વારંવારની નોટિસ બાદ પણ નથી સુધરતુ વડોદરા સયાજી હોસ્પિટલનું તંત્ર, ફાયર ઓફિસરે કહ્યુ હવે નિયમનું પાલન નહીં થાય તો …. -જુઓ Video

રાજ્યમાં છાશવારે ઘટતા આગના બનાવો બાદ પણ વડોદરાની સયાજી હોસ્પિટલ ફાયરસેફ્ટી મુદ્દે ગંભીર નથી થઈ રહી અને ફાયર વિભાગની અનેક નોટિસો બાદ પણ નવા સાધનો વસાવવામાં આવ્યા નથી, વારંવાર નોટિસ આપવા છતા ફાયરના સાધનો રિન્યુ ન કરાતા ફાયર ઓફિસરે હવે નિયમનું પાલન નહીં થાય તો આ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2024 | 5:12 PM

રાજકોટમાં શનિવારે ગેમઝોનમાં લાગેલી આગ બાદ જે કરૂણાંતિકા સર્જાઈ તેનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ છે. આ એટલો ભયાનક અગ્નિકાંડ હતો કે અહીં 28 જિંદગીઓ આગમાં ભડથુ થઈ ગઈ અને તેમના પુરા મૃતદેહ પણ મળવા પામ્યા નથી માત્ર અવશેષો મળ્યા છે. રાજ્યમાં અનેક આગની ઘટના બાદ પણ વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર તેમાથી કોઈ બોધપાઠ નથી લઈ રહ્યુ અને ફાયર સેફ્ટી અંગે બેદરકાર જણાઈ રહ્યુ છે. ફાયર ઓફિસર દ્વારા વારંવાર નોટિસ આપવા છતા સયાજી હોસ્પિટલ દ્વારા ફાયરના સાધનો રિન્યુ કરવામાં આવ્યા નથી.

વડોદરાની પ્રસિદ્ધ SSG હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં તપાસમાં સામે આવ્યું છે કે સુપરિન્ટેન્ડેન્ટ, RMO અને ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે તેમાં જ “ફાયર સેફ્ટી” નથી ! સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઓફિસ બહાર લાગેલા ફાયર સેફ્ટીના સાધનો જ એક્સાપયરી ડેટના જોવા મળ્યા. માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયેલા જણાઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ SSG હોસ્પિટલના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠાવે છે.

સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલનું તંત્ર જ્યારે ઊંઘતું ઝડપાયું ત્યારે એવી સ્પષ્ટતા કરવામાં આવી કે ગઈકાલે જ ફાયર સેફ્ટીને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી જૂના ફાયર સેફ્ટીના સાધનોને રિન્યુ કરવાની સૂચના આપી દેવાઈ છે !

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ સમગ્ર મુદ્દે VMCના ફાયર ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલને વારંવાર નોટીસ આપવામાં આવી છે. જો હવે નોટિસનું પાલન કરવામાં નહીં આવે તો હોસ્પિટલ સીલ કરવામાં આવશે. તમને કદાચ નવાઈ લાગશે પણ, ફાયર સેફ્ટીને લઈને હોસ્પિટલને અપાયેલી આ ચોથી નોટિસ છે ! ત્યારે સમગ્ર ઘટના કેટલાંક સવાલો ઉઠાવી રહી છે.

Input Credit- Prashant Gajjar- Vadodara

આ પણ વાંચો : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આંધી- વંટોળ સાથે વરસાદની થશે શરૂઆત – Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">