ષ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસને કહી અલવિદા, બાંદ્રાથી ત્રણવાર રહી ચુક્યા છે ધારાસભ્ય

પીએમ મોદીને લઈને શું કહ્યુ હતુ રાહુલ ગાંધીએ?

આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે પીએમ મોદી જન્મથી ઓબીસી નથી. તેમને ગુજરાત ભાજપે વર્ષ 2000માં ઓબીસી બનાવ્યા હતા. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદી સામાન્ય વર્ગમાં જન્મ્યા હતા. રાહુલ ગાંધીએ એ પણ આરોપ લગાવ્યો કે આ કારણથી જ મોદી ક્યારેય જાતિય જનગણના થવા નહીં દે.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">