AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameer Wankhede: સર, દરરોજ અમારું અપમાન થાય છે, અમને ધમકાવવામાં આવે છે, સમીર વાનખેડેએ SC કમિશનના ઉપાધ્યક્ષને કરી ફરિયાદ

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના ઘરની મુલાકાત લીધી હતી.

Sameer Wankhede: સર, દરરોજ અમારું અપમાન થાય છે, અમને ધમકાવવામાં આવે છે, સમીર વાનખેડેએ SC કમિશનના ઉપાધ્યક્ષને કરી ફરિયાદ
Sameer Wankhede
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:16 PM
Share

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે (Arun Haldar) રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના (Sameer Wankhede) ઘરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વાનખેડે પરિવારે હલધરની સામે તેમની જાતિ અને ધર્મ સંબંધિત તમામ દસ્તાવેજો અને પ્રમાણપત્રો બતાવ્યા અને સ્પષ્ટ કર્યું કે સમીર વાનખેડે જન્મથી હિન્દુ છે. સમીરના પિતાએ કહ્યું કે, તે હિન્દુ દલિત પરિવારનો છે. તેણે માત્ર મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેણે ક્યારેય પોતાનો ધર્મ બદલ્યો નથી.

આ પ્રસંગે સમીર વાનખેડેએ પણ પોતાની ફરિયાદો અરુણ હલદરની સામે મૂકી હતી. સમીર વાનખેડેએ કહ્યું કે, તેમના પરિવારનું જાહેરમાં દરરોજ અપમાન કરવામાં આવે છે. તેમને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ તેમના પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, પત્રકાર પરિષદ દરરોજ સવારે 8 અને 10 કલાકે યોજાય છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મારા પરિવારની અંગત બાબતો ઉછાળવામાં આવે છે. કહેવાય છે કે, વાનખેડેનો આખો પરિવાર બોગસ છે. બોગસ એટલે શું? એવો પ્રશ્ન પૂછતાં વાનખેડેએ કહ્યું, ‘રોજ મીડિયાને કહેવામાં આવે છે કે મારી નોકરી જતી રહેશે. આ રીતે ડરાવવામાં આવે છે. મારી નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. જો મેં કોઈ ખોટું કર્યું હોય તો રાષ્ટ્રપતિ અમારો ન્યાય કરશે. તો પછી અમને શા માટે ધમકાવવામાં આવે છે? અમને ન્યાય આપવામાં આવે.

‘ત્રણ લોકોએ અમારા ઘરની રેકી કરી’

આ દરમિયાન, સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર પણ રવિવારે સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલેને મળી હતી. આ પછી મીડિયા સાથે વાત કરતા ક્રાંતિ રેડકરે મોટો ખુલાસો કર્યો હતો. ક્રાંતિએ કહ્યું, ‘ત્રણ લોકો અમારા ઘરની જાસૂસી કરી રહ્યા છે. તેણે અમારા ઘરની રેકી કરી છે. અમને સોસાઈટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેઓ અમારા ઘર વિશે પૂછપરછ કરતા હતા.

તેઓએ તેમના નંબર પણ આપ્યા. તેઓ પોતાને પોલીસ ગણાવતા હતા. અમે પોલીસને બોલાવી. અમે તેમને પૂછ્યું કે શું તમારા વતી અહીં કોઈ આવ્યું છે, પરંતુ તેમણે ના માં જવાબ આપ્યો. જ્યારે અમે તે નંબરને Truecallerમાં મૂકીને ચેક કર્યો તો તે કોઈ બીજાનો નંબર હોવાનું બહાર આવ્યું. અમે સીસીટીવી ફૂટેજ અને નંબર પોલીસને આપ્યા છે. તે લોકો કોણ હતા તે ટૂંક સમયમાં જ ખબર પડશે.

આ પણ વાંચો: MBBS ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ રાજ્યમાં હવે માત્ર નજીવી ફીમાં જ મળશે તબીબી શિક્ષણ

આ પણ વાંચો: RRC admit card 2021: રેલ્વે એપ્રેન્ટિસ ભરતી 2021 માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Follow Us
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">