AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

48 વર્ષ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસને કહી અલવિદા, બાંદ્રાથી ત્રણવાર રહી ચુક્યા છે ધારાસભ્ય

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે. 48 વર્ષ સુધી કોંગ્રેસના સદસ્ય રહ્યા બાદ હવે તેમણે પાર્ટીને અલવિદા કહી દીધી છે. સિદ્દીકી 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમથી ધારાસભ્ય રહી ચુક્યા છે.

48 વર્ષ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસને કહી અલવિદા, બાંદ્રાથી ત્રણવાર રહી ચુક્યા છે ધારાસભ્ય
| Updated on: Feb 08, 2024 | 11:10 PM
Share

મહારાષ્ટ્રના પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દકીએ પણ હવે કોંગ્રેસને અલવિદા કહી દીધી છે. ગુરુવારે કોંગ્રેસ પાર્ટીમાંથી તેમણે તેમનુ રાજીનામુ આપ્યુ છે. 48 વર્ષ સુધી સતત કોંગ્રેસના સદસ્ય રહ્યા બાદ હવે તેમણે પાર્ટી છોડી દીધી છે. તેમના આ નિર્ણયે સહુ કોઈને ચોંકાવી દીધા છે. રાજીનામુ આપ્યા બાદ તેમણે જણાવ્યુ કે એવુ ઘણુ છે જે તે જણાવવા માગે છે. પરંતુ કહેવાય છે કે કેટલીક વાતો વણકહેવાયેલી રહે તો જ સારુ.

48 વર્ષ બાદ બાબા સિદ્દીકીએ કોંગ્રેસ પાર્ટીને કહી અલવિદા

સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક પોસ્ટમાં પૂર્વ રાજ્યમંત્રી સિદ્દીકીએ જણાવ્યુ કે ‘એક યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થયા હતા અને 48 વર્ષો સુધી ચાલનારી આ એક મહત્વપૂર્ણ યાત્રા રહી છે. આજે તત્કાલ પ્રભાવથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામુ આપી રહ્યો છુ.’

1 ફેબ્રુઆરી ધારાસભ્ય પુત્ર જીશાન સાથે અજીત પવારને મળ્યા હતા સિદ્દીકી

બાબા સિદ્દીકીએ કહ્યુ નિર્ણય મે સમજી વિચારીને લીધો છે. જો કે હાલમાં જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તેમના નિવેદનમાં કહ્યુ હતુ કે સિદ્દીકીના મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળી પાર્ટીમાં સામેલ થવાની અટકળો છે. સિદ્દીકી અને તેમના ધારાસભ્ય પુત્ર જીશાનની એક ફેબ્રુઆરીએ પવાર સાથેની મુલાકાત બાદ આ અટકળો લગાવવામાં આવી રહી હતી.

બીએમસીના કોર્પોરેટર તરીકે શરૂઆત કરી સક્રિય રાજકારણમાં આવ્યા હતા સિદ્દીકી

બાંદ્રા પશ્ચિમથી ત્રણ વાર ધારાસભ્ય રહી ચુકેલા સિદ્દીકી પૂર્વ રાજ્યમંત્રી હતા. તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ ડિવિઝનના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેમણે રાજનીતિની શરૂઆત એક વિદ્યાર્થી નેતાના રૂપે કરી હતી અને પ્રથમવાર બીએમસીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી બનશે ફોરેન લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરનારી દેશની પ્રથમ યુનિવર્સિટી, સાત વિદેશી ભાષાના શરૂ થશે ડિગ્રી-ડિપ્લોમાં કોર્સ

વર્ષ 2014માં ભાજપના આશિષ શેલાર સામે હાર્યા હતા સિદ્દીકી

સિદ્દીકી વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યા છે. જો કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના અધ્યક્ષ આશીષ શેલાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

મહારાષ્ટ્રના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">