World Hemophilia Day : હિમોફિલિયા રોગ શું છે અને તે લોકોને કેવી રીતે અસર કરે છે, જાણો તેના કારણ અને લક્ષણો

લોહીને લગતી બીમારીઓ જે છે તેમાંની એક હિમોફિલિયા છે. મહત્વનુ છે કે, આ રોગ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે. જો આ સમસ્યાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તે જીવલેણ પણ બને છે.

World Hemophilia Day : હિમોફિલિયા રોગ શું છે અને તે લોકોને કેવી રીતે અસર કરે છે, જાણો તેના કારણ અને લક્ષણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 12:11 PM

દેશ અને દુનિયામાં રોજબરોજ લાખો લોકો વિવિધ પ્રકારના રોગોથી પીડિત થતાં હોય છે. ઘણા લોકો લોહીને સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો આપણા લોહીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી થાય તો મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ભારે અસર કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં આ સમસ્યાઓ જીવલેણ સાબિત થઈ શકે છે. લોહીને લગતી બીમારીઓ જે છે જેમાંની એક હિમોફિલિયા છે. મહત્વનુ છે કે, આ રોગ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે. જો આ સમસ્યાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તે જીવલેણ પણ બને છે. હિમોફિલિયા અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે 17 એપ્રિલના રોજ ‘વિશ્વ હિમોફિલિયા દિવસ’ ઉજવવામાં આવે છે.

હિમોફિલિયાનું કારણ શું છે?

હિમોફિલિયા એક જેનેટિક ડિસઓર્ડર છે. તે વારસાગત કારણોસર થાય છે. સામાન્ય રીતે મધ્યમ વય અને વૃદ્ધ લોકોને આ બીમારી વધુ અસર કરે છે. માણસના જીનમાં ફેરફારને કારણે લોહીના ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોટીન મળતું નથી અને હિમોફિલિયાની સમસ્યા સર્જાય છે. જો કોઈ વ્યક્તિનો હિમોફિલિયાનો પરંપરાગત ઇતિહાસ હોય, તો તેને આ સમસ્યા થવાનું જોખમ વધુ હોય છે. જો આ રોગને સમયસર સારવાર કરવામાં આવે, તો તે ઘણી હદ સુધી તેને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

લોહી યોગ્ય રીતે ગંઠાઈ શકતું નથી

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના રિપોર્ટ અનુસાર, હિમોફિલિયા એક દુર્લભ રક્ત વિકાર છે, જેના કારણે લોહી યોગ્ય રીતે ગંઠાઈ શકતું નથી. પ્રોટીનની ગેરહાજરીને કારણે આવું બનતું હોય છે. જો આ રોગથી પીડિત લોકોને ઈજા થાય છે, તો ઘણું લોહી વહી શકે છે. આ વિકારને કારણે શરીરની અંદર રક્તસ્ત્રાવ થઈ શકે છે. હિમોફિલિયા ઘૂંટણ, પગની ઘૂંટી અને કોણીમાં રક્તસ્રાવનું કારણ બની શકે છે. આંતરિક રક્તસ્રાવ તમારા શરીરના અંગો અને પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે અને જીવન માટે જોખમી બની શકે છે. એટલા માટે આ રોગ વિશે સાવચેત રહેવાની જરૂર છે.

જાહ્નવી શ્રીમાંકર અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે
શું તમને પણ રહે છે Dry Eyesની સમસ્યા? તો જાણો ઘરેલુ ઉપચાર
T20 વર્લ્ડ કપમાં માત્ર મહિલાઓ જ કરશે અમ્પાયરિંગ, જાણો કેટલો મળે છે પગાર?
કાશ્મીરી રાજમા આ રીતે બનાવી તમારા ડિનરને બનાવો ખાસ
Salt : મીઠું અસલી છે કે નકલી? ઘરે સરળતાથી કેવી રીતે ઓળખવું
ભારતની રાજધાની રહી ચુક્યુ છે આ હિલ સ્ટેશન, વરસાદ આવતા જ બની જાય છે સ્વર્ગ

હિમોફિલિયાના લક્ષણો

  1. સાંધામાંથી લોહી આવવું
  2. ત્વચામાંથી લોહી આવવું
  3. મોં અને પેઢામાંથી લોહી આવવું
  4. રસીકરણ પછી લોહી આવવું
  5. પેશાબ અથવા મળમાં લોહી
  6. વારંવાર નાકમાંથી લોહી પડવું

tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..

પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર
કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો
કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા
જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા
આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ
આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા
કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો
કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">