6 જૂનના મહત્વના સમાચાર : આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત
આજે 6 June 2024ને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
![6 જૂનના મહત્વના સમાચાર : આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Breaking-News.jpg?w=1280)
નરેન્દ્ર મોદીને સર્વાનુમતે NDAના નેતા પસંદ કરાયા છે. જલ્દી જ તેઓ રાષ્ટ્રપતિને મળી સરકાર રચવાનો દાવો કરશે. 8 જૂને ત્રીજી વખત તે શપથ લઈ શકે છે. INDIA ગઠબંધન સરકાર રચવાનો દાવો રજૂ નહીં કરે. 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજથી મધ્ય બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 11 જૂન સુધી અમદાવાદમાં વરસાદ આવશે. રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ, RMC, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી. ખરાઈ વિના જ લાયસન્સ અપાયું છે. વડોદરામાં ડૂબવાથી વધુ પડતા મોતને લઈ તંત્રનો મહત્વનો નિર્ણય. જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી, કેનાલ સહિત તળાવોમાં ન્હાવા પર પ્રતિબંધ..
LIVE NEWS & UPDATES
-
આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત
આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત થયા છે. એકજ પરિવારના બે મહિલા અને બે યુવકો સહિત કુલ ચાર જણાના ડૂબી જવથી મોત થયા છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં નાહવા ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
-
રાજકોટ મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસર સામે નોંધાઈ અપ્રમાણસર મિલકતની ફરિયાદ
TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર સામે અપ્રમાણસર મિલકતો ધરાવવાનો કેસ નોંધાયો છે. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા પર ACBમાં ફરિયાદ નોંધાઈ છે. ACBએ 2012 થી 2024 સુધીની બેન્ક ડીટેઈલ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા છે. જેના આધારે ભીખા ઠેબા પાસે 79 લાખ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. આવક કરતા 67.57 ટકા જેટલી વધુ રકમની સંપત્તિ મળી આવતા કેસ નોંધવામાં આવ્યો છે.
-
-
વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકોની પરીક્ષામાં પાસ કરાવવાના કૌંભાડમાં 20 કર્મચારીઓ સસ્પેન્ડ
વડોદરામાં, વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડના મામલે 20 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા તમામે તમામ 20 કર્મચારીઓ Mgvclમાં ફરજ બજાવતા હતા. 20 કર્મીઓમાંથી કેટલાક કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચા છે. જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરીને પાસ થયા હતા. રાજ્યની વીજ કંપનીઓમાં વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની લેવાઈ હતી ઓનલાઈન પરીક્ષા. સમગ્ર કૌભાંડનો સુરત પોલીસે કર્યો હતો પર્દાફાશ.
-
રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી કિરીટસિંહ જાડેજા જેલ હવાલે
રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી કિરીટસિંહના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે, 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી કિરીટસિંહના વધુ રિમાન્ડની માંગણી કરી નથી. આથી કોર્ટે કિરીટસિંહને જેલમાંં મોકલી આપવાનો આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 28 મે ના રોજ ટીઆરપી ગેમ ઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરાઇ હતી.
-
અમદાવાદીઓ હવે વોટ્સએપ મારફતે AMCને કરી શકશે ફરિયાદ
અમદાવાદઓ હવે whatsapp ઉપર ફોટા, વીડિયો અને એડ્રેસ મોકલીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, અલગ અલગ 7 ઝોનના 7 વોટસઅપ નંબર જાહેર કર્યા છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવા બાબત, ગંદકી બાબતે, ઝાડ પડવા બાબતે, બિસ્માર રોડ કે ભુવો પડવા કે લાઈટ સહિત તમામ પ્રકારની ફરિયાદ માટે ઝોન વાઈઝ whatsapp નંબર જાહેર કરવામાં આવ્યા છે. ભયજનક મકાન તેમજ જોખમી હોર્ડિગ્સ બાબતે પણ ફરિયાદ કરી શકાશે.
