AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાની સ્થિતિ પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ‘ પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં રસીના અભાવનો મુદ્દો ઉઠાવીશ’

દક્ષિણ મુંબઈના પોશ વિસ્તાર એવા મલબાર હિલ વિસ્તારમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' ખાતે વરિષ્ઠ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ રાજકારણ પરના કોઈપણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન તેમની પત્ની રશ્મિ પણ તેમની સાથે હતી.

કોરોનાની સ્થિતિ પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ' પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં રસીના અભાવનો મુદ્દો ઉઠાવીશ'
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 6:25 AM
Share

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યમાં કોરોનાવાયરસ સામે રસીકરણની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે વડા પ્રધાન સાથેની તેમની વાતચીત દરમિયાન આ મામલો ઉઠાવશે. ઠાકરેએ એમ પણ કહ્યું કે રસીની ઉપલબ્ધતા સિવાય, રસી લેવામાં લોકોનો ખચકાટ પણ એક મોટો મુદ્દો છે. મુખ્યમંત્રીએ લોકોને સંકોચ છોડવા અને રસી લેવા હાકલ કરી હતી.

દક્ષિણ મુંબઈના પોશ મલબાર હિલ વિસ્તારમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે વરિષ્ઠ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ રાજકારણ પરના કોઈપણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન તેમની પત્ની રશ્મિ પણ તેમની સાથે હતી. જ્યારે આ મહામારીને પહોંચી વળવા માટે તેમની સરકારની લાંબા ગાળાની વ્યૂહરચના વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે કહ્યું, સૌથી પહેલા, આપણે વધુને વધુ લોકોને રસી અપાવવા અને રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કોરોના ગાઈડલાઈનથી મહામારીનો પ્રભાવ ઘટાડી શકાય છે

તેમણે કહ્યું, લોકો બૂસ્ટર ડોઝ વિશે વાત કરી રહ્યા છે.  પરંતુ પહેલા આપણે એ સુનિશ્ચિત કરીએ કે દરેકને બંને ડોઝ મળી જાય.ઠાકરેએ કહ્યું કે એવા લોકો છે જેમણે પહેલો ડોઝ લીધો નથી. તેમણે કહ્યું કે જો લોકો કોવિડ ગાઈડલાઈનનું યોગ્ય પાલન કરે અને જેમને બંને ડોઝ મળ્યા હોય તેઓ પણ માસ્ક પહેરવાનું ચાલુ રાખે તો મહામારીની ત્રીજી (સંભવિત) લહેરની અસર ઘણી હદ સુધી ઘટાડી શકાશે.

પીએમ મોદી જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે કરી શકે છે વાત

મુખ્ય પ્રધાને આર્થિક મુશ્કેલી ઊભી કર્યા વિના મહામારી દરમિયાન કેટલીક ખાસ પ્રવૃત્તિઓને મંજૂરી આપવાનું અને “સમજપૂર્વકનું જોખમ” લેવાની પણ વાત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 3 નવેમ્બરે 40 થી વધુ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વીડિયો કોન્ફરન્સ કરે તેવી શક્યતા છે જ્યાં એન્ટી-કોરોનાવાયરસ રસીકરણની ગતિ ખૂબ જ ધીમી છે. આ બેઠકમાં એવા જિલ્લાઓને સામેલ કરવામાં આવશે જ્યાં 50 ટકાથી ઓછા પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યા છે અને બીજા ડોઝની ગતિ પણ ધીમી છે.

આ પણ વાંચો :  Sameer Wankhede: સર, દરરોજ અમારું અપમાન થાય છે, અમને ધમકાવવામાં આવે છે, સમીર વાનખેડેએ SC કમિશનના ઉપાધ્યક્ષને કરી ફરિયાદ

Follow Us
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">