સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને ફાળવે તેવી માંગ ઉઠી, રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી છે દાવેદારી

ચુવાળિયા કોળી ઠાકોર સમાજના અગ્રણી રણછોડ ઉધરેજાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ છે. તો સુરેન્દ્રનગર બેઠક એ ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે, ત્યારે આગામી લોકસભાની ટિકિટ ચુવાળિયા કોળી સમાજને આપવામાં આવે તેવી અમારી માંગ છે.

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને ફાળવે તેવી માંગ ઉઠી, રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી છે દાવેદારી
Surendranagar
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 19, 2024 | 5:25 PM

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે. જેમાં મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો પૈકી 5 બેઠકોમાં નામની જાહેરાત કરી છે, તેને જોતા આ જાતિગત સમીકરણ પર પુરતું ધ્યાન આપવામાં આવ્યું છે. આ વચ્ચે સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળિયા કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે

ચુવાળિયા કોળી ઠાકોર સમાજના અગ્રણી રણછોડ ઉધરેજાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ છે. કોળી સમાજમાં પણ જે રીતે પેટા જ્ઞાતિઓ છે, તેમાં ભાવનગરમાં તળપદા કોળી સમાજને ટિકીટ આપવામાં આવે છે. જુનાગઢ બેઠક પર ઘેડિયા કોળી સમાજને ટિકીટ આપવામાં આવે છે, સુરેન્દ્રનગર બેઠક એ ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે ત્યારે આગામી લોકસભાની ટિકીટ ચુવાળિયા કોળી સમાજને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ચુવાળિયા કોળી સમાજને હંમેશાથી અન્યાય થયો છે. હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ચુવાળિયા કોળી છે, જ્યારે તે પહેલાના સાંસદ દેવજી ફતેપરા પણ ચુવાળિયા કોળી છે. ત્યારે આ બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને જ આપે તેવી માંગ કરાઇ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી દાવેદારી

એક તરફ સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી સમાજને આપવાની માંગ કરાઇ છે, ત્યારે ચુવાળિયા કોળી સમાજના અગ્રણી દેવ કોરડિયાએ ટિકિટની માંગ કરી છે. દેવ કોરડિયા સૌથી નાની વયના સરપંચ રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી છે. દેવ કોરડિયા ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. યુવાઓને ટિકિટ ફાળવવાની નેમમાં દેવ કોરડિયાને ટિકીટ આપવામાં તેવી માંગ કરાઇ છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">