AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધાવેલી 19મી સદીની પાણીની પરબો હજુ પણ અડીખમ

ગાયકવાડી સ્ટેટ ગણાતા નવસારી શહેરે વિવિધ સુવિધાઓ 19મી સદીમાં જ પ્રાપ્ત કરી લીધી હતી. નવસારી શહેરમાં પીવાના પાણી મુદ્દે સયાજી ગાયકવાડ ખૂબ ગંભીર હતા. તમામ લોકોને પીવાનું પાણી મફતમાં અને સરળતાથી મળી રહે તેના માટે નવસારી શહેરમાં અલાયદો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

Navsari: મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધાવેલી 19મી સદીની પાણીની પરબો હજુ પણ અડીખમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 3:48 PM
Share

Navsari :  વર્ષ 1800માં બરોડા સ્ટેટના મહારાજા સયાજી ગાયકવાડ (Maharaja Sayaji Gaikwad)  પ્રજા પ્રેમી અને માનવીય ધર્મની ભાવીને જનહિતના કામો કરીને માનવ કલ્યાણ માટે તેમની વિચારધારા આજે પણ વખાણાય છે. ગાયકવાડી સ્ટેટ ગણાતા નવસારી શહેરે વિવિધ સુવિધાઓ 19મી સદીમાં જ પ્રાપ્ત કરી લીધી હતી.

નવસારી શહેરમાં પીવાના પાણી મુદ્દે સયાજી ગાયકવાડ ખૂબ ગંભીર હતા. તમામ લોકોને પીવાનું પાણી મફતમાં અને સરળતાથી મળી રહે તેના માટે નવસારી શહેરમાં અલાયદો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-Anand: ટાઉન પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા, 2 લાખ રુપિયાની માગી હતી લાંચ, જુઓ Video

મહારાજા સયાજી ગાયકવાડે માનવ વસ્તી નજીક વાવ બંધાવી હતી અને વાવની સાથે શહેરી વિસ્તારોમાં પાણીની ટાંકીઓ બંધાવી હતી. 2000 લીટર પાણી સમાઈ શકે એવી પાણીની ટાંકીઓ આજે પાલિકા ઉપયોગમાં નથી લેતું, પરંતુ આજે પણ અડીખમ મજબૂતાઈથી શહેરના નાકા ઉપર ટાંકીઓ ઊભી છે. સયાજીરાવ ગાયકવાડે ઘરો નજીક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરી હતી.

સયાજીરાવ ગાયકવાડે જન હિતમાં લોકોના ઘરો અને મહિલાઓમાં જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટેની વ્યવસ્થાઓ કરી હતી. જેમાં સામુહિક રીતે એક જ જગ્યાએ લોકો ભેગા થઈને પાણી ભરે તેવી વ્યવસ્થા કરી હતી, જેમાં રજવાડી પ્રકારના નળ મુક્યા હતા. એક અંદાજ મુજબ 1800ની સાલમાં નવસારી શહેરની વસ્તી પાંચ હજાર જેટલી હતી પારસીઓએ વિકસાવી હતી. જેમાં ગાયકવાડ રાજા દ્વારા પ્રજાને ઘર આંગણે પાણીની પરબો બનાવી આપી હતી.

શ્રેષ્ઠીઓ પાણીની પરબો બનાવી ધન્યતા અનુભવતા હતા

પહેલાના જમાનામાં લોકો સેવા અર્થે પાણીની પરબો બંધાવતા હતા. તે સમયે વાહન વ્યવહારનો સદંતર અભાવ હતો. તે સમયે મોટા ભાગે લોકો પગપાળા પહોંચવાનું પસંદ કરતા હતા.ત્યારે તડકામાં લોકોની તરસ છીપાવવા માટે પાણીની પરબ બંધાવી આપવી એ સામાજિક ઉત્તરદાયિત્વ ગણાતું હતુ.

આ સાથે જ પૂર્ણ અને અંબિકા નદી ધરાવતા નવસારી શહેરમાં તળાવ પણ મોટી સંખ્યામાં હતા નાના મોટા તળાવોની સાથે લોકો કપડા ધોવા માટે સરળતાથી જઈ શકે એના માટે સયાજીરાવ ગાયકવાડ સમયે ઓવરાઓ બનાવવામાં આવ્યા હતા. જ્યાં મહિલાઓ એક સાથે ભેગી મળીને કપડાં ધોતી હતી. જેમાં સામાજિક સુરક્ષાનો ભાવ સંકળાયેલો હતો.

(ઈનપુટ ક્રેડિટ : નિલેશ ગામીત)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">