27 ઓક્ટોબરના મહત્વના સમાચાર: 2 દેશોના PMના આગમન પહેલા સપ્તરંગી રોશનીથી ઝળહળ્યુ વડોદરા, નજારો જોવા ઉમટ્યા વડ઼ોદરાવાસીઓ તો પાટનગરમાં પણ પીએમના આગમન રૂટને રોશનીથી શણગારાયો
News Update : આજે 27 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરત: ઉધના રેલવે સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ
- સુરત: ઉધના રેલવે સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ
- દિવાળી અને છઠ પૂજા માટે પરપ્રાંતિયો વતન જવા માટે રવાના
- ઉધના રેલવે સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા
- ગતરોજ સાંજથી જ લોકો પરિવાર સાથે ઉભા છે લાઈનમાં
- પ્લેટફોર્મ સુધી જ મુસાફરો ન પહોંચી શકતા ભારે મુશ્કેલી
- ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની ભારે ભીડ
- દિવાળીને લઈને 85થી વધુ સ્પેશિયલ ટ્રેન પણ કરાઈ શરૂ
- UP, બિહારના 1380 ફેરા મારશે સ્પેશિયલ ટ્રેન
- ભીડને કારણે મુસાફરોને ટ્રેનમાં બેસવાની સીટ પણ ન મળી
- મુસાફરોએ ટ્રેનમાં બોગી વધારવાની માગ કરી
- મુસાફરોની સંખ્યા વધતા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓ તૈનાત
- કોઈ દુર્ઘટના ન થાય તે માટે પોલીસે સંભાળ્યો મોરચો
-
રાજકોટ: પાક નિષ્ફળ જતાં સરધાર ગામના ખેડૂતે કર્યો આપઘાત
- રાજકોટ: પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
- માવઠાના માર સહન ન થતાં ખેડૂતો કરી આત્મહત્યા
- સરધાર ગામના ખેડૂત જેસિંગ મકવાણાએ જીવન ટૂંકાવ્યું
- બે એકર જમીનમાં વાવેલ પાક નિષ્ફળ જતાં ભર્યું પગલું
- ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
- હોસ્પિટલ સારવાર દરમિયાન ખેડૂતનું મોત
- વેરી બનેલા વરસાદથી કોથમીર અને મગફળીનો પાક થયો હતો નિષ્ફળ
- પોલીસ વધુ તપાસ હાથ ધરી
-
-
જામનગર: eKYCની કામગીરી પૂર્ણ ન કરનારાઓ શિક્ષકોને નહીં મળે રજા
- જામનગર: eKYCની કામગીરી પૂર્ણ ન કરનારાઓ શિક્ષકોને નહીં મળે રજા
- eKYCનું કામ 100 ટકા પૂર્ણ ન થયું હોય તો શિક્ષકો, સ્ટાફને નહીં મળે દિવાળી વેકેશન
- સરકારના આદેશનો શિક્ષણ સંઘો-મંડળોએ વિરોધ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી
- ગુજરાત નગર પ્રાથમિક શિક્ષણ સંઘની રાજ્યના શિક્ષણ મંત્રી અને મુખ્યપ્રધાનને રજૂઆત
- આદેશ અંગે ફેર વિચારણા કરવાની શિક્ષણ મંડળોએ કરી માગ
- શિક્ષકો, સ્ટાફને દિવાળી વેકેશન નહીં મળેના આદેશનો સમગ્ર રાજ્યમાં વિરોધ
-
ગીર સોમનાથ: ઉનામાં માછીમાર પર સિંહે કર્યો હુમલો
- ગીર સોમનાથ: ઉનામાં માછીમાર પર સિંહનો હુમલો
- નવાબંદર ગામે વનરાજે વ્યક્તિ પર કર્યો હુમલો
- ઇજાગ્રસ્ત માછીમારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
- નવાબંદર ગામમાં રોજ બરોજ સિંહના આંટાફેરા
- માછીમાર રાત્રે કામ કરતો હતો તે સમયે સિંહે હુમલો કર્યો
- સિંહના આંટાફેરા CCTVમાં કેદ થયા
- સમગ્ર મામલે વન વિભાગને જાણ કરાઈ
-
