અમદાવાદ શહેરમાં એક વર્ષમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં ભયજનક ઉછાળો

અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં એક વર્ષમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં ભયજનક ઉછાળો
Epidemic (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:44 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં કોરોનાના(Corona)  વધતા કેસ અને ઓમિક્રોનની દહેશત વચ્ચે  રોગચાળો વકર્યો છે. જેમાં નિરોગી શિયાળામાં પણ મચ્છરજન્ય  રોગચાળો( Epidemic)   બેકાબૂ બન્યો છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં સાત ગણો અને ચિકનગુનિયાના કેસોમાં બમણો વધારો જોવા મળ્યો છે. તેમજ હાલ વકરી રહેલા મચ્છરજન્ય રોગચાળાના પગલે શહેરની સરકારી હોસ્પિટલો અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જો રોગચાળાના આંકડા પર નજર કરીએ વર્ષ 2020માં ડેન્ગ્યુના 432 કેસ નોંધાયા હતા, જેની સામે 2021માં ડેન્ગ્યુના 3036 કેસો નોંધાયા છે. જયારે વર્ષ 2020માં ચિકનગુનિયાના 923 કેસો નોંધાયા હતા, જેની સામે 2021માં 1677 કેસો નોંધાયા છે.

હવે જ્યારે એક તરફ રોગચાળો બેફામ બન્યો છે, તો બીજી તરફ ક્લિનીક અને સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં OPD બહાર સવાર-સાંજ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.રોગચાળાએ ભરડો લેતા અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જો કે તંત્રનો દાવો છે કે, રોગચાળા પર કાબૂ મેળવવા દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી શરૂ કરાઇ છે.આ ઉપરાંત હેલ્થ વિભાગની 300 ટીમ શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસો સૌથી વધારે દક્ષિણઝોનમાં જોવા મળ્યા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નોંધાયેલા ચિકનગુનિયાના કેસ અન્ય કેટલાક ઝોનની સરખામણીએ 3થી 4 ગણા વધારે છે. ડેન્ગ્યુના કેસની વાત કરીએ તો પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં તેની સંખ્યા સૌથી વધારે છે જ્યારે ચિકનગુનિયાના કેસ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં સૌથી વધારે નોંધાયા છે.

ડેન્ગ્યુ એ સામાન્ય ચેપી રોગ

ડેન્ગ્યુ એ સામાન્ય ચેપી રોગ છે જે વાયરસને કારણે થાય છે. મચ્છરોના કારણે આ બીમારી ફેલાય છે. આ મચ્છરને Aedes Mosquito, Aedes Aegypti કહેવામાં આવે છે. આ મચ્છર દિવસ દરમિયાન પણ કરડે છે.

ચિકનગુનિયા શું છે અને તે ફેલાવવાનું કારણ શું?

ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે. એડીસ નામનો આ વાયરસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જ્યારે ચિકનગુનિયાથી પીડિત વ્યક્તિને મચ્છર કરડે અને પછી તે જ મચ્છર અન્ય વ્યક્તિને કરડે ત્યારે આ આલ્ફા વાયરસ તે મચ્છર દ્વારા બીજામાં ફેલાય છે. અને તે વ્યક્તિ પણ ચિકનગુનિયાથી પીડિત બને છે. માદા મચ્છર Aedes Aegypti અને Aedes Albopictus એ મચ્છરની મુખ્ય પ્રજાતિ છે જે રોગ ફેલાવે છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદની મુલાકાતે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં રહેશે ઉપસ્થિત

અ પણ  વાંચો : Vibrant Gujarat Summit : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં એગ્રો સમિટના બીજા દિવસે નિષ્ણાતોએ કૃષિ ટેકનોલોજી અંગે વિચારો રજુ કર્યા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">