18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે ઉના નજીક દરિયામાં વલસાડની ફિશિંગ બોટ ડૂબી
Gujarat Live Updates આજ 18 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ માળિયામાં નોંધાયો
ગુજરાતમાં ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના માળિયામાં 131 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદને પગલે, રાજ્યમાં વર્તમાન ચોમાસાનો 85.79 ટકા વરસાદ નોંધાયો છે.
-
અમદાવાદના વાડજમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા
અમદાવાદના વાડજમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી. ગાંધીનગર સોસાયટી નજીક ભીમસિંહની ચાલીનો બનાવ. ગઈકાલ બપોરે 2:30થી 3 વાગ્યા દરમિયાન હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નરેશભાઈ રતિભાઈ ચૌહાણ, ઘરના રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. નોકરી પરથી ઘરે પરત ફરેલી બહેને મૃતદેહ જોતા જ 108 અને પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં સગો ભાઈ રાજુ રતિભાઈ ચૌહાણ ફરાર થવાની કોશિષ કરતો હતો. વાડજ પોલીસે રાજુ રતિભાઈ ચૌહાણને રાઉન્ડઅપ કરી લીધો. ઘરકંકાસના કારણે હત્યા થઈ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં આશંકા. નરેશભાઈ વારંવાર ઘરે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા હોવાની માહિતી. દારૂ પીને ઘરે આવીને ત્રાસ આપતા હોવાની અગાઉ પણ બહેને પોલીસને જાણ કરી હતી. વાડજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડની કરી. સમગ્ર મામલે વાડજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
-
પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પંચનો TMCના નામ અને ચૂંટણી ચિહ્ન પર રોકનો આદેશ
ચૂંટણી પંચે TMCના નામ અને ચૂંટણી ચિહ્ન અંગેના વિવાદને લઈને એક વચગાળાનો આદેશ જાહેર કર્યો છે. હાલ પૂરતું, બંને જૂથમાંથી કોઈ પણ જૂથ TMCના મૂળ નામ અથવા ‘ટ્વિન ફ્લાવર્સ’ (બે ફૂલના) ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં.
-
ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે ઉના નજીક દરિયામાં વલસાડની ફિશિંગ બોટ ડૂબી
ગીર સોમનાથના ઉના નજીક દરિયામાં વલસાડની ફિશિંગ બોટ ડૂબી ગઈ. ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા માઘવી નામની ફિશિંગ બોટ ડૂબી. ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે દરિયામાં સર્જાયો અકસ્માત. બોટ ડૂબતાં આસપાસ ફિશિંગ કરતી અન્ય બોટો મદદે દોડી આવી. બોટ ડૂબવા લાગતા 12 માછીમારોએ દરિયામાં લગાવ્યો કૂદકો. તમામ માછીમારોને અન્ય બોટમાં સલામત રીતે લાવવામાં આવ્યાં. ઘટનાને લઈ મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગે તપાસ હાથ ધરી.
-
પ્રાચી અને આલીદરા ગામની સોમનાથ એકેડેમી નામની શાળાની માન્યતા રદ
પ્રાચી અને આલીદરા ગામની સોમનાથ એકેડેમી નામની શાળાને શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવી છે. શાળાના બિલ્ડિંગ મંજૂરી વગર ફેરવવા મામલે શાળાને રદ કરવા કવાયત કરાઈ. શાળાના પ્રમુખ કરશન સોલંકીનું નિવેદન સામે આવ્યું. કરશન સોલંકીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે, આરોગ્ય અને શિક્ષણને બક્ષવામાં આવે અમુક લોકો લાંબા સમયથી અન્ય લોકો પાસે અરજી કરવી રહ્યા હોવાનો આરોપ.
-
આજે 18 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Sep 18,2026 7:14 AM