સુરતના માંગરોળમાં જલેબી હનુમાનજીનું અપમાન કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો
- સુરતઃ માંગરોળમાં જલેબી હનુમાનજીનું અપમાન કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો
- માંગરોળ પોલીસ મથક ખાતે ધર્મેન્દ્ર બારોટ વિરૂદ્ધ ગુનો દાખલ થયો
- હનુમાનજીની પુજાને લઈને કરી હતી વિવાદીત ટિપ્પણી
- પોલીસે ધર્મેન્દ્ર બારોટ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો
- હજારોની સંખ્યામાં ભક્તોએ આપ્યું હતું મામલતદારને આવેદનપત્ર
-
-
રાજભા ગઢવીએ ડાંગના લોકો માટે કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો
- રાજભા ગઢવીએ ડાંગના લોકો માટે કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો
- ટિપ્પણી બાદ આદિવાસી સમાજમાં રોષ
- ડાંગના સાંસદ ધવલ પટેલે રાજભા ગઢવીને માફી માગવા માગ
- રાજભાએ દિલથી માફી ન માગી હોવાનો પણ આક્ષેપ
- માફીના નામે માત્ર ગોળગોળ વાતો કરી હોવાનો આપો
ડાયરામાં આ ટિપ્પણી બાદ ગાયક કલાકાર રાજભા ગઢવીએ વીડિયો જાહેર કરી માફી પણ માગી હતી. ગાયક કલાકારે માફી માગતો વીડિયો બનાવ્યો પરંતુ ડાંગના લોકો સહિત ડાંગના સાંસદ આ માફીને માત્ર ગોળ-ગોળ વાતો ગણાવી રહ્યા છે. સાથે ભવિષ્યમાં કોઈપણ સમાજ કે ધર્મ પર ટિપ્પણી નહીં કરેની બાંહેધરી માગી રહ્યા છે ત્યારે હવે એ જોવું રહ્યું કે રાજભા ફરી માફી માગે છે કે પછી ડાંગની જનતા તેમને માફ કરી દેશે.
-
મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, 9 મુસાફરો ઈજાગ્રસ્ત
મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં નવ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેની હાલત નાજુક છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-
-
જામનગર: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત
- જામનગર: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત
- જોડીયાના લખતર, ભાદરા, બાલંભા, રણજીતપર, હીરાપર ગામોની લીધી મુલાકાત
- રાઘવજી પટેલે કરી પાક નુકસાની અંગે સમીક્ષા
- ખેતરોનું નિરીક્ષણ કરી ખેડૂતોનું સાથે કર્યો સંવાદ
- ખેડૂતોને યોગ્ય સહાય મળે તે રીતે કામગીરી હાથ ધરવા ખેતીવાડી વિભાગને સૂચના
- ગામોનો સંપૂર્ણ સરવે તાકીદે પૂર્ણ કરી તાત્કાલિક સહાય ચૂકવવા સૂચન
-
ભાવનગર મનપાનો અંધેર વહીવટ, રાજ્ય સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી પરંતુ વાપરી જ નહીં
ભાવનગર મહાનગરપાલિકામાં આસપાસના અનેક ગામો ભેળવવામાં આવ્યાં છે.. જેના માટે વર્ષ 2023-24માં રાજ્ય સરકારે 21 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આઉટ ગ્રોથ એરીયા માટે ફાળવી હતી. દોઢ વર્ષ છતાં અત્યાર સુધી ગ્રાન્ટનો વપરાશ થયો નથી. 18 કામ મંજૂર કરાયા પણ એમાંથી પણ 5 કામના હજુ પણ ઠેકાણા નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાના વચનો માત્ર પોકળ સાબિત થયા. પ્રજા તો હાલ પણ સુવિધાઓથી વંચિત છે.
