Gandhinagar: રુપાલ મંદિરમાં સૂવર્ણ જડિત ગર્ભગૃહ અને દ્વારને ખુલ્લા મુકાયા, જાણો શું છે આ મંદિરની ખાસિયત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં (Gandhinagar) રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિરમાં (Vardayini Mata)  દર્શન કર્યા બાદ મંદિરના સુવર્ણ જડિત ગર્ભ ગૃહ અને દ્વારને ખુલ્લા મુક્યા હતા.

Gandhinagar: રુપાલ મંદિરમાં સૂવર્ણ જડિત ગર્ભગૃહ અને દ્વારને ખુલ્લા મુકાયા, જાણો શું છે આ મંદિરની ખાસિયત
રુપાલ મંદિરમાં સૂવર્ણ જડિત ગર્ભગૃહ અને દ્વારને ખુલ્લા મુકાયા
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 27, 2022 | 5:30 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસમાં તેઓ 4 મંદિરની મુલાકાતે છે, ત્યારે બીજા દિવસે રૂપાલના વિખ્યાત વરદાયિની ‘મા’ના મંદિરે શીશ ઝુકાવ્યું હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં (Gandhinagar) રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિરમાં (Vardayini Mata) દર્શન કર્યા બાદ મંદિરના સુવર્ણ જડિત ગર્ભ ગૃહ અને દ્વારને ખુલ્લા મુક્યા હતા. મંદિરના નવનિર્મિત ગર્ભગૃહ અને દ્વારને 5 કિલો સોનાથી સુવર્ણ કવચ ચઢાવવામાં આવ્યું છે.

રુપાલના જ નાગરિકે મંદિર માટે કર્યુ સોનાનું દાન

ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વરદાયિની માતાના પ્રસિદ્ધ મંદિરને આજે એક નવું નજરાણું મળ્યું છે. મંદિરના ગર્ભગૃહના દ્વાર અને મૂર્તિની આસપાસના સ્થાનને સોનાથી જડિત કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યું. સાથે સાથે તેમણે વરદાયિની માતાના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મંદિરમાં મૂળ રૂપાલના બળદેવભાઈ પટેલ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું હતું. જેના થકી ગર્ભગૃહને સોનાથી મઢીત કરવામાં આવ્યું છે.

અમિત શાહનું દત્તક લીધેલુ ગામ

500 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર છ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો, જે બાદ આજે મંદિરની શોભામાં વૃદ્ધિ થઈ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે રૂપાલ ગામે અમિત શાહનું આદર્શ ગામ યોજના સંદર્ભે લીધેલ દત્તક ગામ છે. જેથી રુપાલ ગામ પ્રત્યે તેમનો વિશેષ લગાવ પણ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

4 કિલોથી વધુના સોનાથી મઢવામાં આવ્યું મંદિર

ગાંધીનગર રૂપાલના વરદાયિની માતાજી મંદિરના ગર્ભગૃહને 20 કરોડથી વધુ કિંમતના 4 કિલોથી વધુના સોનાથી મઢવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ 22થી 26 જાન્યુઆરી, 2023 સુધી વરદાયિની માતા મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે. કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા પ્રસાદમ્ યોજના હેઠળ રૂ.50 કરોડના ખર્ચે વરદાયિની માતાજીના મંદિરનો વિકાસ કરવામાં આવશે. તેમાં સોમનાથ અને અંબાજી મંદિરની જેમ વરદાયિની માતાના મંદિરમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમજ મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ પ્રવાસીઓને રહેવા-જમવા સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે.

મહત્વનું છે કે રૂપાલનું વરદાયિની માતાનું 500 વર્ષ જુનુ મંદિર છે. એવું પણ કહેવાય છે કે આ પાંડવોના સમયનું મંદિર છે. જ્યાં દર વર્ષે નવરાત્રિમાં નોમના દિવસે માતાજીની પલ્લી નીકળે છે એ પલ્લીમાં હજારો કિલો ઘી વપરાય છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">