Banaskantha : મુસાફરોને રાહત, પાલનપુર સ્ટેશન પર નવો રાહદારી સબવે ખુલ્લો મુકાયો

પાલનપુર સ્ટેશન(Palanpur Station) પર રૂ.3.5 કરોડના ખર્ચે એક નવો રાહદારી સબવે બનાવવામાં આવ્યો છે. આ સબવેમાં બંને છેડે રેમ્પ છે અને તે વિકલાંગ વ્યક્તિઓ સહિત રાહદારીઓ માટે સરળ અને સલામત અવરજવરની સુવિધા આપશે.

Banaskantha : મુસાફરોને રાહત, પાલનપુર સ્ટેશન પર નવો રાહદારી સબવે ખુલ્લો મુકાયો
Palanpur Pedestrian Subway
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 14, 2022 | 8:12 PM

કેન્દ્રીય રેલ અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે (Darshana Jardosh ) 13મી મેના રોજ ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિસ્તૃત કનેક્ટિવિટી ની સાથે સાથે સલામતી અને સુવિધા વધારવાથી સંબંધિત વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પાલનપુર-ઉમરદશી, ઊંઝા-ભાંડુ મોટીદાઉ વિભાગ પર નવનિર્મિત સડક ઉપરના પુલો,પાલનપુર સ્ટેશન પર (Palanpur Railway Station)  ટ્વીન રોડ ઓવર બ્રિજ (નં.1) અને પાલનપુર યાર્ડમાં પદયાત્રી સબવેનો સમાવેશ થાય છે. આ સબ-વે બનતા(Sub Way)  મુસાફરોને રાહત મળશે. આ ઉપરાંત ડીએફસીસી આઇએલ દ્વારા પાલનપુર સ્ટેશન પર રૂ.3.5 કરોડના ખર્ચે એક નવો રાહદારી સબવે બનાવવામાં આવ્યો છે. આ સબવેમાં બંને છેડે રેમ્પ છે અને તે વિકલાંગ વ્યક્તિઓ સહિત રાહદારીઓ માટે સરળ અને સલામત અવરજવરની સુવિધા આપશે.

પાલનપુર યાર્ડ ખાતે એક રાહદારી સબવેનું ઉદ્ઘાટન કર્યું

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર માહિતી આપતા જણાવ્યું કે સલામતી,ઝડપ અને ગતિશીલતા ને વધારવા માટે મુજબ કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે પાલનપુર – ઉમરદશી, ઊંઝા-ભાંડુ મોટીદાઉ વિભાગમાં નવનિર્મિત રોડ ઓવર બ્રિજો અને પાલનપુર સ્ટેશન પર ટ્વીન રોડ ઓવર બ્રિજ (નં. 1) અને અમદાવાદ મંડળના પાલનપુર યાર્ડ ખાતે એક રાહદારી સબવેનું ઉદ્ઘાટન કર્યું.

તેમના સંબોધનમાં કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રીએ ભારતીય રેલ્વે ની સાથે-સાથે પશ્ચિમ રેલ્વે માટેનું તેમનું દ્રષ્ટિકોણ શેર કર્યું અને રેલ્વે દ્વારા આ ક્ષેત્રમાં લાવવામાં આવતા નવા અને સકારાત્મક ફેરફારો નું સ્વાગત કર્યું. એ વાત પર ભાર મુક્યો હતો આ જાહેર કલ્યાણ પ્રોજેક્ટ્સથી મુસાફરોની સલામતી અને સુરક્ષાને વધારશે અને તમામ હિતધારકો માટે મુસાફરીને સરળ અને વધુ સુલભ બનાવશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું કે નવનિર્મિત રોડ ઓવર બ્રિજ (LC નંબર 170, 206, 208B) ક્રોસિંગની જગ્યાએ બનાવવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર યાર્ડ ખાતે એક ટ્વીન આરઓબી (નં. 1) બનાવવામાં આવેલ છે. આ રોડ ઓવરબ્રીજોને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ડીએફસીસીઆઇએલ ) અને રાજ્ય સરકાર (208બી ની જગ્યાએ આરઓબી ના કિસ્સામાં) સાથે વહેંચાયેલા ખર્ચના આધારે રૂ. 148.77 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ્સ રેલ ટ્રાફિકની સમય, પાબંદી, સુનિશ્ચિત કરવાની સાથે -સાથે સલામતી અને ઝડપ વધારવા પર સીધી અસર પડશે.સમયની આરઓબી વાહનોની અવર જવર માટે સરળ અને સલામત વિકલ્પ પૂરો પાડે છે. જેથી ભીડ ઓછી થાય છે. તે ભાંડુ, વિસનગર, જેતલ વાસણા, એસબીપુરા, પાલનપુર વગેરેના લોકોને રાજ્ય માર્ગ સાથે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">