ભાવનગર મનપાએ 200 કરોડની ઉપલબ્ધ ગ્રાન્ટ સામે 385 કામોના આયોજન કરી સરકારમાં મોકલ્યા. જે અંતર્ગત ભેળવવામાં આવેલા ગામોના વિકાસ માટે 51 કરોડના કામ મોકલ્યાં. જોકે અગાઉ 18 કામ માટે જે 21 કરોડની ગ્રાન્ટ ફાળવી એ કામ હજુ પણ બાકી છે.
-
28 ઓક્ટોબરથી ત્રણ દિવસ પીએમ મોદીના ગુજરાતમાં ધામા
- 28 ઓક્ટોબરે સવારે 9 કલાકે રોડ શોનું આયોજન
- PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો રોડ શો
- એરપોર્ટથી ટાટા યુનિટ સુધી રોડ શોનું આયોજન
- સવારે 10 કલાકે ટાટા એરબસના એસેમ્બલી યુનિટ પર પહોંચશે
- એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ, ત્યારબાદ 1500 ઉદ્યોગપતિને સંબોધન
- દોઢ કલાકના કાર્યક્રમ બાદ લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચશે
- લક્ષ્મીવિલાસ પેલેસમાં ભારત અને સ્પેન વચ્ચે ઐતિહાસિક કરાર
- બન્ને દેશના વડાપ્રધાન રાજવી પરિવાર સાથે લેશે ભોજન
28 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. પીએમ મોદીની સાથે સ્પેનના પીએમ પણ વડોદરાની મુલાકાત લેવાના છે. બંને દેશના પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતના તિરંગા અને સ્પેના રાષ્ટ્ર ધ્વજથી વડોદરાના અનેક માર્ગોને શણગારવામાં આવ્યા છે. હેરિટેજ ઈમારતો અને લાઈટ્સના માધ્યમથી બંને દેશોની મિત્રતા દર્શાવાઈ છએ. રાજમાર્ગો પર રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.
રાજ્યના અન્ય સમાચારોની વાત કરીએ તો
- ગુજરાત ATSએ પોરબંદરથી જાસૂસની ધરપકડ કરી છે.
- જાસુસના મોબાઇલમાંથી મળ્યા કોસ્ટગાર્ડની જાસૂસીના પુરાવા મળ્યા છે.
- પાકિસ્તાની યુવતીના સંપર્કમાં હતો જાસૂસ.
- દિવાળી પહેલા અમદાવાદમાં 17 ગેમઝોનને મંજૂરી અપાઈ
- SOU સ્થિત એકતાનગરમાં ટોય ટ્રેનને શરતો સાથે લીલીઝંડી આપવામાં આવી
- અમદાવાદના કાલુપુરમાં જર્જરીત મકાન ધરાશાયી થયુ. મકાન ધરાશાયી થવાનો LIVE વીડિયો આવ્યો સામે. ફસાયેલા 10નું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ.
- રાજ્યભરમાં ACBએ કુલ 5 લાંચિયા કર્મીઓને ઝડપ્યા.
- અમદાવાદમાં 80હજારની લાંચ લેતા ઝડપાયા PSI તો રાજુલામાં 2 લાખની લાંચ લેતા ઝડપાયા RFO
આંતરરાષ્ટ્રીય સમાચાર
- 100થી વધુ ઈઝરાયલી ફાયટર જેટનો ઇરાનમાં 20 સ્થળો પર હુમલો.
- ઇરાનની પણ વળતા હુમલાની ચીમકી.
- બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારથી મુખ્ય સલાહકાર મહોમંદ યુનુસની વધી મુશ્કેલી.
- લાખો હિંદુઓએ રસ્તા પર ઉતરી સરકારને આપ્યું અલ્ટિમેટમ.
Published On - Oct 27,2024 8:27 AM