AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાંગને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો તો જાહેર કરાયો, પરંતુ અધિકારીઓની આળસને કારણે આદિવાસી ખેડૂતો યોજનાથી વંચિત

ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, જોકે ડાંગના અંતરિયાળ ગામોમાં આદિવાસી ખેડૂતોને આ અંગે કોઈ માહિતી નથી, જેને કારણે કારેલા, રીંગણ, મરચા તુવેર સહિત અન્ય પાકોની ખેતી કરતા અસંખ્ય ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

ડાંગને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો તો જાહેર કરાયો, પરંતુ અધિકારીઓની આળસને કારણે આદિવાસી ખેડૂતો યોજનાથી વંચિત
ડાંગ-પ્રાકૃતિક જિલ્લો (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 3:14 PM
Share

ડાંગ (Dang) જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા પ્રાકૃતિક ખેતી (Natural farming)તરીકે જાહેર કર્યા બાદ પણ કેટલાક ખેડૂતોને (Farmers) હજુ માહિતી આપવામાં આવી નથી, ખેડૂતોને ખેતીવિભાગના અધિકારીઓ (Agriculture Officer)દ્વારા યોજનાકીય લાભ ન આપી ખેડૂત સહિત સરકારને પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, જોકે ડાંગના અંતરિયાળ ગામોમાં આદિવાસી ખેડૂતોને આ અંગે કોઈ માહિતી નથી, જેને કારણે કારેલા, રીંગણ, મરચા તુવેર સહિત અન્ય પાકોની ખેતી કરતા અસંખ્ય ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જિલ્લાના કોઈ પણ અધિકારીઓ તેમના સુધી પહોંચતા નથી. અને જરૂરી માર્ગદર્શન પણ આપતા નથી. તેઓ દર વર્ષે લાખો રૂપિયાનું નુકશાન સહન કરી રહ્યા છે. બજારમાં મળતી રાસાયણીક દવા અને ખાતરના ઉપયોગ વિશે માહિતી ન હોવાથી યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી. માવઠાને કારણે થતા નુકશાન અને તે અંગેની સહાય માટેની પણ કોઈ માહિતી તેમની પાસે નથી.

સરકાર રાજ્યના તમામ ખેડૂતોના લાભ માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે, અને એ માટે કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરે છે. ત્યારે છેવાડાના આદિવાસી ખેડૂતોને એનો લાભ કેમ મળતો નથી. આ અંગે યોગ્ય તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે, ખાસ કરીને ડાંગને 100 % પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ અધિકારીઓની આળસ કે બેદરકારીને કારણે હજુપણ લોકો રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે એ લોકોની માંગ છે.

ત્રણ તાલુકા ધરાવતા અને 95% જેટલા આદિજાતિ બહુલ વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લાને તેની વિશેષતાઓ, ભૌગોલિક સ્થિતિ અને લોકોનો પ્રકૃતિ સાથેનો તાલમેલ અને જીવન જીવવાની પદ્ધતિને ધ્યાને રાખીને દેશનો પહેલો પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ડાંગ જિલ્લાને વિધિવત રીતે કાર્યક્રમો યોજીને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે.

કુદરતની સાથે રહીને પ્રકૃતિનું દર્શન કર્યા વિના જીવવાની પદ્ધતિ સાચી જીવન પદ્ધતિ તરીકે ગણી શકાય, એવી જ રીતે ડાંગના લોકો પોતાની પરંપરાગત ખેતીના કારણે સમગ્ર દેશમાં જાણીતા છે. વિવિધ ખેત પેદાશો ઓર્ગેનિક રીતે પકવીને આરોગતા હોય છે. સાથે વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓ પણ સમગ્ર ગુજરાતને ભેટ આપી છે. ડાંગ જિલ્લાની વિશેષતાને પગલે હવે ડાંગએ પછાત નહીં પરંતુ પ્રાકૃતિક જિલ્લો બની ગયો છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેર પોલીસમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 85 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો : Navsari: દાંડી અને ઉભરાટ દરિયાકિનારો પ્રવાસીઓ માટે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા કલેક્ટરનો નિર્ણય

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">