17 જુલાઈના મહત્વના સમાચાર : રાજ્યમાં ચાંદીપુરા રોગનો હાહાકાર! શંકાસ્પદ કેસ વધીને 26 થયા, સરકારે જાહેર કર્યા આંકડા
Gujarat Live Updates : આજ 17 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગુજરાતના છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીનાં 11 કેસમાં 7 બાળકોના મોત થયા છે. ગુજરાતના 61 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગીર-સોમનાથના વેરાવળમાં સૌથી વધુ સવા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો 5 દિવસ ગાજવીજ સાથે ધોધમારની આગાહી છે. સરકારી મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો. સરકારી ક્વોટાની ફી ઘટાડી પોણા ચાર લાખ તો મેનેજમેન્ટ ક્વોટાની ફી 12 લાખ કરવામાં આવી. મહેસાણાના કડી નજીકથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. GIDCના ખાનગી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો કબજે કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરના વેળાવદરમાં ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે, 30થી વધુ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ગુજરાત ATSએ ઝડપી લીધી છે. સુરેન્દ્રનગરના લીમડી નજીક આરોપી બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઇ હતી.
LIVE NEWS & UPDATES
-
જૂનાગઢ: માળીયાના ખોરાસા નજીક એક સિહણ અને બે બચ્ચાના મૃતદેહ મળ્યા
- જૂનાગઢ જિલ્લામાંથી એક સિહણ અને બે બચ્ચાના મૃતદેહ મળ્યા
- વન વિભાગ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે
- વેટરનરી ડોકટરની ટીમ સ્થળ પર પહોચી
- મૃત્યુનું કારણ અકબંધ
- પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સામે આવશે
- DFO સહીતનો સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના
- સિહણ અને બે બચ્ચાના મોતથી સિંહ પ્રેમીઓમાં અરેરાટી
- રોડ અકસ્માત કે અન્ય કોઈ કારણ હોઈ શકે
-
રાજ્યમાં ચાંદીપુરા રોગનો હાહાકાર! શંકાસ્પદ કેસ વધીને 26 થયા, સરકારે જાહેર કર્યા આંકડા
- રાજ્યમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ કેસની પ્રવર્તમાન સ્થિતિ
- રાજ્યમાં શંકાસ્પદ કેસની સંખ્યા 26 પર પહોચી
- રાજ્યમાં સૌથી વધારે શંકાસ્પદ 4 કેસ સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં
- જ્યારે અરવલ્લી જિલ્લા ચાંદીપુરા રોગથી એકનું મોત
- અમદાવાદ શહેરમાં પણ 2 શંકાસ્પદ કેસ નોંધાયા
- સરકારે 17 જુલાઈ સાંજના 6 વાગ્યા સુધીના આંકડા જાહેર કર્યા
-
-
ચાંદીપુરા વાયરસથી મૃત્યુ પામેલ બાળકીના ઘરની આસપાસ 19 સેન્ડ ફ્લાય માખી મળી
ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસથી બાળકીના થયેલા મોત બાદ તંત્રે હાથ ધરેલ સર્વેલન્સની કામગીરીમાં મૃતક બાળકીના ઘરની આસપાસના મકાનોમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની 19 માખીઓ મળી આવી છે. જ્યારે મૃતક બાળકીના ઘરમાંથી ચાર સેન્ડ ફ્લાય માખીઓ મળી આવી છે. તમામ 19 માખીઓને પરીક્ષણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા કોટડા ગામમાં સેન્ડ ફ્લાય માખીઓ મળી આવેલા મકાનોમાં તિરાડો પુરવા તેમજ દવા છંટકાવની પણ કામગીરી હાથ ધરી છે.
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો વધતો જતો કહેર, શંકાસ્પદ 27 કેસ, 14ના મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસ નોંધાયા છે. જેમાંથી 14ના મોત થયા છે. ચાંદીપુરાના સૌથીવધુ શંકાસ્પદ કેસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે. બન્ને જિલ્લામાં 4-4 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસમાંથી 24 કેસ ગુજરાત રાજ્યના છે. જ્યારે 3 કેસ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં સારવારઅર્થે આવેલ છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ ગુજરાતના 12 જિલ્લાઓમાં નોંધાયેલા છે.
