AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત પર તોળાઈ રહ્યો છે આ ખતરનાક બીમારીનો ખતરો ! WHOએ આપી છે ચેતવણી

WHOના રિપોર્ટમાં ઓરીને વિશ્વનો નવો પ્રકોપ માનવામાં આવ્યો છે, જેમાં ભારત બીજા સ્થાને છે. ચાલો આ રોગ વિશે બધું સમજીએ. અને કઈ રીતે બચવું તેની જાણકારી મેળવીએ. 

ભારત પર તોળાઈ રહ્યો છે આ ખતરનાક બીમારીનો ખતરો ! WHOએ આપી છે ચેતવણી
| Updated on: Nov 16, 2024 | 7:14 PM
Share

ઓરી જે વાયરલ ચેપ છે. તે સામાન્ય રીતે બાળકોને અસર કરે છે, પરંતુ તે કોઈપણ ઉંમરના કોઈપણને થઈ શકે છે. ઓરી એક વાઇરસને કારણે થાય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે. WHOના તાજેતરના અહેવાલ મુજબ, ઓરીની બીમારીને ભારત માટે ઘાતક ગણાવવામાં આવી છે. વાસ્તવમાં, આ રિપોર્ટમાં 57 દેશોમાં ઓરીના પ્રકોપની વાત કરવામાં આવી છે, જેમાં ભારતને બીજું સ્થાન મળ્યું છે.

આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓરીના ચેપ સામે રસીકરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ચેપના કેસોમાં વધારો થયો છે. અહેવાલ મુજબ, 2023 માં ઓરીના 10.3 મિલિયન કેસ નોંધાયા સાથે વૈશ્વિક સ્તરે ચેપની ઘટનાઓમાં 20% વધારો થવાની ધારણા છે. તે જ સમયે, અનુમાનિત મૃત્યુની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં 8% નો વધારો થયો છે, અને વૈશ્વિક સ્તરે ઓરીના કારણે 107,500 મૃત્યુ થયા છે.

શું છે ઓરી ?

ઓરી એ એક ચેપી વાયરલ રોગ છે, જે મોર્બિલીવાયરસ નામના વાયરસ દ્વારા ફેલાય છે. તે મોટે ભાગે બાળકો અને નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે. આ વાઇરસ હવા દ્વારા ફેલાય છે અને છીંક કે ખાંસી દ્વારા વાયુના કણો દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.

આ વાયરલ રોગના પ્રારંભિક લક્ષણો

  • તાવ આવવો.
  • ઉધરસ, સામાન્ય રીતે શુષ્ક
  • વહેતું નાક
  • બર્નિંગ અને આંખોમાં લાલાશ
  • શરીર પર લાલ ફોલ્લીઓ થવી
  • મોઢાની અંદર સફેદ ફોલ્લીઓ

ઓરીની સારવાર કેવી રીતે કરવી ?

ઓરીની સારવાર અંગે ચર્ચા કરવામાં આવે તો ઓરી માટે કોઈ ચોક્કસ સારવાર નથી કારણ કે તે વાયરલ ચેપ છે, પરંતુ તેના લક્ષણો ઘટાડી શકાય છે.

  • તાવ ઘટાડવા માટે દવાઓ લઈ શકાય છે. (ડૉક્ટરની સલાહ લીધા બાદ)
  • શરીરમાં પાણીની કમી ન થાય તે માટે પૂરતું પાણી પીઓ.
  • પૌષ્ટિક આહારનું સેવન કરો.
  • ગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

દેશમાં ઓરીના કેસોમાં વધારો થવાનું કારણ

WHOના રિપોર્ટ અનુસાર, ઓરીના કેસ વધવાનું મુખ્ય કારણ રસીકરણનો અભાવ છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ઓરી રસીકરણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં રસીકરણના અભાવે ઓરીના રોગચાળામાં વધારો કર્યો છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">