Sameer Wankhede: નવાબ મલિકનું દુબઈ, ડ્રગ્સ અને દાઉદ કનેક્શન, સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ લગાવ્યા ગંભીર આરોપ

જ્ઞાનદેવ વાનખેડેએ આરોપ લગાવ્યો કે નવાબ મલિકનો ભંગારનો ધંધો હતો. એક ભંગારવાળો કરોડોનો માલિક કેવી રીતે બન્યો ? એક ભંગારવાળો નવાબ કેવી રીતે હોઈ શકે ? સમીર વાનખેડેના પિતાએ કહ્યું કે, જો એ સાબિત થઈ જશે કે તેનું નામ જ્ઞાનદેવને બદલે દાઉદ છે તો તે ભારતને બદલે પાકિસ્તાનમાં રહેવાનું સ્વીકારી લેશે.

Sameer Wankhede: નવાબ મલિકનું દુબઈ, ડ્રગ્સ અને દાઉદ કનેક્શન, સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ લગાવ્યા ગંભીર આરોપ
ક્રાંતિ રેડકર, રામદાસ આઠવલે, જ્ઞાનદેવ વાનખેડે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:51 PM

આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drug Case) એનસીપીના પ્રવક્તા નવાબ મલિક (Nawab Malik) અને એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના (Sameer Wankhede) પરિવાર વચ્ચે જોરદાર આરોપ અને વળતા આરોપ શરૂ થયા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સમીર જન્મથી મુસ્લિમ છે. પરંતુ તેમણે અનુસુચિત જાતીના (SC) નકલી પ્રમાણપત્ર સાથે અનામતનો લાભ લીધો અને આઈઆરએસ (IRS)ની નોકરી મેળવી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ આરોપોના જવાબમાં સમીર વાનખેડેના પિતાએ મીડિયાની સામે તેની જાતિ, શાળા, કોલેજ, નોકરી સંબંધિત ડોક્યુમેન્ટ બતાવ્યા અને દાવો કર્યો કે તેમણે મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા છે, પરંતુ ક્યારેય પોતાનો ધર્મ બદલ્યો નથી. તેમણે કહ્યું કે જો એ સાબિત થઈ જાય કે તે ‘જ્ઞાનદેવ’ને બદલે ‘દાઉદ’ છે તો તેઓ ભારતને બદલે પાકિસ્તાનમાં રહેવાનું સ્વીકારી લેશે. આ પછી તેમણે નવાબ મલિક પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા.

‘100 રૂપિયા કમાનાર ભંગારવાળો કરોડોની સંપત્તિનો માલિક કેવી રીતે બન્યો?’

જ્ઞાનદેવ વાનખેડેએ આરોપ લગાવ્યો કે નવાબ મલિકનો ભંગારનો  ધંધો હતો. એક ભંગારવાળો કરોડોનો માલિક કેવી રીતે બન્યો ? એક ભંગારવાળો નવાબ કેવી રીતે હોઈ શકે? મલિક ક્યારે મુંબઈ આવ્યા? તેમનો જન્મ ક્યાં થયો હતો? તેમનું ગામ કયું છે? તેમના જમાઈ સમીર ખાનને સમીર વાનખેડેએ ડ્રગ્સ કેસમાં પકડ્યો હતો, તેથી જ તેઓ સમીરની પાછળ પડ્યા છે.

જ્ઞાનદેવ વાનખેડેએ વધુમાં જણાવ્યું હતું કે નવાબ મલિકે મંત્રીપદ સંભાળતી વખતે  બંધારણના શપથ લઈને કહ્યું હશે કે હું જાતિ અને ધર્મના આધારે કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ કરીશ નહીં અને આરોપ લગાવીશ નહીં. પરંતુ તેઓ આના જ આધારે અમારા પરિવારને બદનામ કરી રહ્યા છે.

‘જો મારું નામ જ્ઞાનદેવને બદલે દાઉદ હોવાનું સાબિત થશે તો હું પાકિસ્તાન જઈને રહેવા લાગીશ’

જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિકને પડકાર ફેંક્યો અને કહ્યું કે જો એ સાબિત થઈ જશે કે જ્ઞાનદેવને બદલે તેમનું નામ દાઉદ છે તો તેઓ ભારત છોડીને પાકિસ્તાનમાં રહેવાનું સ્વીકારી લેશે. તેમણે કહ્યું કે નવાબ મલિકે તેમની પુત્રી અને જમાઈ પર ધ્યાન આપવું જોઈએ. તેમને સારા સંસ્કાર આપો. તેમને જે કહેવું હોય તે કોર્ટમાં જઈને કહેવું જોઈએ.

ડ્રગ્સ કેસમાં મલિકનો હાથ હોઈ શકે છે. તેમની પુત્રી અને જમાઈ ડ્રગીસ્ટ છે. નવાબ મલિક દુબઈ ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ હોઈ શકે છે. તેમનું  દુબઈ, ડ્રગ્સ અને દાઉદ કનેક્શન હોઈ શકે છે. તેમનો જમાઈ સમીર ખાન ડ્રગ્સના કેસમાં જ પકડાયો હતો. બાંદ્રાનું ઘર કેવી રીતે બન્યું? આ તમામ બાબતોની તપાસ થવી જોઈએ. આવા અનેક આરોપો સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક પર લગાવ્યા હતા.

આ પણ વાંચો :  ડ્રગ્સ કેસમાં આર્યન બાદ અરબાઝ મર્ચન્ટ અને મુનમુનને જેલમાંથી મળી મુક્તિ, અરબાઝના પિતાએ કહ્યુ….

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">