06 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટનો દહીસરડા ગામના ચેકડેમમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત
Gujarat Live Updates : આજ 06 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
રાજકોટનો દહીસરડા ગામના ચેકડેમમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત
દહીસરડા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી 4 બાળકના મોત થયા છે. નાહવા ગયા હતા તે દરમિયાન બની ઘટના. એક જ શેરીના ત્રણ બાળકો અને એક બાળક મામાના ઘરે જન્માષ્ટમીનું વેકેશન કરવા આવ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા ચારેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. મૃતકો 12 વર્ષીય વંશિત ખંભાયતા, દીપ રાજપરા (14 વર્ષ), વાસુ સવસાણી (12 વર્ષ), ધ્યેય ધમાસણા (14 વર્ષ) ના મોત નિપજ્યા છે. 12 વર્ષીય વંશિત પોતાના મામાના ઘરે જન્માષ્ટમી વેકેશનમાં આવ્યો હતો.
-
મોરબીના વાંકાનેર નજીક રોલ સ્ટાર સિરામીક ફેક્ટરીમાં લાગી આગ
મોરબીના વાંકાનેર નજીક રોલ સ્ટાર સિરામીક ફેક્ટરીમાં લાગી આગ. મોરબી, વાંકાનેર સહિત ફાયર વિભાગની 5 ગાડી ઘટનાસ્થળે પહોચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા ભારે પ્રયાસો હાથ ધર્યા બાદ આગને કાબૂમાં લેવાઈ. આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ
-
-
રાજસ્થાનમાંથી ચોરેલા લાખોના દાગીના સાથે એક્ટિવાથી ગુજરાત આવતો ચોર ધાનેરાની નેનાવા બોર્ડર પર પકડાયો
બનાસકાંઠાના ધાનેરાની નેનાવા બોર્ડર પરથી રાજસ્થાનમાંથી ચોરેલા લાખોના દાગીના સાથે ચોર પકડાયો. ધાનેરા પોલીસે 723800 ની કિંમત ના સોના ચાંદી ના દાગીના પકડ્યા. રાજસ્થાનમાં રહેણાંક મકાનમાંથી ચોરી કરી ગુજરાતમાં લઈ આવતો ઇસમ ઝડપાયો. રાજસ્થાનના નારણ નાઈ પાસેથી 7,29,800 નો મુદામાલ પકડાયો. બોર્ડર પરથી એકટીવા પર ગુજરાતમાં પ્રવેશ કરતો પકડાયો ચોર.
-
કોઠંબા પોલીસ સ્ટેશનના PSI કેસરીસિંહ ચાવડા લાંચ લેતા ઝડપાયા
મહીસાગરના કોઠંબા પોલીસ સ્ટેશનના PSI કેસરીસિંહ ચાવડા લાંચ લેતા ઝડપાયા છે. વરધરી આઉટ પોસ્ટ કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતા કેસરીસિંહ ચાવડા. અકસ્માતના કેસમાં આરોપીને માર ના મારવા અને જામીન આપવા માંગી હતી લાંચ. રૂપિયા 2 લાખની લાંચ માંગી પરંતુ રૂપિયા 1 લાખની લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા છે.
-
રાજકુમાર બેનીવાલ સુરતના મ્યુિસિપલ. કમિશનર, હર્ષિત મહેતા મહેસાણા જિલ્લાના નવા DDO બન્યા
ગુજરાતના 7 સનદી અધિકારીની બદલી અને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજકુમાર બેનીવાલને સુરતના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યા છે. રમ્યા મોહનને શહેરી વિકાસનો સોંપાયો વધારાનો ચાર્જ. હર્ષિત મહેતા બન્યા મહેસાણા જિલ્લાના નવા DDO. જેનુ દેવનને મહેસૂલ વિભાગમાં તપાસ કમિશનરનો પ્રભાર સોંપાયો છે. સંજીવ કુમારને GNFCના MDનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આદિજાતિ વિકાસ નિયામક તરીકે રચિત રાજની નિમણૂક કરવામાં આવી છે.
-
આજે 06 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Sep 06,2026 7:16 AM
