Sabarkantha: કોરોનાકાળમાં માનસિક દબાણ અનુભવતા નાગરીકોને મદદ કરવા પોલીસનો પ્રયાસ, ઉભી કરી ખાસ સુવિધા

કોરોનાકાળ દરમ્યાન અનેક લોકોને એકલતા અને આર્થિક સંકટ તેમજ સ્વજન ગુમાવવા સહિતની બાબતોથી માનસિક અસ્વસ્થતા અનુભવાય છે. જેને લઈને હવે સાબરકાંઠા પોલીસે મદદ શરુ કરી છે.

Sabarkantha: કોરોનાકાળમાં માનસિક દબાણ અનુભવતા નાગરીકોને મદદ કરવા પોલીસનો પ્રયાસ, ઉભી કરી ખાસ સુવિધા
Sabarkantha Police-SP-Niraj Badgurjar
Follow Us:
| Updated on: Jun 25, 2021 | 8:24 PM

આમ તો તમે વિચાર્યુ હશે કે પોલીસ ( Police) કોઈ ઘટના સર્જાય કે પછી કાયદાનો ભંગ થતો લાગે ત્યારે મદદે દોડી આવતી હશે. પરંતુ જો તમને આસપાસમાં અસુરક્ષિત નહી પરંતુ માનસિક રુપે અસુરક્ષિતતા લાગતી હોય તો મદદે દોડી આવી શકે છે. સાબરકાંઠા પોલીસે (Sabarkantha Police) હવે આ દિશામાં પહેલ શરુ કરી છે. જે મુજબ લોકો કોરોનાકાળ (Corona Virus) માં પરિવારજનને માનસિક રીતે તાણ કે અસ્વસ્થતા (Mental Depression) જણાતી હોય ત્યારે પોલીસની મદદ મેળવી શકાશે.

આ માટે પોલીસ કંટ્રોલ રુમ (Police Control Room) કે 100 નંબર ડાયલ કરવાથી મદદ માટે પોલીસ હાજર થઈ જશે. કોરોનાકાળ દરમ્યાન અનેક લોકોને એકલતા અને આર્થિક સંકટ તેમજ સ્વજન ગુમાવવા સહિતની બાબતોથી માનસિક અસ્વસ્થતા અનુભવાય છે. જેને લઈને હવે સાબરકાંઠા પોલીસે મદદ શરુ કરી છે. કારણ કે ક્યારેક વધુ પડતી અસ્વસ્થતા અણગમતી ઘટના સુધી પ્રેરી જતી હોય છે. જેથી તેમને સમયે યોગ્ય કાઉન્સેલીંગ આપવુ જરુરી વર્તાઈ રહેવા લાગ્યુ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જે મુજબ એક કોલ પોલીસને કરવાથી માનસિક તાણને દુર કરવા માટે સલાહ આપનાર અને પ્રોફેશનલ કાઉન્સીલીંગ કરનાર આવીને યોગ્ય મદદ પુરી પાડશે. જિલ્લા પોલીસે એક નંબર જાહેર કર્યો છે, જે અંતર્ગત તેઓ કોઈપણ પ્રકારની સલાહ, સહાયતા અને મદદ મેળવી શકાય. જિલ્લા પોલીસ કંટ્રોલ રુમના ફોન નંબર 02772 246733 પર કોલ કરી સહાય મેળવી શકાશે.

સાબરકાંઠા SP નિરજ બડગુર્જરે (Niraj Badgurjar) કહ્યું હતુ કોરોનાકાળ દરમ્યાન કેટલાક લોકો માનિસક તણાવ અનુભવતા હોય છે. જેને લઈને અમે આ સેવાનો આરંભ કર્યો છે. કંટ્રોલ રુમમાં કેટલાક સ્ટાફને આ અંગે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. જે વૃદ્ધો એકલતા અનુભવતા હોય તેમને પણ મદદ માટે ધ્યાન રાખી રહ્યા છીએ.

પોલીસ ખરા અર્થમાં ‘મિત્ર’

પોલીસ કર્મીઓ લોકોને પહેલા સુરક્ષિત માહોલ પુરો પાડતા હતા જ, પરંતુ હવે તેમાં થોડોક ફેરફાર કર્યો છે કે પોલીસ મિત્રની માફક ખભે હાથ મુકીને રાહતનો અહેસાસ કરાવશે. પોલીસની પીસીઆર વાન હવે મિત્ર બનીને ઘરના દરવાજે પહોંચે તેવો પ્રયાસ શરુ કરાવમાં આવ્યો છે. આ સેવા દ્વારા એકલતા અનુભવતા વૃદ્ધોને પણ પોલીસ માનસિક રીતે મદદ કરવાનો પ્રયાસ કરશે.

કપરા સમયને પારખી SP, DySPએ ‘કોલ’ અજમાવ્યો

કોરોનાકાળ દરમ્યાન શરુઆત પોલીસના પરિવારો અને પોલીસ કર્મીઓને એક બીજાની પૃચ્છા કરીને દરકાર રાખવાની શરુ કરી હતી. એસપી સહિતના અધિકારીઓ ખુદ પોલીસ કર્મીઓને કોરોનાકાળ દરમ્યાન ફોન કરીને હાલચાલ પુછતા હતા. જે પ્રયોગ સફળ લાગવા લાગતા હવે, યોગ્ય મદદ સાથે નાગરિકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

મદદ મેળવનારે શેર કર્યો અનુભવ

કોરોનાકાળમાં માનસિક તાણ અનુભવી રહેલા જાકીર હુસૈને પોતાના અનુભવને શેર કર્યો હતો. તેમણે કહ્યું હતુ, કે તે કરિયાણાની નાનકડી દુકાન ધરાવે છે. તે કોરોનાકાળમાં બંધ થઈ ગઈ હતી અને બાદમાં ધંધો મંદ પડવાનું માનસિક દબાણ રહેતુ હતુ. હેલ્પ લાઈન પર ફોન કરતા મને સલાહ અને માર્ગદર્શન આપવામાં આવી હતી.

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">