પૈસા અને પાવર બંનેમાં ભારતનો વાગશે ડંકો, પાકિસ્તાનના 87% વિસ્તાર પર ભારતની છે બાજ નજર

અવકાશની દુનિયામાં ભારત વિશ્વની મહાસત્તાઓ સાથે ઊભું છે. આ ઉપરાંત ભારત દેશ પર ખરાબ નજર રાખનારા દુશ્મનો પર પણ નજર રાખી રહ્યું છે. ભારતીય ઉપગ્રહો પાકિસ્તાનના 87% વિસ્તાર પર નજર રાખી શકે છે, એટલે કે, ભારત કરાચીની કોઈપણ ગલીથી લઈને પેશાવરના કોઈપણ જંગલ સુધીની હિલચાલ જોઈ શકે છે અને ચીનનો મોટો હિસ્સો પણ ભારતના સેટેલાઈટ્સથી કવર થઈ ગયો છે.

પૈસા અને પાવર બંનેમાં ભારતનો વાગશે ડંકો, પાકિસ્તાનના 87% વિસ્તાર પર ભારતની છે બાજ નજર
India will dominate in power
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 9:51 AM

Aditya L1 Mission: ભારતના અવકાશ મિશનની સફળતા માટે અનંત આકાશ છે, જેના પર વિજયની શરૂઆત થઈ ચૂકી છે. આ એક એવો ચમત્કાર છે જે પોતાને મહાસત્તા ગણાવતું ચીન પણ કરી શક્યું નથી. અંતરિક્ષમાં ભારતની સફળતાનો આ એક સીમાચિહ્ન છે, જેને સ્પર્શવાની ચીને કલ્પના પણ નહીં કરી હોય. સૌર મિશનને સફળ બનાવીને ભારત મહાસત્તાઓ સાથે કેવી રીતે ખભે ખભા મિલાવશે?

ભારતે વર્ષ 1962માં અવકાશ પ્રોગ્રામની શરૂઆત કરી હતી અને હવે મંગલયાનની યાત્રા પૂર્ણ કરી છે. ભારતે 2014માં માત્ર 74 મિલિયન ડોલર ખર્ચીને તેને અવકાશમાં મોકલ્યું હતું. તેની કિંમત હોલિવૂડ ફિલ્મ ‘ગ્રેવિટી’ કરતા પણ ઓછી હતી. મંગલયાન ભારતનું ગૌરવ બન્યું અને તેને રૂ. 2000ની નોટ પર સ્થાન આપવામાં આવ્યું.

ભારતની પાકિસ્તાનના 87% વિસ્તાર પર ચાંપતી નજર

અવકાશની દુનિયામાં ભારત વિશ્વની મહાસત્તાઓ સાથે ઊભું છે. આ ઉપરાંત ભારત દેશ પર ખરાબ નજર રાખનારા દુશ્મનો પર પણ નજર રાખી રહ્યું છે. ભારતીય ઉપગ્રહો પાકિસ્તાનના 87% વિસ્તાર પર નજર રાખી શકે છે, એટલે કે, ભારત કરાચીની કોઈપણ ગલીથી લઈને પેશાવરના કોઈપણ જંગલ સુધીની હિલચાલ જોઈ શકે છે અને ચીનનો મોટો હિસ્સો પણ ભારતના સેટેલાઈટ્સથી કવર થઈ ગયો છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

ભારતના અંતરિક્ષ મિશને અવકાશમાં ધ્વજ રોપ્યો છે. ભારતની સ્પેસ ટેક્નોલોજી દેશના વિકાસ માટે જેટલી ઉપયોગી છે એટલી જ દેશના દુશ્મનો પર પણ નજર રાખે છે. ભવિષ્યમાં, ભલે સૈન્ય સીધી રીતે એકબીજાનો સામનો ન કરે, પરંતુ યુદ્ધની શૈલી સંપૂર્ણપણે બદલાઈ જશે. ઘણા નિષ્ણાતોએ આ હકીકત વિશે ચેતવણી આપી છે કે આવનારા સમયમાં અવકાશ યુદ્ધ તેનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. જો સ્પેસ વોર થાય તો પહેલા સૈન્ય ઉપગ્રહોને નિશાન બનાવી શકાય છે.

ભારતે થોડા વર્ષો પહેલા 2019માં પણ આવી મોટી સફળતા હાંસલ કરી હતી. જ્યારે ભારતે એન્ટી સેટેલાઇટ મિસાઇલ વડે એક સેટેલાઇટને અવકાશમાં તોડી પાડ્યો હતો. ભારતે 3 મિનિટમાં 2 રોકેટ બૂસ્ટર સાથે 18 ટનની મિસાઈલ વડે 740 કિલોગ્રામના ઉપગ્રહને લો અર્થ ઓર્બિટમાં તોડી પાડ્યો અને પીએમ મોદીએ ગર્વથી આખી દુનિયાને આ વાત કહી.

14 દેશો પર છે ભારતની નજર

માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ઈસરો વિશ્વના 14 દેશો પર સેટેલાઈટ્સ દ્વારા નજર રાખી રહ્યું છે. આ ઉપગ્રહો આ દેશોના 5.5 મિલિયન ચોરસ કિલોમીટરના વિસ્તાર પર નજર રાખી શકે છે. ભારતીય ઉપગ્રહ ચીનની અંદર પણ દેખરેખ રાખી શકે છે. સૈન્ય જરૂરિયાતો માટે ભારત પાસે લગભગ 10 ઉપગ્રહો છે. તેવી જ રીતે, ભારતીય વાયુસેના પાસે પણ આવા ઘણા ઉપગ્રહો છે જે દુશ્મનના વિમાનોને જ શોધી શકતા નથી પરંતુ કોઈપણ પ્રકારની જાસૂસીને પણ રોકી શકે છે. આમાંથી એક GSAT-7A છે જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">