-
ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બામાં લાગી આગ, જાનહાની નહીં
ગુજરાતના ગાંધીધામથી આસામના કામાખ્યા જતી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના કેટલાક કોચમાં આજે બુધવારે આગ લાગી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગવાની આ ઘટના આસામના બોંગાઈગાંવમાં બની હતી. આગનું કારણ યાંત્રિક ખામી હોવાનું કહેવાય છે.
VIDEO | A fire broke out in some coaches of Gandhi Dham Express in Assam’s Bongaigaon earlier today, reportedly due to a mechanical fault . Details awaited. pic.twitter.com/3fIruvNZRo
— Press Trust of India (@PTI_News) July 17, 2024
-
-
પરિણીત હોવા છતા ચૂંટણી એફિડેવિટમાં અપરિણીત લખનાર ભાજપના મહિલા કોર્પોરેટર સામે કોર્ટ કાર્યવાહી
અમદાવાદમાં ભાજપ કોર્પોરેટર લલિતાબેન મકવાણાની મુશ્કેલી વધી છે. ખોટું સોગંદનામુ કરવાના કેસમાં મેટ્રો કોર્ટે ભાજપના મહિલા કોર્પોરેટરને નોટિસ ફટકારી છે. મેટ્રો કોર્ટે 2021માં યોજાયેલ ચૂંટણીમાં ખોટું સોગંદનામુ કરવા બદલ કાર્યવાહી શરૂ કરી છે. કોર્પોરેટર લલિતા મકવાણા પરિણીત હોવા છતાં, સોગંદનામામાં અપરિણીત અને નિસંતાન હોવાનું દર્શાવ્યું હતું. અગાઉ મેટ્રો કોર્ટે વાડજ PI ને 60 દિવસોમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. તપાસના આધારે મેટ્રો કોર્ટે કાયદેસરની કાનુની કાર્વાહી હાથ ધરી છે. મેટ્રો કોર્ટમાં ફોજદારી રાહે આગળ ચાલશે કેસ. જેમાં 7 વર્ષ સુધી સજાની જોગવાઇ છે. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 6 નવેમ્બર 2024 નાં રોજ રાખવામાં આવી છે.
-
સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટીના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી કે પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:-
1. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ રદ રહેશે. 2. 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે. 3. 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે. 4. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ રહેશે. 5. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે. 6. 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે. 7. 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
-
રેલવે સુરક્ષા બળ (RPF) એ છેલ્લા 7 વર્ષ દરમિયાન ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 84,119 બાળકોને બચાવ્યા
છેલ્લા સાત વર્ષથી, રેલવે સુરક્ષા બળ (RPF) ‘નન્હે ફરિશ્તે’ નામના ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ એક મિશન છે જે ભારતીય રેલવે ઝોનોમાં પીડિત બાળકોને બચાવવા માટે સમર્પિત છે. છેલ્લા સાત વર્ષ (2018-મે 2024) દરમિયાન, આરપીએફએ, ઘરેથી ભાગી છુટેલા, અપહરણ કરેલા, નિરાધાર, માનસિક રીતે અસ્વસ્થ, પરિવારથી છુટા પડેલા, ખોવાઈ ગયેલા હોય તેવા 84,119 બાળકોને રેલવે સ્ટેશને કે ટ્રેનમાંથી બચાવ્યા છે.
-
અમિત શાહ પીએમ મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા
ગૃહમંત્રી અમિત શાહ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા છે. જો કે આ બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થશે તે સ્પષ્ટ નથી.
-
રાઘનપુર વારાહી હાઇવે પર કારમાં લાગેલી આગમાં કારચાલક બળીને થયો ખાક
પાટણના રાઘનપુર વારાહી હાઇવે પર કારમાં લાગેલી આગમાં એકનું મોત થયું છે. કારમાં આગ લાગતા કાર ચાલકનું મોત થવા પામ્યું છે. આગ લાગી ત્યારે કાર ચાલક, કારમાંથી બહાર નીકળી ના શકતા ચાલક આગમાં બળીને ભડથું થઈ ગયો. વારાહીના મોટી પીંપળી નજીક હાઇવે પર આ આગની ઘટના ઘટી છે.
