ભારત પરના આક્રમણકારો સામેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર, ભૂગર્ભ ટનલ અને ગુપ્ત માર્ગો હજુ પણ જળવાયેલા છે સ્મારકમા, જુઓ વીડિયો

આસામના શિવસાગર જિલ્લામાં આવેલ તલાતાર ઘર સ્વર્ગદેવ જયધ્વજ સિંઘ દ્વારા ઈ.સ. 1752માં બાંધવામાં આવેલુ હતું. જેનુ જતન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તલાતાલ ઘર અહોમ રાજાઓના શાહી મહેલ તરીકે ઓળખાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2024 | 6:35 PM

સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવાય છે. ભારતના પૂર્વમાં આવેલ આસામ રાજ્યમાં દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. આસામ રાજ્ય એ વન્ય, સાંસ્કૃતિક વારસો સાચવી રહ્યું છે. 1752માં બાંધવામાં આવેલ તલાતાલ ઘર એ આસામની સાંસ્કૃતિક વિરાસતમાંનું એક સ્થાપત્ય છે.

આસામના શિવસાગર જિલ્લામાં આવેલ તલાતાલ ઘર સ્વર્ગદેવ જયધ્વજ સિંઘ દ્વારા ઈ.સ. 1752માં બાંધવામાં આવેલુ હતું. જેનુ જતન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તલાતાલ ઘર અહોમ રાજાઓના શાહી મહેલ તરીકે ઓળખાય છે. વહીવટી અને લશ્કરી કામગીરી માટેનું કેન્દ્ર પણ ગણાય છે. તલાતાલ ઘર આક્રમણકારો સામેની લડાઇઓ સહિત નોંધપાત્ર ઐતિહાસિક ઘટનાઓનુ સાક્ષી રહ્યું છે. તલાતાલ ઘર સ્મારકમાં ભૂગર્ભ ટનલ, ગુપ્ત માર્ગો અને બહુમાળી ચેમ્બર આવેલી છે.

તલાતાલ ઘરના સ્થાપત્ય, અખંડિતતા અને ઐતિહાસિક મહત્વને જાળવી રાખવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વ્યાપક પ્રયાસો હાથ ધર્યા છે. આ તલાતાલ ઘર આસામના ડિબ્રુગઢ એરપોર્ટથી 80 કિલો મીટરના અંતરે આવેલ છે. તલાતાલ ઘર ઐતિહાસિક સ્મારકની મુલાકાતે આવનારા પ્રવાસીઓ સવારના 9:00 થી સાંજના 5:00 વચ્ચે મુલાકાત લઈ શકે છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિ સ્મારક તલાતાલ ઘરની જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા રુ. 20 પ્રવેશ ફી વસુલવામાં આવે છે.

તલાતાલ ઘર એ આસામના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. ભાવિ પેઢી માટે તલતાલ ઘરનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે.

With input from Jagadish Prajapati

Follow Us:
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
જસદણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
જસદણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
વડીયામાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા
વડીયામાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા
g clip-path="url(#clip0_868_265)">