ધોમધખતા તાપમાં હવે ગીરના સાવજો નહીં રહે તરસ્યા, વનવિભાગે તૈયાર કર્યા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ- જુઓ Video

લોકસાહિત્યના શોખીનોએ સાવજડા સેંજળ પીવે દુહો તો ખાસ સાંભળ્યો જ હશે. જો કે હવે વિકાસની આંધળી દોટમાં ગીરમાં બારેમાસ ખળખળ વહેતી નદીઓ તો ભૂતકાળ બની ચુકી છે. અને માત્ર ચોમાસા દરમિયાન આ નદીઓમાં પાણી આવે છે ત્યારે ગીરના ઠાલામથ્થા અને અન્ય વન્યજીવોને ધોમધખતા તાપમાં પાણી માટે આમતેમ ભટકવુ ન પડે, તેને ધ્યાને રાખી વનવિભાગ દ્વારા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

| Updated on: Apr 14, 2024 | 6:38 PM

સંતો, શુરા, અને સાવજોની ભૂમિ એટલે સોરઠ. આ સોરઠની ભૂમિ પર સાવજોની ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં સાવજ માટે લોકસાહિત્યમાં લખાયુ છે કે સોરઠ ધરા જગ જુની, જગ જૂનો ગિરનાર, સાવજડા સેંજળ પીવે, ન્યાના નમણાં નરને નાર… જો કે સાવજડા સેંજળ પીવેની વાતો હવે માત્ર લોકસાહિત્યમાં જ રહી ગઈ છે અને હવે ગીરકાંઠે વસતા સાવજો જ્યાંથી મળે ત્યાંથી પાણી પીને તરસ છીપાવે છે. હવે ગીરકાંઠાની નદીઓ ચોમાસા સિવાય વહેતી નથી ત્યારે વનવિભાગ દ્વારા ગીરના જંગલમાં જુદા જુદા સ્થળે પાણીના કૃત્રિમ પોઈન્ટ્સ બનાવવામાં આવે છે. આથી વન્ય જીવો અને ગીરના સાવજો જ્યારે તરસ્યા થાય ત્યારે આ કૃત્રિમ વોટર પોઈન્ટ્સમાંથી પાણી પી તેમની તરસ છીપાવી શકે.

સાવજને દિવસનું 6 લીટર પીવે છે પાણી, ગીરમાં ઉભા કરાયા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ

સામાન્ય રીતે એશિયાટિક લાયનને સવારે ઉઠતાવેંત પાણીની જરૂરિયાત રહે છે અને તે એકીસાથે 3 લીટર જેટલુ પાણી ગટગટાવી જાય છે અને સાંજના સમયે પણ ત્રણ લીટર જેટલુ પાણી પી જાય છે. ઉનાળાના ધોમધખતા તાપમાં તે 6 લીટરને બદલે દિવસનું 8 લીટર જેટલુ પાણી પી જાય છે. ત્યારે ગીરના સાવજો અને અન્ય પશુઓ મોજથી પાણી પી તેમની તરસ છીપાવી શકે તે માટે વનવિભાગે કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કર્યા છે. જેમાથી પાણી પી તેઓ ઠંડક મેળવી શકે છે.

ગીરમાં વનવિભાગ 500થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા

ઉનાળો શરૂ થતાં જ વન વિભાગ સક્રિય થઈ જતું હોય છે. કારણ કે ઉનાળામાં કુદરતી જળાશયો સુકાતા વન્યજીવોની હાલત કફોડી બનતી હોય છે. ત્યારે પ્રાણીઓને પીવાના પાણી માટે તરફડવું ન પડે તે માટે વિવિધ સ્થળો પર આ રીતે “કૃત્રિમ જળસ્ત્રોત” ઊભા કરવામાં આવે છે. હાલ ગીરના જંગલમાં આવાં 500 થી પણ વધુ “આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ” તૈયાર કરાયા છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

આ પણ વાંચો:  જામનગર: નેશનલ ફાયર સર્વિસ ડે નિમીત્તે મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ- જાણો કેમ દર 14 એપ્રિલે ઉજવાય છે આ દિવસ

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">