હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આંધી- વંટોળ સાથે વરસાદની થશે શરૂઆત – Video

અસહ્ય ગરમી વચ્ચે હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે રાજ્યમાં ક્યાં ક્યાં ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ થશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોર પકડશે અને રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2024 | 3:25 PM

અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોર પકડશે. રાજ્યના ઘણા ભાગમાં આંધી અને વંટોળ સાથે વરસાદની શરૂઆત થશે. જેમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત ભરૂચના જંબુસર. પંચમહાલ અને સાબરકાંઠામાં પણ વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર

આ તરફ હવામાન વિભાગે પણ ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળશે. આજથી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ખેડૂતો માટે સારા સમાચાર

રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે.

આ પણ વાંચો: 32 જિંદગીઓને ભરખી જનારા ગેમઝોનના સ્થળે મૃતકોના આત્માની શાંતિ માટે બ્રાહ્મણો દ્વારા કરાયા ચતુશ્લોકી ભાગવત્ ના પાઠ- Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">