27 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ભાવનગરના કોળિયાક નજીક માલેશ્રી નદીના વહેણમાં ફસાયેલી બસના મુસાફરોને બચાવાયા
આજે 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજકોટ: જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ
રાજકોટ: જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, જીવાપર, ગરણી, વીરનગર, પાંચવડામાં વરસાદ છે. જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામમાં ભારે વરસાદ છે. આંબરડી ,ગોડલાધાર, માધવીપુરમાં પણ ધોધમાર વરસાદની સ્થિતિ છે. જસદણમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ છે.
-
અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ
અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયુ છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. આંબાવાડી, વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શ્યામલ, જોધપુર વિસ્તારમાં ભારે વરસાદ છે.
-
-
ભાવનગરઃ રેસ્ક્યૂ કામગીરીમાં વિઘ્ન
ભાવનગરઃ રેસ્ક્યૂ કામગીરીમાં વિઘ્ન આવ્યુ. બસમાંથી રેસ્ક્યૂ કરાયેલા મુસાફરો ફરી ફસાયા. 27 મુસાફરોને બસમાંથી ટ્રકમાં બેસાડી રેસ્ક્યૂ કરાયા હતા. મુસાફરોને રેસ્ક્યૂ માટે ગયેલો ટ્રક પાણીના વહેણમાં ફસાયો. દક્ષિણ ભારતના મુસાફરોની બસ ફસાઈ હતી. કોળિયાક નજીક માલેશ્રી નદીના પ્રવાહમાં બસ ફસાઈ હતી. ટ્રકને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
-
અમદાવાદઃ કાર્યક્રમો ટૂંકા રાખવા CMએ કરી ટકોર
અમદાવાદઃ ખાનગી કાર્યક્રમમાં CMએ ટકોર કરી. સતત 2 કલાક સુધી કાર્યક્રમ ચાલ્યા બાદ CMએ ટકોર કરી. લોકો પાસે સમય ન હોવાથી કાર્યક્રમો ટૂંકા રાખવા CMએ સલાહ આપી છે.
-
વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC આજે ગુજરાતમાં
વકફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી આજે ગુજરાતની મુલાકાતે આવશે. કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના ૩૧ સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત તાજ સ્કાયલાઈનમાં બેઠક કરશે. અંદાજે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ બેઠક ચાલશે. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વકફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓને મળશે.
-
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે, 135 તાલુકામાં મેઘ મહેર થઇ છે, સૌથી વધુ ઘોઘામાં 4 ઇંચથી જળબંબાકારની સ્થિતિ છે, તો ભાવનગરમાં સવા 3 ઇંચ વરસાદ પડ્યો છે. લેબનોનમાં યુદ્ધ રોકવા ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ ઇનકાર કર્યો છે. તો હિઝબુલ્લાહે પલટવાર કરતા રફાલના ઠેકાણા પર રોકેટ છોડ્યા છે. ઉધમપુરની રેલીમાં અમિત શાહે મોટી જાહેરાત કરતા કહ્યું કે ભાજપની સરકાર બની તો કિસાન સન્માન નિધિની રકમ 6 હજારથી વધારીને 10 હજાર કરાશે. માનહાની કેસમાં સંજય રાઉતને 15 દિવસની જેલ થઇ છે. કોર્ટે સજા સાથે રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. ભાજપ નેતાની પત્નીએ આ માનહાનીનો કેસ કર્યો હતો. વકફ સુધારણા બિલ અંગે રચાયેલી સંયુક્ત સંસદિય સમિતિ આજે અમદાવાદમાં છે. રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત પક્ષકારો હાજર રહેશે.
Published On - Sep 27,2024 7:26 AM