ભારતના ભાગલા માટે જવાબદાર ગણાય છે આ અંગ્રેજ, જાણો રસપ્રદ વાતો
ભારતના ભાગલા માટે સામાન્ય રીતે પંડિત જવાહર લાલ નેહરુ અને મોહમ્મદ અલી જિન્નાહને દોષી ઠેરવવામાં આવે છે, પરંતુ ભાગલા પાડવાનો પાયો તો આઝાદી મળ્યાંના ઘણા વર્ષો પહેલા નખાયો હતો. ભારતમાં બ્રિટિશ વાઈસરોય લોર્ડ મિન્ટોએ વર્ષો પહેલા પોતાની નીતિઓ દ્વારા હિંદુઓ અને મુસ્લિમોમાં ભાગલા પાડવાનું શરૂ કર્યું હતું. મિન્ટો 1905 થી 1910 સુધી ભારતના વાઇસરોય હતા, જે દરમિયાન તેમણે એવા ઘણા કાર્યો કર્યા જેણે ભારતીય ઉપખંડની દિશા કાયમ માટે બદલી નાખી.
![ભારતના ભાગલા માટે જવાબદાર ગણાય છે આ અંગ્રેજ, જાણો રસપ્રદ વાતો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/03/British-Viceroy-Lord-Minto.jpeg?w=1280)
ભારતના ભાગલા માટે સામાન્ય રીતે, લોકો પંડિત જવાહર લાલ નેહરુ અને મોહમ્મદ અલી જિન્નાહને દોષી ઠેરવે છે, પરંતુ ભાગલા માટેનો પાયો તો દેશ આઝાદ થયા પહેલા ઘણા વર્ષો પહેલા નખાયો હતો. ભારતમાં બ્રિટિશ વાઈસરોય લોર્ડ મિન્ટોએ વર્ષો પહેલા પોતાની નીતિઓ દ્વારા હિંદુઓ અને મુસ્લિમોમાં ભાગલા પાડવાનું શરૂ કર્યું હતું. આ કારણે પાછળથી બંને માટે અલગ દેશની માંગ શરૂ થઈ અને ભારત અને પાકિસ્તાનને બે દેશ બનાવવા પડ્યા. બ્રિટિશ વાઈસરોય લોર્ડ મિન્ટોની પુણ્યતિથિ પર ચાલો જાણીએ આ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
લોર્ડ મિન્ટોનું પૂરું નામ ગિલ્બર્ટ ઇલિયટ-મરે-કિનામાઉન્ડ મિન્ટો હતું. તેનો જન્મ 9 જુલાઈ, 1845ના રોજ લંડન, ઈંગ્લેન્ડમાં થયો હતો. તેઓ લોર્ડ મિન્ટો-1ના પૌત્ર હતા. તેઓ બ્રિટિશ શાસન દરમિયાન 1898 થી 1905 સુધી કેનેડાના ગવર્નર-જનરલ હતા. ત્યારબાદ તેઓ 1905 થી 1910 સુધી ભારતના વાઇસરોય હતા. લોર્ડ મિન્ટોનું 1 માર્ચ, 1914ના રોજ રોક્સબર્ગ, સ્કોટલેન્ડમાં અવસાન થયું હતું.
હિંદુ-મુસ્લિમમાં ભાગલા પાડવાની નીતિ અપનાવી
લોર્ડ મિન્ટોના સમયમાં જ હિંદુઓ અને મુસ્લિમો માટે અલગ-અલગ મતદાર મંડળો બનાવવામાં આવ્યા હતા. જેથી ભારતીયો એકબીજા સામે લડતા રહે અને બ્રિટિશ શાસનનો રસ્તો સાફ થઈ જાય. અગાઉ, અંગ્રેજોએ મુસ્લિમોને અલગ વહીવટી જિલ્લો આપવા માટે બંગાળનું વિભાજન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1906માં ખુદ લોર્ડ મિન્ટોએ અંગ્રેજો સામે સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ તત્કાલિન મુસ્લિમ નેતાઓને શિમલા બોલાવ્યા હતા. આમાં લોર્ડ મિન્ટોએ મુસ્લિમ લીગની રચના કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વાસ્તવમાં નવાબ સલીમુલ્લાહે બંગાળના વિભાજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને મુસ્લિમ લીગની સ્થાપનામાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું.
