મણિપુરમાં પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર રોકેટ હુમલો, 1નું મોત, 5 ઘાયલ, જુઓ Video

|

Sep 06, 2024 | 10:41 PM

મણિપુરમાં થયેલા વિસ્ફોટમાં 13 વર્ષની બાળકી સહિત અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. રોકેટ INA હેડક્વાર્ટરથી લગભગ બે કિલોમીટર દૂર એક જગ્યાએ પડ્યું હતું.

મણિપુરમાં પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર રોકેટ હુમલો, 1નું મોત, 5 ઘાયલ, જુઓ Video

Follow us on

મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે બપોરે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરાયેલા બોમ્બ હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ રોકેટ પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગના નિવાસસ્થાનના પરિસરમાં પડ્યું હતું.

શુક્રવારે જિલ્લામાં આ બીજું રોકેટ છોડવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું, “વૃદ્ધ વ્યક્તિ પરિસરમાં કેટલીક ધાર્મિક વિધિઓની તૈયારી કરી રહ્યો હતો ત્યારે બોમ્બ વિસ્ફોટ થયો. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું,” અધિકારીએ જણાવ્યું.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

મોબાઇલ ફોરેન્સિક યુનિટ, DFS, મણિપુરની ટીમે બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ખાતે રોકેટ હુમલા બાદ પુરાવા એકત્રિત કર્યા. અત્યાર સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ હુમલો કયા રોકેટથી કરવામાં આવ્યો હતો. તે ક્યાં બનાવવામાં આવ્યું હતું અને તે હુમલાખોરો સુધી કેવી રીતે પહોંચ્યું?

એક સગીર સહિત પાંચ ઘાયલ

વિસ્ફોટમાં 13 વર્ષની બાળકી સહિત અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. રોકેટ INA હેડક્વાર્ટરથી લગભગ બે કિલોમીટર દૂર એક જગ્યાએ પડ્યું હતું. આઝાદ હિંદ ફૌજ (INA)ના લેફ્ટનન્ટ કર્નલ શૌકત અલીએ 14 એપ્રિલ, 1944ના રોજ મોઇરાંગ ખાતે INAના સર્વોચ્ચ કમાન્ડર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના માર્ગદર્શન હેઠળ ભારતીય ધરતી પર પ્રથમવાર સ્વતંત્ર ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આ પહેલા દિવસે રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિમી દૂર ત્રોંગલાઓબી ખાતે રોકેટ છોડવામાં આવ્યું હતું.

એક દિવસમાં બીજો બોમ્બ હુમલો

મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે સવારે શંકાસ્પદ આતંકવાદીઓએ બોમ્બ હુમલો કર્યો હતો. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે જણાવ્યું કે બોમ્બ ચુરાચંદપુર જિલ્લામાં નજીકના પહાડી વિસ્તારોમાંથી ત્રંગલાઓબીના નીચાણવાળા રહેણાંક વિસ્તાર તરફ ફેંકવામાં આવ્યા હતા. ત્રોંગલાઓબી રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિલોમીટર દૂર છે.

તેમણે કહ્યું કે હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ હુમલામાં એક સ્થાનિક કોમ્યુનિટી હોલ અને એક ખાલી રૂમને નુકસાન થયું છે. આ ઉપરાંત, શંકાસ્પદ આતંકવાદીઓએ પણ બિષ્ણુપુર જિલ્લા તરફ ગોળીબાર કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ત્રોંગલાઓબીથી થોડા કિલોમીટર દૂર કુમ્બી ગામમાં તણાવ વધી ગયો હતો, જ્યારે કેટલાંક ડ્રોન જમીનથી 100 મીટરથી ઓછી ઊંચાઈએ ફરતા જોવા મળ્યા હતા.

Published On - 10:39 pm, Fri, 6 September 24

Next Article