-
જેપી નડ્ડા બાદ પીએમ મોદીને મળ્યા યુપી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી
યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી. વડાપ્રધાન સાથેની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનના કારણો વિશે માહિતી આપવામાં આવી હતી. આ પહેલા ગઈકાલ મંગળવારે ભૂપેન્દ્ર ચૌધરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
-
અમદાવાદ એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઈટના પેસેન્જરની બેગમાંથી મળ્યો કારતુસ
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર એક પેસેન્જરની બેગમાંથી જીવતો કારતુસ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. મુંબઈ જતી ફ્લાઈટના પેસેન્જરની બેગમાંથી પિસ્તોલનો એક કારતુસ મળી આવ્યો છે. આ કારતુસ 9MM પિસ્તોલનો હોવાનું કહેવાય છે. ઝડપાયેલ મુસાફર દયા છયાન નફીસ મનસુરી, પોતે અમેરિકામાં ફાયરિંગ પ્રેક્ટિસ કરતો હોઈ અને કારતુસ બેગમાં રહી ગયો હોવાનું નિવેદન પોલીસને આપ્યું હતું. જુહાપુરામાં તે તેના કાકાના ઘરે આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. જો કે, પોલીસને તેની પાસેથી હથિયારનું લાયસન્સ કે પરવાનો ન મળી આવતા પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
-
ઓમાન પાસે જહાજમાં સવાર 13 ભારતીય લાપતા થયા
ઓમાન પાસે જહાજમાં સવાર 13 ભારતીય લાપતા થયા છે. જહાજ પર કોમોરાસનો ધ્વજ લગાવેલો હતો. MT ફાલ્કન પ્રેસ્ટીજ નામના જહાજમાં 16 લોકો સવાર હતા. આ 16 માંથી 13 ભારતીયો હતા. 14 જૂલાઈએ જહાજ લાપતા થયુ હતુ
-
મહેસાણામાં જોટાણાના સૂરજ ગામના તળાવનું પાણી ઓઇલ વાળું થયું
મહેસાણાના જોટાણાના સૂરજ ગામના તળાવનું પાણી ઓઈલ વાળું થઈ ગયું છે. આ વિસ્તારમાંથી પસાર થતી ONGCની પાઇપ લાઈનમાં લીકેજ થતાં, ઓઇલ રસ્તા ઉપર ફરી વળ્યું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર ફણ ઓઇલ વહ્યું હતું. અંદાજે હજારો લીટર ઓઇલ ગામના મુખ્ય તળાવમાં ભરાયું છે. આખા તળાવનું પાણી ઓઇલ વાળું થઈ ગયું છે. તળાવના પાણીમાં ક્રૂડ ઓઇલ ભળી જતા પશુઓના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. રોડ ઉપર ઓઇલ પ્રસરતા વાહન ચાલકોમાં પણ પડી જવાનો ભય પ્રસર્યો છે.
-
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શિયયઝોન, સાઈકલોનીક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લાવશે. અમરેલી, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી ભારે વરસાદના એંધાણ છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 ટકા વરસાદી ઘટ છે.
-
મહેસાણાઃ જોટાણા નજીક સૂરજ ગામે ઓઈલ તળાવમાં ભળ્યું
મહેસાણાઃ જોટાણા નજીક સૂરજ ગામે ઓઈલ તળાવમાં ભળ્યું છે. ONGCની લાઈનનું ઓઇલ તળાવમાં ભળ્યાનો સ્થાનિકોનો દાવો છે. ONGCની લાઈનમાં ભંગાણ પડતા ઓઇલ લીકેજ થયું. ક્રૂડ ઓઇલ તળાવમાં ભળતાં માછલીઓ અને જીવજંતુઓ માટે ખતરો છે.
-
સુરત: પાલનપુર કેનાલ રોડ પર આવેલા મહાવીર કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી
સુરત: પાલનપુર કેનાલ રોડ પર આવેલા મહાવીર કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો છે. ત્રણ માળની ઇમારત હતી, જેમાં ત્રીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. ફાયરની ટીમે ત્રીજા માળના રહીશોનું રેસ્ક્યું કર્યું છે. સદનસીબે ઘટનામાં કોઈને જાનહાની થઇ નથી.
