AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 માર્ચના મહત્વના સમાચાર : પાલનપુરમાં હનુમાન ટેકરી નજીકથી હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ મળ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 8:37 AM
Share

Gujarat Live Updates આજ 26 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 માર્ચના મહત્વના સમાચાર : પાલનપુરમાં હનુમાન ટેકરી નજીકથી હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ મળ્યો

LIVE NEWS & UPDATES

  • 26 Mar 2026 08:37 AM (IST)

    પાલનપુરમાં હનુમાન ટેકરી નજીકથી હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ મળ્યો

    બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હનુમાન ટેકરી નજીક મહિલાની કરપીણ હત્યા કરાઈ મહિલાનો મૃતદેહ મળ્યો છે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલાની ત્રણ દિવસથી હતી ગુમ. પાલનપુર પશ્ચિમ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • 26 Mar 2026 08:35 AM (IST)

    શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને ભક્તોની ભારે ભીડ જામી

    પંચમહાલ : યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે માતાજીના દર્શને ભક્તોની ભારે ભીડ જામી છે. નિજ મંદિર પરિસર અને પગથિયાં પર દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે. ચૈત્રી નવરાત્રિના આઠમને લઈ પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું. ચૈત્રી નવરાત્રીના પર્વને લઈ વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. નિજ મંદિરના દ્વાર ખુલતાં જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

  • 26 Mar 2026 08:18 AM (IST)

    યુદ્ધવિરામ સમાપ્ત થતાં જ પાક-અફઘાન સરહદે ગોળીબાર; બે નાગરિકોના મોત, ફરી હિંસા ભડકી

    રમઝાન મહિના દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પાળવામાં આવેલ કામચલાઉ યુદ્ધવિરામ બુધવારે સમાપ્ત થયો. અહેવાલો દર્શાવે છે કે, બુધવારે સરહદ પારથી થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા બે નાગરિકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, બંને દેશો વચ્ચેની સરહદ પર ફરી એકવાર હિંસા ભડકી ઉઠી હતી. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુનાર પ્રાંતના નારાય અને સરકાનો જિલ્લામાં અથડામણ થઈ હતી, જ્યાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

  • 26 Mar 2026 07:13 AM (IST)

    કચ્છમાં કેટલાક સ્થળે કરા સાથે વરસ્યો કમોસમી વરસાદ

    કચ્છમાં ગઈકાલ બુધવારે વરસ્યો કમોસમી વરસાદ, માધાપરમાં ચાલી રહેલ કથામાં વરસાદ વિધ્ન બન્યો. કચ્છમાં સાંજે એકાએક હવામાન પલટાને કારણે નુકશાની સર્જાઈ. ભુજ તાલુકામાં પડેલા માવઠાથી માધાપર, ભુજોડી અને પદ્ધર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન ખરાબ થતા માધાપરમાં ચાલતી કથામાં મંડપ ધ્વસ્ત થયો.

આજે 26 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Mar 26,2026 7:12 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">