AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખરાબ હવામાનની આગાહીને પગલે, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા, આગામી દિવસો માટે જાહેર કરાયેલ પ્રતિકૂળ હવામાનની ચેતવણીને પગલે, આજે 19 જુલાઈથી વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથની યાત્રા, સાવચેતીના પગલા તરીકે અચોક્કસ સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

Breaking News : ખરાબ હવામાનની આગાહીને પગલે, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત
Vaishnodevi-Amarnath Yatra postponed due to bad weather forecast
| Updated on: Jul 19, 2026 | 8:53 AM
Share

જમ્મુ કાશ્મીરના ત્રિકુટ પર્વત પર આવેલ માતા વૈષ્ણોદોવીની યાત્રા, શ્રાઈન બોર્ડે આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત કરી છે. આમ કરવા પાછળ હવામાન વિભાગે, ઉચ્ચારેલી ખરાબ હવામાનની આગાહી હોવાનું કહેવાય છે. શ્રાઈન બોર્ડે, યાત્રાએ આવતા યાત્રાળુની સુરક્ષા અને સલામતી માટે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. યાત્રાળુઓની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે મોડી રાત્રે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ માહિતીની જાહેરાત કરી.

તો બીજી તરફ અમરનાથ યાત્રા પણ સ્થગિત કરવામા આવી છે. આ અંગે કાશ્મીર વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે, 19 જુલાઈથી પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત રહેશે. વહીવટીતંત્રે હાલમાં જમ્મુ, ઉધમપુર અને રામબનમાં રહેતા તમામ યાત્રાળુઓને તેમના નિયુક્ત આવાસ કેન્દ્રોમાં જ રહેવા અને અધિકારીઓ તરફથી આપવામાં આવનારી સત્તાવાર વધુ સૂચનાઓની રાહ જોવાની અપીલ કરી છે.

દરમિયાન, પવિત્ર તીર્થસ્થળ પર આશીર્વાદ મેળવવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે, શનિવારે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી 3,632 યાત્રાળુઓનો એક નવો જથ્થો પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થયો. સત્તાવાર આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 3,76,779 યાત્રાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે મુલાકાત લીધી છે.

અમરનાથ યાત્રામાં અનોખો પ્રયોગ: 400 ટન કચરો અને ખચ્ચરના છાણમાંથી બનાવાશે વીજળી અને ગ્રીન ફ્યુઅલ

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">