AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loksabha Election : કોંગ્રેસે બહુ ચર્ચિત વડોદરા બેઠક પર જશપાલસિંહ પઢિયારને આપી ટિકિટ, ક્ષત્રિય મતો અંકે કરવા પાસુ ફેંક્યુ ?

જરાતમાં મતદાનને હવે થોડા જ દિવસ બાકી છે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની વધુ 3 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેમાં ખૂબ જ ચર્ચામાં રહેલી વડોદરા બેઠક પર કોંગ્રેસે જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સામે તેઓ ચૂંટણી જંગ લડવાના છે.

Loksabha Election : કોંગ્રેસે બહુ ચર્ચિત વડોદરા બેઠક પર જશપાલસિંહ પઢિયારને આપી ટિકિટ, ક્ષત્રિય મતો અંકે કરવા પાસુ ફેંક્યુ ?
| Updated on: Apr 09, 2024 | 1:33 PM
Share

ગુજરાતમાં મતદાનને હવે થોડા જ દિવસ બાકી છે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની વધુ 3 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેમાં ખૂબ જ ચર્ચામાં રહેલી વડોદરા બેઠક પર કોંગ્રેસે જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સામે તેઓ ચૂંટણી જંગ લડવાના છે.

અગાઉ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી

જશપાલસિંહ પઢીયાર અગાઉ લોકસભાની ચૂંટણી લડવા માટે ના પાડી ચૂક્યા છે તેમ છતાં તેઓના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે.પાદરા એ છોટાઉદેપુર સંસદીય મત ક્ષેત્રમાં લાગે છે, જેના કારણે તેમણે અગાઉ વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે લડવાની ના પાડી હતી. જો કે અનેક ચર્ચાઓ બાદ કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે તેઓના જ નામની જાહેરાત કરી છે.

કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ ખેલ્યુ !

સમગ્ર ભારત દેશમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે વડોદરા બેઠક ઉપરથી કોંગ્રેસે યુવાન નેતા જશપાલસિંહ પઢીયારની પસંદગી કરતા આશ્ચર્ય સર્જાયુ છે. તેમનો મત વિસ્તાર વડોદરા લોકસભામાં આવતો નહિં હોવા છતાં તેમને વડોદરા લોકસભાની બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા છે.જેનો અર્થ કોંગ્રેસે ક્ષત્રિય મતો અંકે કરવા માટે પાસુ ફેંક્યું હોય તેમ મનાય છે.

કોણ છે જશપાલસિંહ પઢિયાર ?

કોંગ્રેસે આખરે વડોદરા બેઠક પરના ઉમેદવારના નામ પરથી પડદો હટાવી દીધો છે. વડોદરા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર 41 વર્ષની વયના છે. જશપાલસિંહ પઢિયાર ઠાકોર તરીકે પણ ઓળખાય છે. તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ મૂળ એકલબારા ગામની દૂધ મંડળીના પ્રમુખ છે.

વર્ષ 2010માં તેઓ અપક્ષ તરીકે તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ વર્ષ 2-11માં યુવા કોંગ્રેસની ચૂંટણી લડી કોંગ્રેસમાં પ્રવેશ્યા હતા. જશપાલસિંહ પઢિયાર અગાઉ કોંગ્રેસમાંથી જ ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક પર જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. જો કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને પાદરા બેઠક પર જ હારનો સામનો કરવો પડ્યો હતો.

જશપાલસિંહ પઢિયાર હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે. વડોદરા જિલ્લાના સાવલી અને વાઘોડિયા તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ છે. જેથી કોંગ્રેસે તેમને આ લોકસભા બેઠક જીતવાની કમાન સોંપવામાં આવી છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">