98th Mann Ki Baat: દુનિયામાં વધ્યો ભારતીય રમકડાનો ક્રેઝ – PM Modi, જાણો આજની મન કી બાતની મોટી વાતો
ઘણા વર્ષોથી વડાપ્રધાન મોદીના આ શોને આખો પરિવાર, પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદેશમાં પણ લોકો સાંભળતા હોય છે. આ રેડિયો શોમાં જનભાગીદારી અને લોકોની અભિવ્યક્તિઓ પણ સાંભળવા મળે છે. ચાલો જાણીએ મન કી બાતના 98મા એપિસોડની ખાસ વાતો.
વડાપ્રધાન મોદીના ‘મન કી બાત’ રેડિયો શોને લઈને મહિના છેલ્લા રવિવારે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. 8 વર્ષ પહેલા શરુ થયેલા મન કી બાત રેડિયો શોનો આજે 98મો એપિસોડ સાંભળવા મળ્યો હતો. ઘણા વર્ષોથી વડાપ્રધાન મોદીના આ શોને આખો પરિવાર, પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદેશમાં પણ લોકો સાંભળતા હોય છે. આ રેડિયો શોમાં જનભાગીદારી અને લોકોની અભિવ્યક્તિઓ પણ સાંભળવા મળે છે. ચાલો જાણીએ મન કી બાતના 98મા એપિસોડની ખાસ વાતો.
Sharing this month’s #MannKiBaat. Do tune in! https://t.co/o0k0LwWfWe
— Narendra Modi (@narendramodi) February 26, 2023
98મી મન કી બાત: વડાપ્રધાનના સંબોધનની મોટી વાતો
- તમે તમારા મનની શક્તિ જાણો છો, તેવી જ રીતે, સમાજની શક્તિ સાથે દેશની શક્તિ કેવી રીતે વધે છે, આપણે ‘મન કી બાત’ના જુદા જુદા એપિસોડમાં આ જોયું, સમજ્યું અને અનુભવ્યું તથા સ્વીકાર્યું પણ છે.
- ભારતીય રમકડાંની વાત કરવામાં આવે તો દેશના લોકોએ તેનો પ્રચાર પણ કર્યો છે. હવે ભારતીય રમકડાંનો એટલો ક્રેઝ થઈ ગયો છે કે વિદેશોમાં પણ તેની માંગ વધી રહી છે.
- સરદાર પટેલની જન્મજયંતિ એટલે કે ‘એકતા દિવસ’ના અવસરે અમે ‘મન કી બાત’માં ત્રણ સ્પર્ધાઓ વિશે વાત કરી હતી.દેશભક્તિ પરની આ સ્પર્ધાઓ ‘ગીત’, ‘લોરી’ અને ‘રંગોળી’ સાથે સંકળાયેલી હતી. જેના વિજેતાઓની જાહેરાત વડાપ્રધાન મોદીએ પોતાના રેડિયો શો દરમિયાન કરી હતી.
- આ સ્પર્ધામાંઓ જોડાવવા માટે લતા મંગેશકરે લોકોને પ્રોત્સાહિત કર્યા, વડાપ્રધાન મોદીએ તેમને આજે યાદ કર્યા હતા.
- આ સ્પર્ધામાં માટે આવેલી વિવિધ કૃતિઓને તમે વેબસાઈટ પર જોઈ અને સાંભળી શકો છો.
- વડાપ્રધાન મોદીએ સંગીત વાદ્ય યંત્ર સૂરસાગર , ઉસ્તાદ બિસ્મિલાહ ખાન પુરસ્કાર, E-Sanjeevani App અને પેરિની નાટ્યમની પણ ચર્ચા કરી હતી.
- વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તમે ભારતની યુપીઆઈની શક્તિ પણ જાણો છો. વિશ્વના ઘણા દેશો તેના તરફ આકર્ષાયા છે. UPI-Pay Now લિંક થોડા દિવસો પહેલા ભારત અને સિંગાપોર વચ્ચે લોન્ચ કરવામાં આવી હતી.
- વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “આપણા દેશમાં ઘણી એવી મહાન પરંપરાઓ છે જે લુપ્ત થઈ ગઈ હતી, લોકોના મન અને હૃદયમાંથી દૂર થઈ ગઈ હતી, પરંતુ હવે જનભાગીદારીની શક્તિથી તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેથી ‘મન કી બાત’ ચર્ચા કરશે. આનાથી સારું પ્લેટફોર્મ કયું?”ભારતમાં આવી બીજી ઘણી પ્રથાઓ છે, જેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
- દેશના અલગ અલગ જૂથની મહિલાઓ દૂધની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિક પેકિંગમાંથી ટોપલી અને મોબાઈલ સ્ટેન્ડ જેવી ઘણી વસ્તુઓ બનાવે છે. સ્વચ્છતાની સાથે સાથે તે તેમના માટે આવકનો સારો સ્ત્રોત પણ બની રહ્યો છે.
- આપણે દેશની મહેનતની જેટલી વાત કરીએ એટલી જ વધુ ઉર્જા મળે છે.આ ઉર્જા પ્રવાહ સાથે આગળ વધીને, આજે આપણે ‘મન કી બાત’ના 98મા એપિસોડના સ્ટેજ પર પહોંચી ગયા છીએ.
ટૂંક સમયમાં પૂરા થશે મન કી બાતના 100 એપિસોડ
મન કી બાતનો પહેલો એપિસોડ 3 ઓક્ટોબર, 2014ના રોજ સાંભળવા મળ્યો હતો. આ રેડિયો શો મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે સાંભળવા મળે છે. 2 મહિના બાદ એ રેડિયો શોના 100 એપિસોડ પૂરા થશે, તેને લઈને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ રેડિયો શો ચાલુ કરવા પાછળ ખાસ હેતુ હતા. દેશના લોકો સાથે વાતો કરવી, તેમની સમસ્યાઓ જાણવી અને તેમના સારા કાર્યને દેશ સામે મૂકવાનો એ શોનો હેતું છે.
વર્ષ 2021માં સૂચના અને માહિતી પ્રસારણ મંત્રીએ રાજ્ય સભામાં જણાવ્યું હતું કે, આ પહેલો જોઈ પણ શકાય તેવો રેડિયો પ્રોગ્રામ બન્યો છે. આ શોને રેડિયો પર સાંભળાની સાથે સાથે ડીડી નેટવર્કની ચેનલો પર જોઈ પણ શકાય છે.