-
-
TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસમાં, ACB અપ્રમાણસર મિલ્કત અંગેનો નોંધી શકે છે કેસ
TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમગ્ર કેસમાં ACB સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. બે ક્લાસ 1 અધિકારીની અપ્રમાણસર મિલ્કતની ACB એ તપાસ પૂર્ણ કરી છે. Tpo એમ.ડી.સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર ની મિલકતોની ACB એ તપાસ કરી છે. અન્ય 8 જેટલા અધિકારીઓની મિલકતો પણ ACB તપાસ કરી રહી છે. આવતીકાલ સુધીમાં ACB નોંધી શકે છે પહેલી ફરિયાદ. અપ્રમાણસર મિલકત અંગે ACB માં આવતીકાલે નોંધાઈ શકે છે ફરિયાદ. રાજકોટના બે પૂર્વ પોલીસ ઇન્સ્પેકટર વિરૂદ્ધ પણ તપાસ શરૂ કરાઇ છે.
-
સુરતના ઈચ્છાપોરમાંથી ગેસ રિફિલિંગ કરવાનું કૌંભાડ ઝડપાયું
સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું કૌંભાડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 23 ગેસની બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સાંઈ સેલ્સ એજન્સીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થતું હતું. લોકોની જિંદગી જોખમમાં મૂકી કરવામાં આવતું રિફિલિંગ. ભૂતકાળમાં સુરત શહેરમાં આ રીતે રિફિલિંગ વખતે બ્લાસ્ટ થતા અનેક નિર્દોષ લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે.
-
વડોદરા: સેવાસદનનો સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા પકડાયો
વડોદરા: સેવાસદનનો સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા પકડાયો. વારસાઇની એન્ટ્રી માટે ફરિયાદી પાસે પૈસા માંગ્યા હતા. ઓફિસર સબીર દીવાન સામે ACBએ કાર્યવાહી કરી હતી. કરજણ તાલુકા સેવાદનમાં ACBની સફળ ટ્રેપ રહી.
-
અંબાજી: મંદિર પરિસરમાં 3D થિયેટર સીલ કરાયું
અંબાજી: મંદિર પરિસરમાં 3D થિયેટર સીલ કરાયું છે. ફાયર સેફટી અને ફાયર NOC ન હોવાથી કાર્યવાહી કરાઇ છે. 3D થિયેટરમાં ફાયબરની વસ્તુઓ હોવાથી આગ જલ્દી પકડી શકે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં તંત્ર સજ્જ છે.
-
કમોસમી વરસાદથી 1547 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન થયું
મે મહિનામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે. કમોસમી વરસાદના કારણે 235 ગામોને અસર થઇ છે. ત્રણ જિલ્લાના 7 હજાર 438 હેકટરમાં નુકસાન થયું છે. સુરત, નર્મદા, વલસાડ જિલ્લામાં ખેડૂતોને વધુ નુકસાન થયુ છે. 1547 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. કૃષિ વિભાગની કુલ 30 ટીમો દ્વારા સર્વે કરાયો હતો. ગત 13 મેથી 18 મે વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ થયો હતો.
-
ચંદ્રબાબુ નાયડુ દેશના વિશ્વાસ પર ખરા ઉતરશે – પપ્પુ યાદવ
બિહારની પૂર્ણિયા લોકસભા બેઠક પરથી અપક્ષ વિજેતા ઉમેદવાર પપ્પુ યાદવે કહ્યું, ‘નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ હંમેશા મહાત્મા ગાંધીના વિચારોને અનુસર્યા છે, તેઓ સામાજિક ન્યાયની વાત કરે છે. મને આશા છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે નીતિશજી દેશના વિશ્વાસ પર રહેશે અને ચંદ્રબાબુ નાયડુ પણ તેમના પર દેશને ગર્વ થશે. મને આશા છે કે ભારત ગઠબંધન સરકાર બનાવશે અને જો એનડીએ ગઠબંધન સરકાર બનાવશે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને.
