Sleep Problem : આખો દિવસ કામ કર્યા પછી પણ રાત્રે સારી ઊંઘ નથી આવતી, આ ટિપ્સ લાગશે કામ

ઊંઘની (Sleep ) સમસ્યાથી પીડાતા લોકો માટે પણ બદામનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખરેખર, બદામમાં મેલાટોનિન નામના હોર્મોન્સ જોવા મળે છે. આ હોર્મોન્સ ઊંઘની પેટર્નને સુધારવામાં ફાળો આપે છે.

Sleep Problem : આખો દિવસ કામ કર્યા પછી પણ રાત્રે સારી ઊંઘ નથી આવતી, આ ટિપ્સ લાગશે કામ
Sleep Problem Reasons (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 10:50 AM

દિવસભરના સખત થાક (Tired ) પછી, જો વ્યક્તિને સારી ઊંઘ (Sleep ) આવે છે, તો વ્યક્તિ બીજા દિવસે તાજગી (Fresh ) અને ઉત્સાહ અનુભવે છે. પરંતુ, ઘણા લોકો માટે, આખો દિવસ કામ કર્યા પછી અને થાકેલા હોવા છતાં પણ સારી ઊંઘ લેવી શક્ય નથી. કેટલાક લોકોનું ઘરનું વાતાવરણ એવું હોય છે, તેમને ઊંઘ નથી આવતી. પરંતુ, શું તમે જાણો છો કે તમારો આહાર તમારી ઊંઘની આદતોને પણ અસર કરી શકે છે. તેથી જ, અનિદ્રાની સમસ્યાથી પરેશાન લોકોએ તેમના આહારમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવાની જરૂર છે. નિષ્ણાતોના મતે, લોકો આખો દિવસ શું ખાય છે તે તેમની ઊંઘની ગુણવત્તા નક્કી કરી શકે છે. આવી સ્થિતિમાં, તે ખોરાકનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે ઊંઘની ગુણવત્તા સુધારવાનું કામ કરે છે. તે જ સમયે, સારી ઊંઘ માટે કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ. ચાલો આ લેખમાં આવા જ કેટલાક ઉપાયો વિશે વાંચીએ જે ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

રાત્રે શાંતિથી સૂવા માટે આ ટિપ્સ અજમાવો

  1. રાત્રિભોજન કર્યા પછી તરત જ ક્યારેય સૂઈ જવું નહીં. કોઈપણ ખોરાક ખાધા પછી, થોડાકલાકો સુધી રાહ જુઓ અને પછી સૂઈ જાઓ.
  2. રાત્રે હળવો અને સુપાચ્ય ખોરાક લેવો. ઓછા તેલ, ઓછા મસાલા અને ઓછા પ્રોટીન અથવા મધ્યમ પ્રોટીનવાળા ખોરાક ખાઓ.
  3. IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
    પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
    ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
    કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
    એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
    ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
  4. માંસ, ચિકન, ચીઝ અથવા અન્ય ભારે પ્રોટીનયુક્ત ખોરાક રાત્રે ન ખાવા જોઈએ.
  5. સૂતા પહેલા હૂંફાળું પાણી પીવું પણ ફાયદાકારક માનવામાં આવે છે.

આ ખોરાક ખાવાથી ઊંઘની ગુણવત્તામાં વધારો થઈ શકે છે

મખાના અને દૂધ

રાત્રે સુતા પહેલા એક મુઠ્ઠી મખાનાને એક ગ્લાસ દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો. તેનાથી ઉંઘની સમસ્યામાં રાહત મળશે. દૂધ અને મખાનાથી પણ તણાવ ઓછો થાય છે, જેના કારણે ઊંઘ ઝડપથી આવે છે અને સારી રીતે ઊંઘ આવી શકે છે.

બદામ

ઊંઘની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ બદામનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખરેખર, બદામમાં મેલાટોનિન નામના હોર્મોન્સ જોવા મળે છે. આ હોર્મોન્સ ઊંઘની પેટર્નને સુધારવામાં ફાળો આપે છે અને આ હોર્મોન્સ શરીરને વધુ આરામથી અને સારી ઊંઘ માટે સંકેતો મોકલે છે, જેથી તમે ઊંડી ઊંઘ લઈ શકો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

કેરીના અથાણાંના ફાયદા: મોઢામાં પાણી લાવી દે તેવું આ અથાણું છે સ્વાસ્થ્યવર્ધક, જાણો કેવી રીતે?

સ્વસ્થ રહેવા માટે કેટલા કલાકની ઊંઘ છે જરૂરી? જો ન જાણતા હોય તો આ જરૂર વાંચો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">