Rajnath Sinh Ladakh Visit: રેઝાંગ લા યુદ્ધના શહીદોની યાદમાં બનાવાયુ સ્મારક, રાજનાથ સિંહે કહ્યુ, ”સૈનિકો ભારતની ધરતીના એક-એક ઈંચની રક્ષા કરવા સક્ષમ”

રેઝાંગ લાના યુદ્ધમાં એક હજારથી વધુ સૈનિકોને કચળી નાખનાર 120 જેટલા ભારતીય શહીદોની યાદમાં યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યુ છે.

Rajnath Sinh Ladakh Visit: રેઝાંગ લા યુદ્ધના શહીદોની યાદમાં બનાવાયુ સ્મારક, રાજનાથ સિંહે કહ્યુ, ''સૈનિકો ભારતની ધરતીના એક-એક ઈંચની રક્ષા કરવા સક્ષમ''
Rezang La
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 3:54 PM

સંરક્ષણ પ્રધાન(Minister of Defense) રાજનાથ સિંહે(Rajnath Singh) ગુરુવારે પૂર્વી લદ્દાખના રેઝાંગ લાRezang La)માં સુધારેલા યુદ્ધ સ્મારક(War Memoria)નું ઉદ્ઘાટન કર્યું. રક્ષા મંત્રીએ રેઝાંગ લામાં 1962ના યુદ્ધમાં ભાગ લેનારા સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ(Tribute) પણ અર્પણ કરી. લદ્દાખના રેઝાંગ લામાં 1962ની લડાઈ ભારતીય ઈતિહાસમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ લડાઈ ખાસ છે કારણ કે આ લડાઈમાં ભારતીય સેનાના લગભગ 120 સૈનિકોએ 1000થી વધુ સૈનિકો સાથે ચીની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો.

યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યા પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંબોધન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે,” હું 114 ભારતીય સૈનિકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છે જેમણે 1962ના યુદ્ધમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.”તેમણે કહ્યુ કે, ”રેઝાંગ લાનું યુદ્ધ વિશ્વના 10 સૌથી મોટા અને સૌથી પડકારજનક લશ્કરી સંઘર્ષોમાંનું એક માનવામાં આવે છે”

રાજનાથ સિંહે કહ્યુ કે “કોઈ અન્ય દેશની જમીન પર કબજો કરવો એ ભારતનું ચરિત્ર નથી. પરંતુ, જ્યારે કોઈ દેશે ભારત તરફ વિચિત્ર નજરથી જોયુ છે, અમે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. આપણી સેનાના બહાદુર સૈનિકો ભારતની ધરતીના એક-એક ઈંચની રક્ષા કરવા સક્ષમ છે. આ સ્મારક રેઝાંગ લા ખાતે સૈન્ય દ્વારા પ્રદર્શિત નિશ્ચય અને અદમ્ય હિંમતનું ઉદાહરણ છે, જે માત્ર ઈતિહાસના પાનામાં જ અમર નથી, પણ આપણા હૃદયમાં પણ છે,”

59 વર્ષ પહેલા થયુ હતુ યુદ્ધ આ યુદ્ધ 59 વર્ષ પહેલા બરફીલા પહાડો વચ્ચે લડવામાં આવ્યું હતું અને ખાસ વાત એ છે કે જે સૈનિકો એ બરફીલા પહાડોમાં ચીની સૈનિકો સામે લડી રહ્યા હતા તેમને બરફમાં લડવાનો અનુભવ નહોતો. આ યુદ્ધમાં ભારતીય સેનાના ઘણા સૈનિકો પણ શહીદ થયા હતા, પરંતુ ઓછા સંસાધન પછી પણ તેઓએ બહાદુરી બતાવી હતી, જેને ભારત આજે પણ યાદ કરે છે.

ઝીરો ટેમ્પરેચરમાં લડ્યા હતા ભારતીય સૈનિક રેઝાંગ લા એ લદ્દાખ ક્ષેત્રની ચુશુલ ખીણની દક્ષિણ-પૂર્વમાં ખીણમાં પ્રવેશતો પર્વતીય માર્ગ છે. તે 2.7 કિમી લાંબો અને 1.8 કિમી પહોળો છે અને તેની સરેરાશ ઊંચાઈ 16000 ફૂટ છે. 1962ના ભારત-ચીન યુદ્ધમાં માત્ર 120 ભારતીય સૈનિકોએ 1300 ચીની સૈનિકોને માર્યા હતા. 13 કુમાઉને ચુશુલ એરસ્ટ્રીપની સુરક્ષા માટે મોકલવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે અહીં તૈનાત મોટાભાગના સૈનિકો હરિયાણાના હતા અને તેમને બરફમાં યુદ્ધનો કોઈ અનુભવ નહોતો અને તેમને લગભગ શૂન્ય તાપમાનમાં લડવું પડતું હતું.

શૈતાન સિંહને પરમવીર ચક્ર મળ્યું આ યુદ્ધ માટે ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કરી રહેલા જોધપુરના રહેવાસી મેજર શૈતાન સિંહને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, શેતાનસિંહને લડાઇમાં પહેલા હાથમાં ગોળી વાગી હતી. સારવાર પછી, તેણે ફરીથી યુદ્ધમાં ભાગ લીધો હતો. આ પછી તેને પેટમાં ગોળી વાગી હતી અને તેમણે વીરગતિ પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચોઃ સલમાન ખાનનો વાંદરાઓને કેળા ખવડાવતો વીડિયો થયો વાયરલ, ક્યુટ વીડિયો જોઇ ફેન્સ થયા ખુશ

આ પણ વાંચોઃ લો બોલો ! સ્કૂટી માટે સાઈડ ન આપતા આ મહિલાએ કેબ ડ્રાઈવરને ઝુડી નાખ્યો, Video જોઈ લોકોએ કહ્યુ- સરેઆમ ગુંડાગર્દી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">