Rathyatra 2024 : ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થશે, ત્રણેય રથની ચંદન પૂજા થશે

અખાત્રીજના શુભ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થયો છે. અખાત્રીજના પાવન પર્વ પર જગન્નાથજી મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવે છે. અખાત્રીજના દિવસે ચંદન યાત્રાને આગામી રથયાત્રાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે.

Rathyatra 2024 : ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થશે, ત્રણેય રથની ચંદન પૂજા થશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2024 | 2:34 PM

અખાત્રીજના શુભ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થયો છે. અખાત્રીજના પાવન પર્વ પર જગન્નાથજી મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવે છે. અખાત્રીજના દિવસે ચંદન યાત્રાને આગામી રથયાત્રાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે.

રથની ચંદન પૂજા સાથે જ અમદાવાદની ઓળખ ગણાતી એવી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ થશે. મહંત દિલીપદાસજી દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીના રથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવશે. ત્રણેય રથની પૂજા બાદ આરતી પણ કરવામાં આવશે.

ભગવાનના રથોનું થશે સમારકામ

રથયાત્રા પહેલા અખાત્રીજ પર યોજાતી ચંદનયાત્રાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંદનયાત્રામાં મંદિરના રથ ખસેડવાનું શરૂ થશે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલાં રથનું સમારકામ કરવામાં આવતું હોય છે અને તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

ભગવાનના રથોનું હોય છે વિશેષ આકર્ષણ

ભગવાનની જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે. એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને તેમની નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માગે છે. આથી જ આ પવિત્ર દિવસે વિધિવત પૂજન, અર્ચન બાદ રથનું સમારકામ કરવામાં આવે છે. ભગવાનનાં ત્રણેય રથને ભવ્ય શણગારવામાં આવે છે. અખા ત્રીજના દિવસે ભગવાનને ચંદનના શણગાર હોવાથી તેને પ્રતિકાત્મક સ્વરૂપ ચંદન યાત્રા કહેવામાં આવે છે.

અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે પ્રભુ

મહત્વનું છે અમદાવાદ શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી જગન્નાથની રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળશે. 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી.આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">