-
સુરતઃ આઈસક્રીમ વિક્રેતાઓ પર GSTના દરોડા
સુરતઃ આઈસક્રીમ વિક્રેતાઓ પર GSTના દરોડામાં કરોડોના શંકાસ્પદ વ્યવહાર મળ્યા છે. આઈસક્રિમ, જ્યુશ, ભજીયા અને પિઝાના વિક્રેતાઓ પર દરોડા પાડ્યા હતા. 40 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર મળ્યા છે. બિસ્મિલ્લાહ અને 51 રેમ્બો આઈસક્રિમની તપાસમાં 2 કરોડના વ્યવહાર મળ્યા.
-
જૂનાગઢ : કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત
જૂનાગઢ જિલ્લાના સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. કાર પલ્ટી મારી જતા કારમાં સવાર 2 ના મોત થયા છે. અકસ્માતમાં બે યુવતી સાથે કુલ 4 ઈજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
-
બનાસકાંઠાના પાલનપુરના 11 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા
બનાસકાંઠા: પાલનપુર શહેર અંગેના ટીવીનાઇનના અહેવાલની અસર થઇ છે. પાલનપુર શહેરના 11 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. 5 જૂનથી 5 જુલાઇ સુધી 11 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. હાલ 10 વિસ્તારના 30 લોકો સારવાર હેઠળ છે. ખાસદાર ફળી, રબારીવાસ, જમાદારવાસ અને સલાટ વાસના રહીશોને અસર થઇ છે. આરોગ્ય વિભાગે 3 જૂને પાણીના નમૂના લીધા હતા.
-
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટની વિશેષ ડિવિઝનલ બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર જવાબ રજૂ કરશે. શહેરોના વર્તમાન અને તત્કાલીન અધિકારીઓ પાસે પણ ખુલાસો મંગાયો છે. રાજ્ય સરકારે કરેલા સોગંદનામામાં અત્યાર સુધી થયેલી તપાસ અને એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કર્યો છે.
-
આજે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે. આજે 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં આગાહી છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલમાં આગાહી છે. તો દાહોદ,નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ આગાહી છે. 9 જૂન 11 જૂને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
-
રાજકોટ: કાલાવડ રોડ પર મહિલાએ પોતાનું જ વાહન સળગાવ્યું
રાજકોટ: કાલાવડ રોડ પર મહિલાએ પોતાનું જ વાહન સળગાવ્યું. સરકારી ક્વાર્ટર નજીક અકસ્માત થતાં મહિલા રોષે ભરાઈ હતી. અન્ય મહિલાએ નુકસાનના વળતર માટે રૂપિયા માંગતા મામલો બિચક્યો. વાહન સળગાવનાર મહિલા દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
-
વાયુસેનાએ ઉત્તરકાશીના સહસ્ત્રતાલમાં 3 પર્વતારોહીના જીવ બચાવ્યા
ઉત્તરકાશીના સહસ્ત્રતાલમાં ભારતીય વાયુસેનાએ રેસ્ક્યૂ ઓપરેશન કરી 15માંથી 3 પર્વતારોહીના જીવ બચાવ્યા છે. ખરાબ હવામાનના કારણે 15 ટ્રેકર્સ ફસાયા હતા. ભારતીય વાયુસેનાને 5ના મૃતદેહ મળ્યા છે. ખરાબ હવામાનના કારણે પર્વતારોહીઓ રસ્તો ભૂલી ગયા હતા. IAFએ 2 ચિતા અને MI-17 V5 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
Published On - Jun 06,2024 7:33 AM
![આજનું રાશિફળ તારીખ : 27-07-2024 આજનું રાશિફળ તારીખ : 27-07-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-WEB-STORY-THUMBNAIL-1-15.jpg?w=670&ar=16:9)
![રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-railways-5-new-vande-bharat-trains-route-8.jpg?w=670&ar=16:9)
![પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pakistani-woman-divorce-celebration-danced-video-6.jpg?w=670&ar=16:9)
![સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-bse-nse-seek-clarification-on-mtnl-share-return-6.jpg?w=670&ar=16:9)
![સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ghee-with-hot-water-health-benefits-2.jpg?w=670&ar=16:9)
![શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-home-remedies-will-cure-spine-pain-1721978586-1.jpeg?w=670&ar=16:9)