મુસ્લિમ લીગને આગળ કરીને અંગ્રેજોનું હિત સધાયું
વાસ્તવમાં મુસ્લિમ લીગને શરૂઆતમાં એક રાજકીય અને સાંસ્કૃતિક સંગઠન તરીકે રજૂ કરવામાં આવ્યું હતુ, તેને શરુઆતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે કોઈ મતભેદ નહોતા. પછી એ વાત પર સંમતિ બની કે કોંગ્રેસના સભ્યો એક સાથે મુસ્લિમ લીગના સભ્ય બની શકે અને મુસ્લિમ લીગના સભ્યો પણ કોંગ્રેસના સભ્ય બની શકે. પાછળથી, એ જ મુસ્લિમ લીગે મુસ્લિમો માટે એક અલગ મતવિસ્તાર બનાવવાની માંગણી કરી હતી. જેને અંગ્રેજોએ સ્વીકારી હતી અને ભારતમાં કોમવાદના બીજ વાવ્યા હતા. સુધારાના નામે આ અંગે ભારતના તત્કાલીન સ્ટેટ સેક્રેટરી માર્લેએ અને મિન્ટોએ સાથે મળીને જે કંઈ કર્યું તેનાથી મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાનની માગણી માટે મેદાન તૈયાર થયું હતું.
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ
આ ક્રમમાં, વર્ષ 1907 માં, અંગ્રેજોએ સુરતનું વિભાજન કર્યું, જેનું સ્વપ્ન ઘણા સમય પહેલા લોર્ડ કર્ઝને જોયું હતું. સુરતનું વિભાજન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે મોટો આંચકા તરીકે આવ્યુ હતો. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ મધ્યમ અને ઉગ્રવાદીઓ વચ્ચેના મતભેદોને કારણે અંગ્રેજોને આ તક મળી. વાસ્તવમાં, નરમપંથી અને ચરમપંથી વચ્ચેના તફાવતોએ અંગ્રેજો માટે એક તક રજૂ કરી. જો જોવામાં આવે તો બંગાળ અને સુરતનું વિભાજન અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિની જીત હતી.
મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપીને ભાગલાનો પાયો નંખાયો.
આ વર્ષ 1909ની વાત છે, જ્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ જોન મોર્લી અને વાઇસરોય મિન્ટોએ ભારત માટે સુધારાની ઓફર કરી હતી. તે બ્રિટિશ સંસદમાં ભારતીય કાઉન્સિલ એક્ટ 1909 તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, જેને મોર્લી-મિન્ટો રિફોર્મ્સ એક્ટ 1909 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોર્લી-મિન્ટો સુધારા દ્વારા એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 દ્વારા મુસ્લિમો માટે અલગ મતદારક્ષેત્રની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત કાઉન્સિલના મુસ્લિમ સભ્યો માત્ર મુસ્લિમ મતદારો દ્વારા જ ચૂંટવાના હતા. એક રીતે, સુધારાના નામે મુસ્લિમોને અલગ મતવિસ્તાર આપીને અંગ્રેજોએ ભારતમાં કોમવાદને કાયદેસર બનાવ્યો હતો. એટલે જ લોર્ડ મિન્ટોને ભારતમાં સાંપ્રદાયિક ચૂંટણીના જનક માનવામાં આવે છે.
વાસ્તવમાં, ભારતના વાઇસરોય તરીકેના તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, લોર્ડ મિન્ટોએ એવા કાર્યો કર્યા જેણે ભારતીય ઉપખંડની દિશા કાયમ માટે બદલી નાખી. જો કે શરૂઆતમાં તે માત્ર એક પ્રયોગ હતો, અલગ મતવિસ્તારો આપવાના કાયદાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અને ગતિ બદલી નાખી. પાછળથી, એવી ઘટનાઓ બની, જેના માટે આ અધિનિયમ દ્વારા મંચ નક્કી કરવામાં આવ્યો અને જેના કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું, જે સદીના સૌથી વિનાશક ભાગલાઓમાંનું એક હતું.