માફી માગે રાહુલ…OBC મુદ્દે ભાજપના સાંસદ નરહરી અમીને કોંગ્રેસને બતાવ્યો અરીસો, ચારે બાજુથી ઘેરાયા રાહુલ ગાંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને કરેલી ટિપ્પણી બાદ રાહુલ ગાંધી ચારે તરફથી ઘેરાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ નરહરી અમીને તથ્યોને સામે રાખતા રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એમપણ કહ્યુ કે રાહુલ ગાંધી રોજ એક નવુ જુઠાણુ વેચે છે.

Follow Us:
| Updated on: Feb 09, 2024 | 7:01 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને કરેલી ટિપ્પણી બાદ રાહુલ ગાંધી ચારે તરફથી ઘેરાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ નરહરી અમીને તથ્યોને સામે રાખતા રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એમપણ કહ્યુ કે રાહુલ ગાંધી રોજ એક નવુ જુઠાણુ વેચે છે.

ઓબીસી મુદ્દે પીએમ મોદી પર રાહુલ ગાંધીએ કરેલા નિવેદન પર ઘમાસાણ છેડાયુ છે. ભાજપના નેતાઓએ તેના પર આકરી પ્રતિક્રિયા આપી રાહુલ ગાંધીને માફી માગવા જણાવ્યુ છે. ભાજપ સાંસદ નરહરી અમીને સોશિયલ મીડિયા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. નરહરી અમીને જણાવ્યુ છે કે રાહુલ ગાંધી જુઠાણુ ફેલાવી રહ્યા છે. તેમણે લખ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસની સરકારના કાર્યકાળમાં હું ડેપ્યુટી સીએમ હતો. 25 જુલાઈ 1994એ ગુજરાત સરકારે મોઢ ઘાંચી જ્ઞાતિને ઓબીસી તરીકે જાહેર કરી. તેમણે જણાવ્યુ કે આપણા પીએમ મોદી આ સમુદાયમાંથી આવે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ભાજપના સાંસદ નરહરી અમીને તેમના સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે પીએમ મોદી ત્યારથી ઓબીસી વર્ગ સાથે નાતો રાખે છે જ્યારે તેઓ મુખ્યમંત્રી તો દૂર પણ ધારાસભ્ય પણ ન હતા. આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ કે રાહુલ ગાંધી તાત્કાલિક તેમની ટિપ્પણી પરત લે. રાહુલે ઓબીસી સમુદાયનું અપમાન કરવાનું બંધ કરવુ જોઈએ અને તુરંત માફી માગવી જોઈએ.

ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ પર લગાવ્યો જુઠાણુ ફેલાવવાનો આરોપ

આ તરફ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ રાહુલ ગાંધી પર તુરંત પલટવાર કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. તેમણે જણાવ્યુ કે રાહુલ ગાંધીનુ વધુ એક જુઠાણુ ઉજાગર થયુ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લખ્યુ કે રાહુલ ગાંધી ખરેખર અણસમજુ છે અથવા તો તેને એવુ લાગે છે કે વારંવાર જુઠુ બોલવાથી લોકો તે જુઠને જ સાચુ માની લેશે.

આટલેથી ન અટક્તા કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધીને ટેગ કરતા લખ્યુ છે કે રાહુલ ગાંધી સૌપ્રથમ તો આપ આપની સાથે ન્યાય કરો. આ પ્રકારે રોજ જુઠુ બોલશો અને વેચશો તો એ દિવસ દૂર નથી જ્યારે આપ માત્ર હાસ્ય, વ્યંગ્ય અને મનોરંજન સુધી જ સિમીત રહી જશો.

આ પણ વાંચો: 48 વર્ષ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસને કહી અલવિદા, બાંદ્રાથી ત્રણવાર રહી ચુક્યા છે ધારાસભ્ય

પીએમ મોદીને લઈને શું કહ્યુ હતુ રાહુલ ગાંધીએ?

આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે પીએમ મોદી જન્મથી ઓબીસી નથી. તેમને ગુજરાત ભાજપે વર્ષ 2000માં ઓબીસી બનાવ્યા હતા. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદી સામાન્ય વર્ગમાં જન્મ્યા હતા. રાહુલ ગાંધીએ એ પણ આરોપ લગાવ્યો કે આ કારણથી જ મોદી ક્યારેય જાતિય જનગણના થવા નહીં દે.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">