‘કોઈ મોટા નેતાએ ભીતરઘાત કર્યો…’, ભાજપના સાંસદે યુપીના પરિણામો પર ઉઠાવ્યા સવાલ

ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહે ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને પોતાની જ પાર્ટી પર સવાલો ઉઠાવવાની સાથે આરોપ લગાવ્યો છે કે કેટલાક નેતાએ ભીતરધાત કર્યો છે. તેમણે કહ્યું છે કે તેની તપાસ થવી જોઈએ.

'કોઈ મોટા નેતાએ ભીતરઘાત કર્યો...', ભાજપના સાંસદે યુપીના પરિણામો પર ઉઠાવ્યા સવાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2024 | 2:53 PM

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી એક મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ તેને પૂર્ણ બહુમતી મળી નથી. જો કે તેમના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે. વિપક્ષ આ જીતને નરેન્દ્ર મોદીની હાર ગણાવી રહ્યો છે. આ દરમિયાન ભાજપના એક સાંસદે સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે કેટલાક નેતાએ પક્ષની અંદર રહીને જ પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે.

ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવ કહે છે કે, ‘હું ઉત્તર પ્રદેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિથી મારી જાતને અલગ કરી શક્યો નથી. હું દુખી છું કારણ કે અમારી પાર્ટીને યુપીમાં ઓછામાં ઓછી 75 બેઠકો મળવી જોઈતી હતી, અમે ક્યાં પાછળ રહી ગયા છીએ? અમારા પક્ષના નેતૃત્વએ આ અંગે વિચારવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ગામડાં, નગરો અને શહેરોમાં ઘરે ઘરે ગુંજે છે. તેમણે દેશ માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, ઉત્તર પ્રદેશને લઈને ઘણી વસ્તુઓ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

તેમણે કહ્યું, ‘વડાપ્રધાન ઘણી લાભકારી યોજનાઓ લોકો સુધી લઈ ગયા છે. તેમ છતાં ભૂલ ક્યાં થઈ તે અંગે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. ભલે અમને ઓછી બેઠકો મળી હોય, પરંતુ લોકોને વડાપ્રધાનમાં વિશ્વાસ છે અને એનડીએ સરકાર બનાવશે. પાર્ટી નેતૃત્વએ ચર્ચા કરવાની જરૂર છે કે દરેક બેઠકની હાર જીતના કારણો શું હતા અને અમે શા માટે હારી ગયા…જો કોઈ ધારાસભ્ય કે મોટા નેતાએ પાર્ટી સાથે ભીતરઘાત કર્યો છે તો તેણે પાર્ટી સાથે વિશ્વાસધાત કર્યો છે.

નાયડુ અને નીતિશ કિંગમેકર

અહીં, ટીડીપી ચીફ ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત 14 પક્ષોના 21 નેતાઓએ ગઈકાલે પીએમ આવાસ પર આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. આ વખતે ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશ કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. બિહારમાંથી નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારમાં કોને મંત્રી પદ મળી શકે છે તે અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે. શક્ય છે કે આ વખતે નવા ચહેરા જોવા મળશે. અહેવાલ છે કે જેડીયુ રેલ્વે-કૃષિ મંત્રાલય સાથે મળીને બિહાર માટે વિશેષ પેકેજ પર નજર રાખી રહી છે. જેડીયુ કેબિનેટમાં 3 પદની માંગ કરી શકે છે. ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે રેલ્વે મંત્રાલયને લઈને પણ ટક્કર થઈ શકે છે કારણ કે ચિરાગ પાસવાન પણ બે મંત્રી પદ ઈચ્છે છે. ચિરાગ બિહારના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવવા માંગે છે.

કેન્દ્રમાં મોટા મંત્રાલયો કયા છે?

જીતનરામ માંઝી પણ મંત્રી પદની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે બિહારમાંથી ભાજપના ક્વોટાના એક કે બે સાંસદોને જ મંત્રી બનાવવાનો વિકલ્પ રહેશે. કેન્દ્ર સરકારના 10 સૌથી શક્તિશાળી અને સૌથી મોટા મંત્રાલયોમાં ગૃહ, સંરક્ષણ, નાણાં, વિદેશ, રેલવે, માહિતી પ્રસારણ, શિક્ષણ, કૃષિ, માર્ગ પરિવહન અને નાગરિક ઉડ્ડયન છે. એકમાત્ર બહુમતી હોવાને કારણે ભાજપે 2019 અને 2014માં તમામ મુખ્ય વિભાગો પોતાની પાસે રાખ્યા હતા. મોદી સરકારને ત્રીજીવારની સરકારમાં ટેકો આપતી અન્ય ઘણી નાની પાર્ટીઓ પણ કેન્દ્રમાં મંત્રી પદ મળે તેની શોધમાં છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">