
Mahakumbh 2025: મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે. દેશ અને દુનિયમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર પ્રયાગરાજમાં ઉમટી પડ્યુ છે. દર 12 વર્ષે આયોજિત થનારો મહાકુંભ હિંદુ આસ્થાનું એક મોટુ પ્રતિક છે. આ એક વિશાળ અને ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ છે. મહાકુંભમાં મોટા પાયે શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે છે. માન્યતા છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહાકુંભ 2025 13 જાન્યુઆરીથી શરૂ થઈ ચુક્યુ છે અને 26 ફેબ્રુઆરીએ સમાપન થશે. વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો મહાકુંભમાં જઈ રહ્યા છે. જો તમે મહાકુંભ મેળામાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે જરૂરી વિગતો આપને અહીથી મળી જશે.
મહાકુંભ પ્રયાગરાજ રેલવે સ્ટેશનથી 11 કિલોમીટર દૂર છે. પ્રયાગરાજ રેલવે સ્ટેશનથી મહાકુંભમાં જવા માટે તમે ટેક્સી કે ઓટો રિક્શા ભાડે લઈ શકો છો. એ આપને સંગમ તટ સુધી પહોંચાડી દેશે. પ્રયાગરાજમાં કૂલ 9 રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનો પરથી કુંભસ્થળનું કેટલુ અંતર થાય છે તે તમે અહીં જાણી લો.
દરેક સ્ટેશનેથી આપને સંગમ સુધી પહોંચવા માટે ટેક્સી કે ઓટો રિક્શા મળી જશે.
આ સિવાય પ્રયાગરાજ પહોંચવા માટે 7 મુખ્ય રોડ રૂટ છે. દરેક એન્ટ્રી પોઈન્ટથી મેળામાં પહોંચવા માટે તમને ઓટો, ઈ-રિક્ષા, કેબ અને બસની સુવિધા મળશે.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે.