19 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક અકસ્માત, બસ સ્ટેન્ડમાં સૂઈ રહેલને કચડી નાખ્યો
Gujarat Live Updates : આજ 19 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક અકસ્માત, બસ સ્ટેન્ડમાં સૂઈ રહેલને કચડી નાખ્યો
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માત. કઠલાલ નજીક મોડી રાત્રે અકસ્માતમાં 2ના મોત થયા છે. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સ્ટેન્ડ સાથે ટક્કર થઈ હતી. બસ સ્ટેન્ડ પર ઉંઘી રહેલા અજાણ્યા ઇસમનું કચડાતા મોત થયું છે. જ્યારે કારમાં સવાર બે લોકોમાંથી એકનું મોત થયું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.
-
શનિવારે ફટાકડા ફેકટરીમાં થયેલ બ્લાસ્ટમાં બાદ, રવિવારે 2 એકમ સામે પોલીસ કાર્યવાહી
અમદાવાદના વસ્ત્રાલમાં ગઈકાલ શનિવારે ફટાકડા ફેકટરીમાં થયેલ બ્લાસ્ટમાં 9 ના મોત બાદ માત્ર 2 એકમો સામે કરાઈ કામગીરી કરાઈ છે. દસક્રોઈના વસ્ત્રાલ ગામના કાંતિભાઈ શ્રીમાળીના ખુલ્લા ખેતરને ભાડે લઈને ચાલતી હતી ફટાકડાની ફેક્ટરી. રામોલ ગામમાં બક્ષીના કૂવા પાસે મોહસીન ખાન પઠાણના ખુલ્લા ખેતરને ભાડે લઈને ચાલતી હતી ફટાકડાની ફેક્ટરી. બન્ને જગ્યા પર ફાયર એસ્ટેટ અને પોલીસ દ્વારા સાથે રહી ફટાકડાનો નાશ કરાયો. મંજૂરી વગર ચાલતા બન્ને એકમો સામે કોઈ ઠોસ કાર્યવાહી નહીં
-
-
સુરતમાં વરસેલા વરસાદથી ઉધના રેલવે નજીકનુ ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે ઉધના રેલવે નજીક ગરનાળું પાણીમાં ગરકાવ થયું. ઘૂંટણસમાં પાણીમાંથી રાહદારીઓને આવવા જવા મજબૂર થયા. એક છેડેથી બીજા છેડે જતા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી વેઢવી પડે છે. કાયમી ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી.
-
ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે પોલીસે મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયાની અયકાયત તો સાદિક સૈયદની કરી ધરપકડ
અમદાવાદ મહેમુદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલે રામોલ પોલીસે મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયાની અયકાયત કરી છે. જ્યારે મેહુલ ડોડિયાના ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કરી છે. મેહુલ ડોડિયા દુર્ઘટના સમયે હાજર હોવાનું આવ્યુ સામે. પોલીસે ફરાર આરોપી મેહુલને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી છે.ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સ નામથી ફટાકડાની ફેક્ટરી થઈ હતી રજિસ્ટર. લાયસન્સ ન હોવાં છતાં ફેક્ટરી ચાલુ રાખવામાં આવી હોવાનો ખુલાસો. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયેલા સ્થળે FSLની ટીમે વધુ તપાસ હાથ ધરી
-
કાર ભાડે લઈ જઈને પરત ના આપનારો રીઢો ગુનેગાર સુરતથી ઝડપાયો
કાર ભાડે લઈ જઈ પરત ના આપનારો રીઢો ગુનેગાર સુરતમાંથી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દીપુ ડોબરિયાને ઝડપી પાડ્યો છે. આરોપી ભાડે કાર લઈ તેનું GPS બંધ કરી દેતો. ત્યાર બાદ નંબર પ્લેટ પણ બદલી નાખતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 25 લાખની કિંમતની બે કાર જપ્ત કરી છે. આરોપી અગાઉ પણ અપહરણ, ધમકી અને ખંડણી જેવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ 2025માં અમરોલીના એક વ્યક્તિ પાસેથી 11 મહિનાના કરાર પર અર્ટિગા કાર લીધી હતી. જેનું એક મહિનાનું ભાડું ચૂકવી કાર પરત કરી ન હતી અને માલિકને ધમકી આપી હતી.
-
-
કચ્છ રેન્જ આઈજીની ટીમે ટંકારા સજનપર નજીક ઓમ વિલામાં હાઈ-પ્રોફાઈલ જુગારના અડ્ડા પર પાડ્યા દરોડા
સજનપર નજીક ઓમ વિલાના બંગલોમાં કચ્છ રેન્જ આઇજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી. રૂ. 24 લાખની રોકડ, 2 લક્ઝરી કાર અને મોબાઈલ સહિત રૂપિયા 44.76 લાખના મુદામાલ સાથે નવ શખ્સ ઝડપાયા. પોલીસ પહોંચતા કેટલાક આરોપીઓએ રોકડ પાણીના ટાંકામાં ફેંક્યાની ચર્ચા, જોકે પોલીસે તમામ મુદ્દા માલ કબજે કર્યો. બંગલો માલિક દેવશંકર હિંમતલાલ સીતાણી, જુગારી રમતા ઝડપાયેલાઓમાં હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા, નરોતમભાઈ વિરજીભાઈ ફેફર, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી, રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી, ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી, જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો.
-
તુલસીશ્યામ રેન્જમાથી સિંહનો કોહવાયલો મૃતદેહ મળી આવ્યો
ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જમા સિંહનો કોહવાયલો મૃતદેહ મળી આવ્યો છે. રબારીકા રાઉન્ડ નીચેના પથ્થર મારા રેવન્યુ વિસ્તારમા જાળીમાંથી મૃતદેહ મળ્યો. સ્થાનિક માલધારીએ વનવિભાગને જાણ કરી ત્યારે વન વિભાગને સિંહના મોતની જાણકારી મળી. અગાઉ દલખાણીયા રેંજમા એક સિંહબાળના મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા બે માસમાં 6 અલગ અલગ રેન્જમા સિંહોના મોત થયા. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ અને ગીર પશ્ચિમમા 12થી વધુ સિહોના બીમારીથી મોત થયા હતા. બીમારીથી થયેલા સિહોના મોતના બે મહિના કરતા વધુ સમય થયો છતા હજુ સરકાર દ્વારા રિપોર્ટ જાહેર નથી કર્યો.
-
-
જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો
જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. વહેલી સવારે શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, મોતીબાગ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો
-
ગતરાડ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે રામોલ પોલીસ મથકે, માલિકો વિરુદ્ધ આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચ્યું હોવાનો નોંધાયો ગુનો
વસ્ત્રાલ ગામની સીમમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ સાથે લાગેલી આગમાં બળીને ભડથુ થઈ જવા અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલકો સામે ગુનો નોંધાયો. BNS અને વિસ્ફોટક કાયદા હેઠળ કાર્યવાહી. આરોપી તરીકે મેહુલ ડોડીયા, મેહુલ ડોડીયાની માતા કે જેઓ કારખાનાના સંચાલક રમીલાબેન ડોડીયા છે તેઓ, અને કારખાનાના ભાગીદાર સાદીક સૈયદનું નામ FIRમાં નોંધાયું છે. પોલીસ તપાસમાં સામે આવનાર અન્ય તમામને પણ આરોપી બનાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આરોપીઓએ વસ્ત્રાલ સર્વે નં. 629/1/2/3ની જગ્યા ભાડે રાખી કારખાનું ચલાવતા હતા. પાસ-પરમિટ વગર ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતા હોવાનો FIRમાં ઉલ્લેખ. આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચી બેદરકારી દાખવતા હતા. બ્લાસ્ટમાં કુલ 9 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આરોપીઓ સામે BNS કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધાયો. વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6 પણ લગાવામાં આવી. વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ પણ કાર્યવાહી હાથ ધરાઈ.
-
જેલમાં રહેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના પી.એ સામે આવક કરતા વધુ સંપત્તિનો નોંધયો કેસ
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને જેલમાં રહેલા રાજેન્દ્ર પટેલના પી.એ જયરાજસિંહ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ACB વિભાગે સુરેન્દ્રનગરના તાત્કાલિક કલેકટર રાજેન્દ્ર પટેલના પી.એ સામે આવક કરતા વધુ સંપત્તિની નોંધી ફરિયાદ. નાયબ મામલતદાર જયરાજસિંહ ઝાલા પાસે પ્રમાણસર મિલકત હોવાનું તપાસમાં ખુલ્યું છે. કુલ સંપત્તિના 53% થી વધુ મિલકત અપ્રમાણસર હોવાનું સામે આવ્યું છે. 1.34 કરોડની મિલકત હોવાનું સામે આવ્યું. સુરેન્દ્રનગર ACB વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ED દ્વારા આગાઉ જયરાજસિંહના લખતર ખાતે આવેલ નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નોંધાયેલ ફરિયાદમાં પણ જયરાજસિંહ સામે ગુનો દાખલ થયેલો છે. વધુ એક ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 57 શંકાસ્પદ કેસ નોંધાયા, 5ના મોત
ગુજરાત રાજ્યમાં વકરેલા ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં કુલ 57 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ 57 પૈકી ચાંદીપુરા વાયરસના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. 5 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોય તેવા 5 દર્દીના મૃત્યુ થયા છે. કુલ 57 શંકાસ્પદ કેસના લેબોરેટરી તપાસમાંથી 42ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા છે, જયારે 15 નમૂનાનું પરીક્ષણ પરિણામ પ્રાપ્ત થવાનું બાકી છે.
આજે 19 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jul 19,2026 7:11 AM