-
ગાંધીનગરઃ સરકારી નોકરીઓમાં ભરતીને લઈ મહત્વના સમાચાર
ગાંધીનગરઃ સરકારી નોકરીઓમાં ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પહેલ છે. CMએ મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે. વર્ગ 3, 4 સહિત કોન્ટ્રાકટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા આદેશ અપાયા છે. કોન્ટ્રાકટથી થતી હાલાકીને લઈ મુખ્યપ્રધાનનો નિર્ણય છે.
-
મહેસાણાઃ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે બાળકનું મોત
મહેસાણાઃ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે બાળકનું મોત થયુ છે. અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયુ છે. એક વર્ષીય બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હતો. હાલમાં બાળકના રિપોર્ટ પુના લેબોરેટરીમાં મોકલાયા છે. ચાંદીપૂરાથી કે અન્ય રોગને કારણે મોતનો અંગે રિપાર્ટ બાદ કન્ફર્મેશન થશે.
-
રાજકોટ શહેર, જિલ્લામાં 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કરાયા રદ
રાજકોટ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેર, જિલ્લામાં 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કરાયા છે. પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચનાર મેડિકલ સ્ટોર સંચાલકો પર તવાઈ બોલાવવામાં આવી છે. ગેરરીતિ આચરનાર સંચાલકો સામે તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. ગોંડલના હરસિધ્ધિ ફાર્મા, ક્રિષ્ના સર્જીટેક, લેજોરા ફોર્મ્યુલેશનના લાયસન્સ રદ કરાયા છે. તો નેપ્ચ્યુન ફાર્મા, સુરભી મેડિકલ સ્ટોર, પ્રગતિ મેડિકલ સ્ટોર સામે તવાઈ બોલાવવામાં આવી. નશીલી સીરપ વેચનાર 2 મેડિકલ સ્ટોર સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.
-
છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના વેરાવળમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. માણાવર, વીંછિયા, માણિયા હટિના, માંગરોળમાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો કુલ 33.41 ટકા વરસાદ વરસ્યો છે.
-
દેવભૂમિદ્વારકા: દોઢ વર્ષની બાળકીનું ઝેરી સાપના ડંખવાથી મોત
દેવભૂમિદ્વારકા: દોઢ વર્ષની બાળકીનું ઝેરી સાપના ડંખવાથી મોત થયુ છે. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામમાં આ ઘટના બની છે. પર પ્રાંતીય શ્રમિક પરિવારની દીકરીને ખેતરમાં સાપે ડંખ માર્યો હતો. પ્રિયંકા ખેલસિંગ નામની દોઢ વર્ષની બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં સતત વધી સાપના ડંખ મારવાની ઘટનાઓ સામે આવી રહી છે.
-
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ થઇ છે. સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથના નદી-નાળા અને વોકળાઓ છલકાયા છે. અત્યંત ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ રહી છે. ગ્રામ્ય વિસ્તારના વોકળાઓમાં સિઝનનું પ્રથમ ભારે પૂર આવ્યું છે.
-
જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ
જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ વરસ્યો છે. માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. માણાવદરના બાટવા ગામથી વરસાદના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. બાટવા કાપડ બજારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મેઘાની તોફાની બેટિંગના કારણે બજારમાં વરસાદી પાણી ભરાયા છે.
-
અમરેલી: બાબરા પંથકમાં મેઘો મૂશળધાર
અમરેલી: બાબરા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. બાબરાની કાળુભાર નદીમાં ભારે વરસાદના કારણે પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે. કાળુભાર નદીમાં પાણીનો પ્રવાહ વધતા વાહનવ્યવહાર અટવાયો છે. સમઢિયાળા અને નીલવડા રોડ પરનો વાહનવ્યવહાર અટવાયો છે. તંત્રએ નવો માર્ગ તો બનાવ્યો પરતું પુલ બનાવવાનું ભૂલતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
-
ગાંધીનગર: વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ આવ્યો સામે
ગાંધીનગર: વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. દહેગામના અમરાજી મુવાડા ગામથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સાત વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ જોવા મળ્યા છે. સાત વર્ષના બાળકને તાવ ખેંચ સાથે મગજના તાવની અસર છે. ચાંદીપુરા વાયરસની તપાસ કરવા સેમ્પલ લેવાયો છે. બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો છે.
Published On - Jul 17,2024 7:20 AM